ગરબે રમવાની મંજૂરી, પણ ખેલૈયાઓએ સૌથી પહેલા કરવું પડશે આ કામ

નવરાત્રીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ખાસ કરીને ખેલૈયા માટે ખુશીના સમાચાર રહેલા છે. રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિમાં શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે. શેરી ગરબાને મર્યાદિત સંખ્યા સાથે અનુમતિ આપવામાં આવી છે. જો કે અહીં પણ સરકારે મોટો નિર્ણય લઈ લીધો છે કે જે વ્યક્તિએ રસીના બે ડોઝ લઈ લીધા હશે તેને જ ગરબે રમવાની મંજૂરી આપવામાં આવશે, સત્તાવાર બહાર પડાયેલા જાહેરનામાંમાં તેનો ઉલ્લેખ કરાયો છે.

image source

રાજ્યના ગૃહવિભાગના દિશા નિર્દેશ અનુસાર જણાઈ રહ્યું છે કે હાલમાં સરકાર કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માગતી નથી, માટે ખેલૈયાઓના હિતમાં એક મહત્વનો નિર્ણય લઈ જાહેરાત કરી છે કે જે વ્યક્તિએ ગરબા રમવા હશે તેણે રસીના બે ડોઝ લેવા અત્યંત જરુરી છે.

જ્યારે હવે મહાનગરોમાં રાત્રીના 12 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ રહેવાનું છે. ગૃહ વિભાગ દ્વારા થોડા સમય બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ક્લબ અને પાર્ટી પ્લોટમાં ગરબાને મંજૂરી આપવામાં આવી નથી. ગયા વર્ષે રાજ્ય સરકાર દ્વારા માત્ર આરતી પૂરતી જ મંજૂરી આપવામાં આવી હતી.

image source

રાજ્યમાં આગામી નવરાત્રિ તહેવારો તેમજ લગ્ન પ્રસંગોની સાંસ્કૃતિક ધરોહર મુજબ ઉજવણી થાય તે હેતુથી અને આવા પ્રસંગો સાથે સંકળાયેલા નાના વ્યવસાયકારોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને જનહિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

રાજ્ય સરકારે નવરાત્રિમાં શેરી ગરબાને મંજૂરી આપી છે. શેરી ગરબાને મર્યાદિત સંખ્યા સાથે અનુમતિ અપાઈ છે. શેરી ગરબામાં 400 લોકોને છૂટ આપવામાં આવી છે. પાર્ટી પ્લોટ, ક્લબ કે કોર્મશિયલ રીતે નવરાત્રિની ઉજવણી નહી થઈ શકે. દુર્ગા પુજા, વિજ્યા દશમી, શરદ પૂર્ણિમાના આયોજનને મંજૂરી મળી છે.

image source

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં આગામી નવરાત્રિ તહેવારો તેમજ લગ્ન પ્રસંગોની સાંસ્કૃતિક ધરોહર મુજબ ઉજવણી થાય તે હેતુથી અને આવા પ્રસંગો સાથે સંકળાયેલા નાના વ્યવસાયકારોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને જનહિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે યોજેલી મહત્વપૂર્ણ બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા છે.

મુખ્યમંત્રીએ લીધેલા આ નિર્ણયો અનુસાર રાજ્યના જે ૮ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કરફયુ અમલમાં છે ત્યાં તારાખ રપ/૯/ર૦ર૧ના રાત્રિના ૧ર કલાકથી તારીખ ૧૦/૧૦/ર૦ર૧ સવારે ૬ વાગ્યા સુધી દરરોજ રાત્રિ કરફયુ અમલમાં રહેશે.

નવરાત્રીને સરકારે શું જાહેરાત કરી

image source

– રાજ્યના જે ૮ મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કરફયુ અમલમાં છે ત્યાં તા.રપ/૯/ર૦ર૧ના રાત્રિના ૧ર કલાકથી તા.૧૦/૧૦/ર૦ર૧ સવારે ૬ વાગ્યા સુધી દરરોજ રાત્રિ કરફયુ અમલમાં રહેશે.

image source

– રાત્રિ કરફયુની સમય મર્યાદા અત્યારે રાત્રિના ૧૧ થી સવારે ૬ વાગ્યા સુધીની છે તેમાં એક કલાકનો ઘટાડો કરીને હવે રાત્રિના ૧ર થી ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયું રહેશે.

– આગામી દિવસોમાં રાજ્યમાં નવરાત્રિ પર્વની ઉજવણી થવાની છે તે સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફલેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.

– લગ્ન પ્રસંગોમાં અગાઉ ૧૫૦ વ્યક્તિઓની જે મર્યાદા હતી તેમાં વધારો કરીને હવે ૪૦૦ વ્યક્તિઓની છુટછાટ આપવામાં આવી છે.

– આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેકસીનના બે ડોઝ લીધા હોય તે હિતાવહ રહેશે

– આવા આયોજનોમાં લાઉડ સ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે.

– રાજ્યમાં પાર્ટી પ્લોટ, કલબ, ખૂલ્લી જગ્યાએ કે કોઇ પણ જગ્યાએ કોમર્શીયલ રીતે નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહિ.

– અંતિમક્રિયા-દફનવિધિમાં અગાઉની ૪૦ વ્યક્તિઓની મર્યાદામાં વધારો કરીને હવે ૧૦૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે.

– રાજ્યમાં રેસ્ટોરન્ટ રાત્રિના ૧૦ કલાક સુધી અગાઉ ક્ષમતાના ૬૦% સાથે ચાલુ રાખવાની મંજૂરી હતી તેમાં વધારો કરીને હવે ક્ષમતાના ૭પ% સાથે ચાલુ રાખી શકાશે.

– રાજ્યમાં જાહેર બાગ બગીચા અગાઉ રાત્રિના ૯ વાગ્યા સુધી ખુલ્લા રહેતા હતાં તે પણ હવે રાત્રિના ૧૦ વાગ્યા સુધી ખૂલ્લા રાખી શકાશે

image source

મહત્વનું છે કે કોરોના વાયરસની મહામારીને કારણે ગત વર્ષે ગરબાના આયોજનને સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી નહોતી. જો કે, હવે રાજયમાં કોરોના વાયરસના કેસો સતત ઘટતા જોવા મળી રહ્યા છે. જેથી સોસાયટી અને ફાર્મ હાઉસોમાં તથા શેરી ગરબાને નિશ્ચિત નિયમો સાથે મંજુરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા નવરાત્રી દરમિયાન રાત્રી કર્ફ્યૂમાં પણ 1 કલાકની રાહત આપવામાં આવી છે. હવે કર્ફ્યૂ રાત્રે 12 વાગ્યાથી લાગુ પડશે જે સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે