નિવાર વાવાઝોડાની ગંભીરતાને લઈને 30 હજાર લોકોનું કરાયું સ્થળાતર, પીએમ બન્ને રાજ્યના સીએમના સંપર્કમાં

આંધ્રપ્રદેશ અને તમિલનાડુ માટે માઠા સમાચાર આવ્યા છે. બંગાળની ખાડીમાં ઉદભવેલુ નિવાર વાવાઝોડું પુડ્ડુચેરીથી 120 કિલોમીટર દૂર છે અને હાલ તેની સ્પીડ 11 કિમી/કલાકની છે.

નિવાર મોડી રાત સુધીમાં કરાઇકલ (આંધ્રપ્રદેશ) અને મહાબલીપુરમ (તમિલનાડુ)ને પાર કરશે. અહીંથી પસાર થતા સમયે 140 કિમી પ્રતિ કલાકની સ્પીડથી હવા ફુંકાય શકે છે. જેને લઈને તંત્ર હાલમાં એલર્ટ થઈ ગયું છે.

નિવારને ગંભીર કેટેગરીમાં રાખવામાં આવ્યું છે.

રે 800 ટુપર્સને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા

image source

આ અંગે NDRFના ડીજી એસએન પ્રધાને કહ્યું કે છેલ્લાં બે દિવસથી અમારી ટીમ ગ્રાઉન્ડ પર છે. તમિલનાડુ, પુડ્ડુચેરી અને આંધ્ર પ્રદેશમાં અમે 25 ટીમ તહેનાત કરી છે. અમે દરેક સ્થિતિ માટે તૈયાર છીએ. આ ઉપરાંત 1200 રેસ્ક્યૂ ટુપર્સ પણ તહેનાત કરવામાં આવ્યા છે. જ્યારે 800 ટુપર્સને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

નિવારને કારણે ચેન્નઈ એરપોર્ટ આજે સાંજે 7 વાગ્યાથી આવતીકાલે સવારે 7 વાગ્યા સુધી બંધ કરી દેવાયું છે. આ પહેલાં 26 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી.

30 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા

તો બીજી તરફ તમિલનાડુના 13 જિલ્લામાં 26 નવેમ્બર સુધી રજાની જાહેરાત કરવામાં આવી છે. ચેન્નઈ, વેલ્લોર, કુડ્ડાલોર, વિલુપુરમ, નાગાપટ્ટિનમ,થિરૂવરુર, ચેંગાલપટ્ટૂ અને પેરમ્બલોર જેવા શહેર સામેલ છે. તમિલનાડુથી 30 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને પુડ્ડુચેરીથી 7 હજાર લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે. ચેન્નઈમાં છેલ્લાં 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. પૂર્વ CM કરુણાનિધિના ઘરમાં પાણી ભરાય ગયા છે.

ચેંબરમબાક્કમ ડેમના ગેટ ખોલી દેવામાં આવ્યા

તમને જણાવી દઈએ કે ચેન્નઈ પ્રશાસન 2015માં આવેલા પૂરને ભૂલ્યાં નથી, તેથી તેઓએ પગલાં ભરતા 90% ભરાઈ ગયેલા ચેંબરમબાક્કમ ડેમના ગેટ ખોલી દીધા છે. અધિકારીઓનું કહેવું છે કે પહેલાં ફેઝમાં ડેમથી 1000 ક્યૂસેક પાણી છોડવામાં આવશે. ડેમનું પાણી અડયાર નદીમાં જશે, તેથી નદીકાંઠાના વિસ્તારના નીચલા વિસ્તારમાં કુંદ્રાતુર, સિરુકલાથુર, તિરુમુડિવક્કમ અને તિરુનીરમલઇમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પીએમ મોદીએ બન્ને રાજ્યના મુખ્યમંત્રી સાથે વાત કરી

image source

આ વાવાઝોડાની ગંભીરતાને લઈને વડાપ્રધાન મોદીએ મંગળવારે તમિલનાડુ અને પુડ્ડુચેરીના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી છે. મોદીએ નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવા અને લોકોને સુરક્ષિત સ્થાનોએ પહોંચાડવાની વાત પર જોર આપ્યું છે. વાવાઝોડાંને કારણે બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વમાં તમિલનાડુ અને પુડ્ડુચેરી કાંઠાના લગભગ કોસ્ટ ગાર્ડની 8 શિપ અને 2 એરક્રાફ્ટ તહેનાત કરવામાં આવ્યા છે. તેની મદદથી મર્ચન્ટ શિપ અને માછલી પકડવાની શિપને વાવાઝોડાંની ચેતવણી આપવામાં આવી છે.

કિનારા વિસ્તારમાં રહેતા લોકોને અન્ય સ્થળે ખસેડાયા

ચક્રવાતી તોફાન નિવારની ગંભીરતાને કારણે તમિલનાડુ અને પુડુચેરીના દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે. તેમજ માછીમારોને દરિયા કિનારા પર જવા પર પ્રતિબંધ મૂક્યો છે. તમિળનાડુમાં વાવાઝોડા નિવારના વધતા જતા ખતરાને ધ્યાનમાં રાખીને 7 જિલ્લાઓમાં બસ સેવા બંધ કરવામાં આવી છે. લોકોને ઘરની બહાર ન જવા અને સલામત રહેવાની અપીલ કરવામાં આવી રહી છે. રેલ્વેમાંથી પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે 25 નવેમ્બરના રોજ 2 ટ્રેન સંપૂર્ણ રદ કરવામાં આવી છે જ્યારે 3 ટ્રેનો આવતીકાલે એટલે કે 26 નવેમ્બરના રોજ રદ કરવામાં આવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત