દવાઓમાં પૈસા ખર્ચવા કરતા આ પાનનું કરો સેવન, 5 રોગમાં થશે ફાયદો

સેસબનીયા ગ્રાન્ડિફ્લોરા(Cesbania grandiflora)ને અગેતી કિરાઇ અથવા વેજીટેબલ હમિંગબર્ડ તરીકે ઓળખાય છે. તે એક નાની ડાળીઓ વાળુ ઝાડ છે, જે ફોબેસી અને જીનસ સેસબેનીયા પરિવારથી સાથે સંબંધિત છે. અગેતી કિરાઇનો અર્થ ગરમ ભેજવાળા વાતાવરણમાં ઝડપથી વિકસતા છોડના લીલા પાંદડા સંદર્ભિત કરે છે. આ વૃક્ષ સામાન્ય રીતે ભારત, ફિલિપાઇન્સ, મલેશિયા, ઇન્ડોનેશિયા, મેક્સિકો અને દક્ષિણ પશ્ચિમ યુ.એસ.માં મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે.

image source

આ ઝાડને તમિળમાં અગેતી, તેલુગુમાં અવિસા અને કન્નડમાં અગેસ કહેવામાં આવે છે. તેના ફળ સપાટ, લાંબા, પાતળા લીલા કઠોળ જેવા લાગે છે. અગેતી કિરાઇ ઝાડના તમામ ભાગોનો પરંપરાગત આયુર્વેદિક દવાઓ માટે વપરાય છે. તે ઝાડા, મરડો, માઇક્રોબાયલ ઇન્ફેક્શન અને સોજા જેવા રોગોની સારવાર કરવામાં ફાયદાકારક છે. લીલા પાંદડાવાળા શાકભાજીમાં અગેતિનાં પાન વિટામિન એ, કેલ્શિયમ અને ફોસ્ફરસનો શ્રેષ્ઠ સ્રોત છે. લાલ પાંદડાવાળા શાકભાજીમાં ફિનોલિક સંયોજનો હોય છે જે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.

સ્વાસ્થ્ય માટે અગેતીના પાંદડાના ફાયદા

કેન્સરથી બચાવે

image source

અગેતીના પાંદડાઓમાં શક્તિળાળી એન્ટીઓકિસડન્ટ જોવા મળે છે જે લિપિડ પેરોક્સિડેશન સામે રક્ષણ આપે છે અને ગાંઠના કોષોને વધતા અટકાવે છે. આ ઉપરાંત, અહેતીના ફૂલો ફેફસાના કેન્સર સામે રક્ષણ આપે છે અને કોલોન કેન્સરની સારવારમાં મદદ કરે છે.

હાડકાં મજબૂત બનાવે

image source

અગેતી પાંદડામાં કેલ્શિયમ, આયર્ન અને વિટામિન પૂરતા પ્રમાણમાં જોવા મળે છે. આ તમામ ખનિજો હાડકાંને મજબૂત બનાવે છે અને વૃદ્ધ લોકોમાં સંધિવા અને ઓસ્ટિઓપોરોસિઝનું જોખમ ઘટાડે છે. દરરોજ અગેતીના પાંદડાઓ ખાવાથી હાડકાની ખનિજ ઘનતામાં સુધારો થાય છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો

image source

અગેતીના પાંદડામાં શક્તિશાળી એન્ટીઓકિસડન્ટ જોવા મળે છે જે સેલ પટલને સુરક્ષિત કરે છે અને ડીએનએને નુકસાનથી સુરક્ષિત કરે છે. અધ્યયનોએ શોધી કાઢ્યું છે કે અગેતીના પાંદડાના સેવન કરવાથી લોહીમાં ઝીંક, સેલેનિયમ અને મેગ્નેશિયમનું સ્તર વધે છે અને ગ્લુટાથિયોન, રીડ્યુક્ટેઝ, ગ્લુટાથિઓન એસ ટ્રાન્સફેરેસ જેવા હાનિકારક સંયોજનો ઘટાડે છે. અગેતીના પાંદડા ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખે

અગેતીના પાંદડા સ્વાદુપિંડના ક્ષતિગ્રસ્ત કોષોને સુધારે છે અને બ્લડ સુગરને વધતા અટકાવે છે. આ સિવાય આ પાંદડા કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લાઇસેરાઇડનું સ્તર અને લિપિડ પ્રોફીડને પણ નિયંત્રિત કરે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અગેતીના પાંદડાઓનો અર્ક HbA1C ના સ્તરને સ્થિર કરે છે.

એન્ટિમાઈક્રોબિયલ અસર

image source

અગેતીના પાંદડાઓમાં પૂરતા પ્રમાણમાં સિસ્ટિન જોવા મળે છે, જેમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટિમાઇક્રોબાયલ અસર હોય છે અને મુક્ત રેડિકલથી રક્ષણ પૂરું પાડે છે. અગેતીના પાંદડા અને ફૂલોના ઇ. કોલાઈ, સ્ટેફિલોકોક્સ ઓરેયસ જેવા બેક્ટેરિયા પર એન્ટિમાઇક્રોબાયલ અસર હોય છે અને રોગો સામે રક્ષણ આપે છે.

અગેતીના પાંદડા અને ફૂલો સ્વાદમાં કડવા હોય છે અને પાંદડા રેશાદાર અને કુરકુરા હોય છે. આ શાકભાજી રાંધતી વખતે પુશ્પકોશ અને પુમંગને દૂર કરવું જોઈએ. આના વધારે સેવનથી પેટમાં ગડબગ થઈ શકે છે.