મહેસાણા: જાણો આ મહંત વિશે, જે 4થી એપ્રિલે લેશે જીવંત સમાધિ, પત્રિકાઓ પણ છપાઇ ગઇ, જોઇ લો તસવીરોમાં

મહેસાણાના મહંત જીવતા સમાધી લેવાની વાતે લોકોમાં ઉત્સુકતા જાગી છે ત્યારે આ અંગેની પત્રિકાઓ પણ છપાઈ ગઈ છે અને સમાધી પૂર્વેના ઉત્સવની પણ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મહેસાણાથી એક અજબ ગજબ સમાચાર આવી રહ્યા છે. એક મહંત જીવતા સમાધી લેવાના છે અને એ અંગે ઉત્સવ પણ થવાનો છે આવો જાણીએ શું છે હકીકત? મહેસાણાના છઠીયારડા ગામે મહંત જીવંત સમાધી લેશે. સત્ય સંશોધન કેન્દ્ર કબીર ધામના મહંતે અગાઉ એલાન કર્યુ હતું. મહંત શપ્ત સુલે 4 એપ્રીલે સમાધી લેવાની જાહેરાત કરી હતી.

અગાઉ કરી હતી જાહેરાત

image source

છઠીયારડા ગામના મહંતે 4 એપ્રિલના રોજ સમાધિ લેવાની જાહેરાત કરી છે. 4 એપ્રિલે સમાધિ લેવા અંગેના કાર્યક્રમની પત્રિકાઓ પણ છાપવામાં આવી છે. પત્રિકામાં 3, 4 એપ્રિલના રોજ અલગ-અલગ કાર્યક્રમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સત્ય સંશોધન કેન્દ્ર કબીર ધામના મહંતે અગાઉ આ જાહેરાત કરી હતી.વાડજ ખાતે વર્ષ 2016માં કાર્યક્રમ દરમિયાન જાહેરાત કરી હતી. કબીર ધામના અનુયાયીઓએ મહંતની સમાધીનો દાવો કર્યો હતો. 4 એપ્રિલે ચાલુ કાર્યક્રમમાં શપ્ત સુલે દેહ છોડી દેશે.

મહેસાણાના છઠીયારડાના કબીર આશ્રમના જે મહારાજે સમાધી લેવાની જાહેરાત કરી છે

image source

તે પહેલાં અમદાવાદના જુના વાડજ સ્થિત રામાપીરના ટેકરામાં રહેતા હતા. રાજુ પરમાર, રાજુ કરાટે જેવા નામથી તેમના મિત્રો અને પાડોશીઓ તેમને ઓળખાતા હતા. આજે તે જગ્યાએ તેમનું ઘર નથી કેમ કે ત્યાં ડીમોલેશન કરવામાં આવ્યું છે. રાજુ પરમાર એટલે કે સમાધી લેવાની જાહેરાત કરનારા આ મહારાજ અગાઉ મહાપાલિકાની ચૂંટણી લડી ચુક્યા છે ચૂંટણીમાં હાર થઈ હતી અને બાદમાં તેઓ છેલ્લા થોડા વર્ષોથી આશ્રમ જતા રહ્યા છે. તેમની સમાધી લેવાની જાહેરાતના બોર્ડ વાડજ વિસ્તારમાં પણ જોવા મળે છે. છઠીયારડા ગામના મહંતે પોતાની સમાધિની તારીખ જાહેર કરી છે.

image source

તેમના દ્વારા પોતાની સમાધિની તારીખ આજ રોજ નહીં પરંતુ વર્ષ 2018માં અમદાવાદના વાડજ ખાતે એક કાર્યકમમાં કરી હતી. તેમનો જન્મ 4 -4-1971માં થયો હતો અને તેમના દ્વારા જાહેરાત કરાઈ હતી કે તેમની સમાધિની તારીખ આગામી 4 -4 -21 ના રોજ થશે. 4 તારીખે રાત્રે 10 થી 11 કલાકે તેમની સમાધિ થશે તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું. તેમના અનુપાયીઓ દ્વારા પણ આ સમાધિની પુષ્ટિ કરી છે. તેઓ કઈ જગ્યા પર અને કઈ રીતે સમાધિ લેશે તે તેમના દ્વારા ભગવાન પર છોડ્યું છે. અનુયાયીનો દાવો છે કે મહંત 4 એપ્રિલે ચાલુ કાર્યક્રમમાં શપ્ત સુલ દેહ છોડી દેશે. ઉલ્લેખનીય છે કે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે  તેઓ ઘણા વર્ષો પહેલા જુના વાડજથી ભાજપમાંથી કોર્પોરેશનમાંથી ચૂંટણી પણ લડ્યા હતા અને જેમાં તેમનો પરાજય થયો હતો. છેલ્લા અનેક વર્ષોથી આધ્યાત્મિકના માર્ગે હતા.

image source

તેમની સમાધિના અંતર્ગત આગામી 3 અને 4 એપ્રિલના રોજ કબીર આશ્રમ ખાતે જુદા જુદા કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે પત્રિકાઓ પણ છપાઈ ગઈ

4 એપ્રિલે સમાધિ લેવા અંગેના કાર્યક્રમની પત્રિકાઓ પણ છપાવાઈ હતી. આ પત્રિકામાં 3, 4  એપ્રિલના અલગ અલગ કાર્યક્રમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : VTV )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!