‘તમે ખુશ રહો…’ વીડિયો શેર કરી ભાજપ સાંસદની પુત્રવધૂએ હાથની નસ કાપી, અને પછી થયું…

મોહનલાલગંજ વિસ્તાર માંથી ભારતીય જનતા પાર્ટી (બીજેપી) સાંસદ કૌશલ કિશોરના પરિવારનો હાઈવોલ્ટેજ ડ્રામા શરુ થયો છે. હવે
સાંસદની પુત્રવધુએ એમના ઘરની બહાર પહોચીને પોતાના હાથની નસ કાપી લીધી છે. આત્મહત્યાના પ્રયત્ન પહેલા સાંસદની પુત્રવધુનો એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે, હું જીવ આપવા જઈ રહી છું.

image source

બીજેપી સાંસદ કૌશલ કિશોરની પુત્રવધુ અંકિતાએ એમના ઘરની બહાર હાથની નસ કાપીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. અંકિતાને હોસ્પિટલ પહોચાડી દેવામાં આવી છે જ્યાં એમને સારવાર આપવામાં આવી રહી છે. આની પહેલા અંકિતાનો એક વિડીયો વાયરલ થય હતો, જેમાં અંકિતાએ આત્મહત્યા કરવાની વાત કહી હતી અને પોતાના પતિ આયુષ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

image source

અંકિતાએ આ વિડીયોમાં કહ્યું હતું કે, હું સુસાઈડ કરવા જઈ રહી છું, ત્યાર બાદ અંકિતા સાંસદ કૌશલ કિશોરના દુબગ્ગામાં આવેલ ઘરે સ્કુટી લઈને પહોચે છે અને પોતાના હાથની નસ કાપી લીધી. જો કે, આ વિડીયો પછી તેને ટ્રેક કરી રહેલ પોલીસએ તાત્કાલિક હોસ્પિટલમાં પહોચ્યા જ્યાં અંકિતાની સારવાર ચાલી રહી છે.

અંકિતાએ પોતાના વિડીયોમાં કહ્યું હતું કે, ‘હું કોઈની સાથે નથી લડી શકતી કેમ કે, તમારા પિતા સાંસદ છે અને માતા વિધાયક છે, મારી કોઈ નહી સાંભળે, મેં આજ સુધી કોઈને તમને હાથ લગાડવા દીધો નથી, તો હું તમને કેવી રીતે મારી શકું છે, તમે કેટલું ખોટું બોલી રહ્યા છો, તમે અને તમારા ઘરના સભ્યોએ મને જીવવા માટે નથી છોડી.’

image source

આગળ આ વિડીયોમાં અંકિતા કહે છે કે, ‘ઘરનું ભાડું નથી આપ્યું, ગેસના સિલેન્ડર નથી ભરાવ્યા, એકવાર પણ નથી વિચાર્યું કે, હું શું ખાઇશ, જો તમે મારી પાસે નહી આવો તો મારે રહેવું પણ નથી, હું જઈ રહી છું, હું જઈ રહી છું અને તમે મને યાદ રાખશો અને વિચારશો કે, મારા કરતા વધારે પ્રેમ કરનાર તમને બીજું કોઈ નહી મળે. મારા મરવાનું કારણ તમે છો અને તમારા ઘરના સભ્યો છે, હું જઈ રહી છું.’

બીજેપી સાંસદ બોલ્યા- મારા પરિવારને બદનામ કરવાનું ષડ્યંત્ર.

આ બાબતમાં બીજેપી સાંસદ કૌશલ કિશોરર કહ્યું છે કે, એને આપ મારી પુત્રવધુ કહેશો નહી, તેણે અને આયુષએ લગ્ન કર્યા અને હું ક્યારેય
એના પક્ષમાં હતો નહી, અંકિતા મને અને મારા પરિવારને બદનામ કરવાના પ્રયત્નો કરી રહી છે, અંકિતાની પાછળ કોઈ છે જે તેને ભડકાવી રહ્યું છે, તે નાટક કરી રહી છે, તેણે મારા ઘરથી દુર આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે.

અંકિતાએ કરી હતી આયુષના નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ.

image source

આની પહેલા અંકિતાએ પોતાના પતિ આયુષ અને એમના પરિવારના સભ્યોના નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી. આ સાથે જ અંકિતાએ આ પુરા કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવાની માંગ પણ કરી હતી. આયુષ કિશોરની પત્ની અંકિતાએ જ કહ્યું હતું કે, યુપીની પોલીસ પર એને વિશ્વાસ છે નહી, આ કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવામાં આવવી જોઈએ.

આયુષએ અંકિતા પર લગાવ્યા હતા ગંભીર આરોપ.

બીજેપી સાંસદ કૌશલ કિશોરના ભાગી ગયેલ દીકરા આયુષએ એક વિડીયો બનાવીને પોતાની પત્ની અંકિતા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે આ વિડીયોમાં સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે, તેને પત્ની અંકિતા સિંહએ ફસાવ્યો છે. તેમણે કહ્યું કે તેઓ સરેન્ડર કરી દેશે. તેમણે કોઈ ખોટું કામ કર્યું છે નહી. તેમણે પોતાની પર ગોળી ચલાવી નથી. જો તેઓ તે દિવસે ઘરમાં હોત તો તેમની હત્યા કરી દેવામાં આવતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!