જો તમે વેક્સિન લીધી છે તો ફ્લાઈટ ટિકિટમાં મળશે ડિસ્કાઉન્ટ, આ એરલાઈન લાવી ઓફર
ઈન્ડિગોએ કોવિડ રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધેલા મુસાફરો માટે ભાડા પર 10 ટકાની છૂટની ઘોષણા કરી છે. એરલાઇન્સે કહ્યું કે આ યોજના બુધવારથી અમલમાં આવી છે અને ડિસ્કાઉન્ટ મર્યાદિત વર્ગમાં ફક્ત બેઝ ભાડા પર મળશે. એરલાઇન્સ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ‘આ યોજનાનો લાભ ફક્ત તે જ લોકોને મળશે જે ટિકિટ બુકિંગ સમયે ભારતમાં હાજર હોય અને કોવિડ રસીનો ઓછામાં ઓછો એક ડોઝ લીધો હોય.
રસીકરણ અભિયાનમાં ફાળો આપવા પ્રોત્સાહન
જેમને છૂટ અપાય છે તેઓને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જારી કરાયેલ રસીકરણનું પ્રમાણપત્ર એરપોર્ટ ચેક-ઇન કાઉન્ટર અને બોર્ડિંગ ગેટ પર બતાવવું પડશે. વૈકલ્પિક રીતે, તેઓ આરોગ્ય સેતુ મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ તેમના રસીકરણના પુરાવા રજૂ કરી શકે છે. ઈન્ડિગોના મુખ્ય રણનીતિ અને મહેસૂલ અધિકારી સંજય કુમારે કહ્યું, “દેશની સૌથી મોટી વિમાની કંપની તરીકે, અમારા ફરજ છે કે લોકોને રસીકરણ અભિયાનમાં ફાળો આપવા પ્રોત્સાહન આપવું.
એરલાઇન્સે કહ્યું છે કે આ ઓફર માટેની મર્યાદિત ઇન્વેન્ટરી છે અને તેના ઉપલબ્ધતા હોવા પર જ ડિસ્કાઉન્ટ મળશે. કંપનીએ કહ્યું કે આ ઓફરને કોઈ અન્ય ઓફર, સ્કિમ અથવા પ્રમોશન સાથે ક્લબ કરી શકાતી નથી. આ ઓફર હાલમાં ફક્ત ઈન્ડિગોની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ટિકિટ બુક કરવા અને વધુ વિગતો માટે, ગ્રાહકો https://www.goindigo.in/ પર લોગ ઇન કરી શકે છે.
999 રૂપિયામાં હવાઈ મુસાફરી
કોરોના સમયગાળા દરમિયાન, એરલાઇન્સ કંપનીઓમાં મુસાફરોને આકર્ષવાની હરીફાઈ છે. દેશની સૌથી મોટી એરલાઇન્સ ઈન્ડિગો અને વિસ્તારા ફક્ત 1,099 રૂપિયામાં હવાઈ મુસાફરીની ઓફર કરી રહી છે. પરંતુ સ્પાઈસ જેટ એક પગલું આગળ વધી ગઈ છે. એરલાઇન મુસાફરોને તેના મેગા મોનસૂન સેલ અંતર્ગત 999 રૂપિયામાં હવાઈ મુસાફરીની સુવિધા આપી રહી છે. આ ઓફર 1 ઓગસ્ટ, 2021 થી 31 માર્ચ, 2020 સુધીની મુસાફરીના સમયગાળા માટે માન્ય છે. આ માટેનું બુકિંગ આજથી શરૂ થઈ ગયું છે અને 30 જૂન સુધી ચાલશે.
આ ઓફર હૈદરાબાદ-બેલગામ, બેલગામ-હૈદરાબાદ, ચેન્નઈ-હૈદરાબાદ, ચેન્નાઈ-બેંગ્લોર સહિતના પસંદગીના સ્થળો માટેની છે, એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે.
Got vaccinated? Grab this exclusive offer! Know more https://t.co/w6MLsY5oCZ #LetsIndiGo #Aviation #GetVaccinated #Vaccinated pic.twitter.com/P0LbiHKK4t
— IndiGo (@IndiGo6E) June 23, 2021
કંપની હવે ટિકિટ બુક કરાવવા પર ફ્રી ફ્લાઇટ વાઉચર્સ પણ આપી રહી છે. આ પીએનઆર દીઠ મહત્તમ 1000 રૂપિયા સુધીના મૂળ ભાડાની સમાન રકમ હશે. મફત ફ્લાઇટ વાઉચરની માન્યતા 1 જુલાઈથી 31 જુલાઈ સુધીની મુસાફરીની સમયગાળા માટે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!