ઉજ્જૈન મંદિરમાં મહાકાલને શા માટે ચઢાવવામાં આવે છે દારૂ નો પ્રસાદ, જાણો શું છે રહસ્ય ?

ઉજ્જૈન મહાકાલની નગરી તરીકે જગપ્રસિદ્ધ છે. અહિં નિર્મિત કાલ ભૈરવ મંદિર ની વિશેષતા એ છે કે અહિં ભગવાન કાલ ભૈરવ મદિરા પાન કરે છે. આમ તો કાલ ભૈરવના દરેક મંદિરોમાં તેમને મદિરા ચઢાવવામાં આવે છે, પરંતુ ઉજ્જૈનના આ રહસ્યમયી કાલ ભૈરવ મંદિરમાં મદિરાથી ભરેલુ પાત્ર જેવુ ભગવાનની પ્રતિમા નજીક લઈ જાઓ કે જોતજોતામાં મદિરાનું એ પાત્ર ખાલી થઈ જાય છે. આજના કલયુગમાં પણ આ ચમત્કાર જોવા મળે છે.

image soure

ઉજ્જૈનના કાલભૈરવ મંદિરમાં વર્ષોથી ભગવાન કાલભૈરવ ને દારૂનો ભોગ ચઢાવવામાં આવે છે. ભગવાનના મોઢા આગળ દારૂથી ભરેલુ પાત્ર મુકતા જ બધાની આંખો સામે તે પાત્ર ખાલી થઈ જાય છે. અનેક લોકોને ભગવાન કાલભૈરવની મૂર્તિ અને આખા મંદિર ચોકની નીચેની જમીનનુ પરીક્ષણ પણ કર્યુ પણ દારૂ ક્યા જાય છે તેનો કોઈ પત્તો આજ સુધી મળ્યો નથી. તેથી જ તેને ભગવાન કાલભૈરવ નો ચમત્કાર માનવામાં આવે છે.

પ્રાચીન સમયમાં અહિં ફક્ત તાંત્રિકો જ મંદિરમાં પ્રવેશી શકતા. પરંતુ સમયાંતરે સામાન્ય લોકો માટે પણ આ મંદિર ખુલ્લુ રાખવામાં આવ્યુ. થોડા સમય પહેલા અહી પ્રાણીઓની બલિ પણ ચઢાવવામાં આવતી. પરંતુ તેના પર હવે પ્રતિબંધ મુકાઈ ગયો છે. આ મંદિરમાં કાલ ભૈરવની પ્રતિમાની સામે હિંચકામાં બટુક ભૈરવની પ્રતિમા બિરાજમાન છે. અહિંની દિવાલો પર અન્ય દેવી દેવતાઓની પણ પ્રતિમાઓ સ્થાપિત છે.

image soure

પુરાણો મુજબ એક વાર ભગવાન બ્રહમાએ ભગવાન શિવનુ અપમાન કરી નાખ્યુ હતુ. આ વાતથી ભગવાન શિવ ખૂબ જ ક્રોધિત થઈ ગયા હતા અને તેમની આંખોમાંથી કાલભૈરવ પ્રગટ થયા. ક્રોધિત કાલભૈરવએ ભગવાન બ્રહ્મા નુ પાંચમુ માથુ કાપી નાખ્યુ હતુ. જેને કારણે તેમને બ્રહ્મ હત્યાનુ પાપ લાગ્યુ.

સ્કંદ પુરાણમાં જણાવ્યા અનુસાર, ચાર વેદોના રચયિતા બ્રમ્હાજીએ જ્યારે પાંચમો વેદ રચવાનો નિર્ણય કર્યો ત્યારે દેવતાઓએ તેમને રોકવા ભોલેનાથ ની શરણ લીધી. પરંતુ બ્રમ્હાજીએ તેમની વાત ના માનતા શિવે પોતાનુ ત્રીજુ નેત્ર ખોલ્યુ અને બટુક ભૈરવનંલ પ્રાગટ્ય થયુ.

image soure

ઉગ્ર સ્વભાવના આ બાળકે બ્રમ્હાજીનું પાંચમુ શિષ ધડ થી અલગ કરી દીધુ. પરંતુ તેને બ્રમ્હ હત્યાનુ પાપ લાગ્યુ. ત્યારે બટુક ભૈરવે શિવની આરાધના કરી. શિવજીએ તેને કહ્યુ કે ઉજ્જૈનની ક્ષીપ્રા નદીના કાંઠે સ્મશાનમાં તપસ્યા કરવાથી જ તેને મુક્તિ પ્રાપ્ત થશે. ત્યારથી જ આ સ્થાને કાલભૈરવની પૂજા થતી આવી છે. કાલાંતરે અહિં મોટુ મંદિર બનાવવામાં આવ્યું, જેનો જીર્ણોદ્ધાર પરમાર વંશના રાજાઓએ કરાવ્યો હતો.

image source

કાલભૈરવ ક્ષેત્રમાં લાગેલ સંતોના શિવિરોમાં ભલે વધુ ભીડ ન દેખાતી હોય પણ કાલભૈરવ મંદિરમાં સવારથી રાત સુધી રોનક છવાયેલી રહે છે. દેશભરમાંથી સિંહસ્થમાં આવી રહેલ લોકો કાલભૈરવ મંદિર તરફ વળી રહ્યા છે. હાલ સવારે પાંચ વાગતા જ કાલભૈરવ ક્ષેત્રમાં લોકોની ચહલ પહલ વધવા માંડી છે. અત્યારે ગાયના છાણમાંથી બનેલા કંડોઝની રાખ સાથે આરતી કરવામાં આવે છે.

એક મહત્વની હકીકત એ પણ છે કે ફક્ત પુરુષો જ ભગવાન શિવ ને રાખ પહેરે છે. મહિલાઓએ તે સમયે પડદો લેવો ફરજિયાત છે, જે પુરુષો અનસ્ટીક્ટેડ સોલા પહેરે છે તે ભસ્મ આરતી પહેલાં ભગવાન શિવને પાણીથી સ્પર્શ કરી દર્શન કરી શકે છે. એવું કહેવામાં આવે છે કે જે મહાકાલનો ભક્ત છે તેનો સમય કશું બગાડી શકે તેમ નથી, સાથે સાથે બાબાના આંગણામાં દર વર્ષે દરેક તહેવાર પહેલા ઉજવવાની પરંપરા છે.