જો પૈસા ઘરમાં ટકતા નથી તો લોટના ડબ્બામાં મુકવાથી, દરેક સમસ્યાથી છુટકારો મળશે.
ઘરમાં પૈસા ટકાવવા આ ઉપાય મદદરૂપ થશે
ઘરમાં ગમે તેટલા પૈસા આવે પણ તે ટકતા નથી. કમાયેલા પૈસા ઘરમાં આવે તો છે પણ એને ખર્ચાઈ જવામાં સમય લાગતો નથી. સતત મહેનત કર્યા પછી પણ જો ભવિષ્ય માટે પૈસા ભેગા નથી થઇ રહ્યા, તો માનસિક તણાવ પણ વધવા લાગે છે. જો કે જ્યોતિષ શાસ્ત્રમાં આ બાબતે કેટલાક ઉપાય છે, જેના કારણે તમને ઘણા સમાધાન મળી શકે છે. લાખ મહેનત કરવા છતાં પણ કામ સફળ ન થાય અથવા પછી ઘરમાં પૈસા ટકીને ન રહે તો આ ઉપાય હમેશા તમારી દરેક સમસ્યાઓને દુર રાખશે.આવો ઉપાય વિશે જાણીએ.
ઘરમાં સુખ અને શાંતિનો સંચાર થશે
જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક પુનમના દિવસે સવારે પહેલા પીપળાને પાણી ચડાવવું જોઈએ અને પછી લક્ષ્મી મંત્રની એક માળા પણ કરવી જોઈએ. આમ કરવાથી ધીરે ધીરે દરેક પ્રકારની આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. તેમ જ આ ઉપાય કરવાથી ઘરમાં સુખ અને શાંતિ બનેલી રહે છે.
ઘરમાં પૈસા પણ ટકી રહેશે
આ ઉપાય મુજબ જે ડબ્બામાં તમે લોટ રાખો છો એમાં ૫ તુલસીના પાંદડા અને ૨ કેસરના દાણા મૂકી દો. યાદ રાખજો કે આ લોટ શનિવારના દિવસે જ પીસાવવો જોઈએ અને એમાં ચણા જરૂર મિલાવો. આમ કરવાથી તમારી દરેક પ્રકારની આર્થિક સમસ્યાઓ દુર થઇ જશે. આ સાથે જ ઘરમાં પૈસા પણ ટકીને રહેશે.
ભગવાન દરેક મનોકામના પૂર્ણ કરશે
તમે કોઈ પણ મહિનાના શુક્લ પક્ષના પડવાથી કાગળનો રૂપીઓ લો અને ઉપર લાલ દોરી બાંધી લો અને પછી આ નોટને રાધા-કૃષ્ણની મૂર્તિ અથવા તસ્વીર પાછળ સંતાડીને મૂકી દો. ત્યારબાદ ભગવાન સામે પોતાની મનોકામના માંગો. આવું તમે એક જ રાશિની નોટને સતત ૪૧ દિવસ સુધી કરતા રહો અને મનોકામના માંગતા રહો. ધ્યાન રાખજો કે એમાં કોઈ પણ ભૂલ ન થઇ શકે. એવું કરવાથી ભગવાન તમારી મનોકામના જરૂર પૂર્ણ કરશે. આ સાથે જ તમારા ઘરમાં પૈસા પણ પાછા ફરશે.
આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે
કોઈ પણ શુભ મુહુર્તમાં સવારે વહેલા ઉઠીને લાલ રેશમનું કપડું લો અને એમાં અખંડિત ૨૧ ચોખાના દાણા બાંધી લો. ત્યારબાદ લક્ષ્મીમાની પૂજા કરો અને એમાં કપડામાં બાંધેલા ચોખા રાખી મુકો. પૂજા કર્યા પછી મા પાસે તમારી મનોકામના માંગો અને ચોખાની એ પોટલી પોતાના પર્સ અથવા તિજોરીમાં મૂકી દો. આમ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે.
ઘરમાં સકારાત્મક ઊર્જાઓ પ્રવાહિત થશે
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘરમાં રોજે રોજ મહાકાલી માની પૂજા કરવાથી લાભ થઇ શકે છે. આ પૂજા માટે શુક્રવારના દિવસે કાળિકા માતાના મંદિરે જઈને ધૂપ, દીવો અને ભોગ પણ ચઢાવો. આ સાથે જ મહાકાળી માતાની સ્તુતિ કરીને પોતાની મનોકામનાઓ માંગી લો. આમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક શક્તિઓનો નાશ થશે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.
Source: NavBharattimes
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત