જ્યારે જ્હાનવી ભાઈ કહે છે તો થોડું…અર્જુન કપૂરે સાવકી બહેન માટે કહ્યું આવું

બોલીવુડમાં ઘણા સ્ટાર્સ એવા છે જેનો આખો પરિવાર જ ફિલ્મોમાં સક્રિય છે. એમાં કપૂર ખાનદાનનું નામ પણ સામેલ છે. બોની કપૂરના પરિવારના ઘણા સભ્યો ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. અનિલ કપૂર જ્યાં બોલિવુડના સુપરસ્ટાર છે તો એમની દીકરી સોનમ કપૂરે પણ બોલીવુડમાં નામ કમાયું છે. બોની કપૂરના દીકરા અર્જુન કપૂર પણ ફિલ્મોમાં છે તો એમની દીકરી જાહ્નવી કપૂર પણ એકથી લઈને એક ફિલ્મો કરી રહી છે. જો કે આ કપૂર ખાનદાનની ફિલ્મોગ્રાફી સિવાય અંગત જીવનના કિસ્સા પણ ફેન્સને ઘણા જ રસપ્રદ લાગે છે.

image source

તમને જણાવી દઈએ કે બોની કપૂરે મોના કપૂરને ડિવોર્સ આપીને શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા અને એમને બે દીકરીનો જન્મ થયો હતો. તો મોના કપૂરથી અર્જુન કપૂર અને અંશુલા કપૂરનો જન્મ થયો હતો. જો કે હવે મોના અને શ્રીદેવી બન્ને જ આ દુનિયામાં નથી તો પોતાની સાવકી બહેનોને પણ અર્જુન કપૂર ખૂબ જ લાડ કરે છે. અર્જુન પોતાના પરિવારને લઈને ઘણા ખુલાસા કરતા રહે છે.હવે હાલમાં જ અર્જુને જણાવ્યું છે કે જ્યારે પણ જાહ્નવી એમને ભૈયા કહે છે તો એમને ખૂબ જ અજીબ લાગે છે.

તમને જણાવી દઈએ કે જાહ્નવી કપૂર કોફી વિથ કરણના એક એપિસોડમાં અર્જુનને ભૈયા કહે છે જેને બધા ટાઇટલમાં બ્રધર અર્જુન લખવામાં આવ્યું. એના પર એક ઇન્ટરવ્યૂમાં અર્જુન કપૂરે કહ્યું હતું કે આ સાંભળવામાં થોડું ધાર્મિક લાગે છે બ્રધર અર્જૂન. અર્જુન કપૂરનું કહેવું છે કે જાહ્નવી દ્વારા એમને અર્જુન ભૈયા કહેવું અજીબ પણ છે અને નવુ પણ.

image source

અર્જુન કપૂરે કહ્યું કે સાચી વાત તો એ છે કે મને અર્જુન ભૈયા સાંભળવું ખૂબ જ અજીબ અને નવું લાગે છે. એવું એટલે કારણ કે અંશુલા મને બહુ અલગ રીતે ભાઈ કહીને બોલાવે છે..અર્જુનને ભૈયા શબ્દ સાંભળવાની આદત નથી એવામાં જ્યારે જાહ્નવી એમને ભૈયા કહે છે તો એમને અજીબ લાગે છે. તમને જણાવી દઈએ કે અર્જુન પોતાની બહેન અંશુલાને ખૂબ જ પ્રેમ કરે છે. માતા મોનાના ગુજરી ગયા બાદ અંશુલા અને અર્જુને એકબીજાનું ખૂબ જ ધ્યાન રાખ્યું હતું.

image source

અર્જુન કપૂરે કહ્યું કે મેં ક્યારેય જાહ્નવીને એ નથી કહ્યું કે મને ક્યાં નામે બોલાવે. મને લાગે છે કે એ ખૂબ જ નેચરલ તરીકે આવ્યું છે કે જાહ્નવી મને અર્જુન ભૈયા કહે છે. તમને જણાવી દઈએ કે શ્રીદેવી સાથે બોની કપૂરના લગ્ન પર અર્જુન કપૂરને ખુશી નહોતી થઈ. એ પોતાની સાવકી બહેનોથી પણ દૂર રહેતા હતા પણ જ્યારે શ્રીદેવીનું નિધન થયું તો અર્જુન કપુરને પણ દુઃખ થયું હતું. એ પછીથી એ પોતાની બંને બહેનો જાહ્નવી કપૂર અને ખુશી કપૂરનું પણ ધ્યાન રાખવા લાગ્યા.

image source

થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યૂમાં અર્જુન કપૂરે જણાવ્યું હતું કે બોની કપૂરે જ્યારે બીજા લગ્ન કર્યા હતા તો એમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. એમના મિત્રો એમને ચીડવતા હતા કે નવી માતા મેળવીને કેવું લાગે છે. અર્જુન કપૂરે કહ્યું કે એ પોતે એ વાત સમજે છે કે પ્રેમ ક્યારેય પણ કોઈને પણ થઈ શકે છે. જો કે એમના પિતાથી હંમેશા એ વાતે નારાજગી રહી છે કે એમમે એમની માતાને છોડીને બીજા લગ્ન કર્યા હતા.