-આ યોજના હેઠળ દુષ્કાળ, અતિવૃષ્ટિ અને માવઠાને આવરી લેવામાં આવ્યા છે.
-33% થી ૬૦% જેટલું નુકસાન થયેલ હશે તો તેવી વ્યક્તિને હેક્ટર દીઠ ૨૦ હજાર રૂપિયા ચુકવવામાં આવશે.
ગુજરાત રાજ્ય સરકારએ આજે ખેડૂતોને ધ્યાનમાં રાખીને કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજે ‘કિસાન સહાય યોજના’ની જાહેરાત કરવામાં આવી છે. ‘કિસાન સહાય યોજના’ ના ફાયદા ગુજરાત રાજ્યના બધા જ ખેડૂતો મેળવી શકશે. જો કે, આ ‘કિસાન સહાય યોજના’ ખરીફ પાક પુરતી જ સીમિત રહેશે અને આ યોજના ૪ હેક્ટર સુધી લાગુ કરવામાં આવી શકે છે.
‘કિસાન સહાય યોજના’ હેઠળ દુષ્કાળ, અતિવૃષ્ટિ અને માવઠા જેવી પરિસ્થિતિને આવરી લેવામાં આવી શકે છે. જો ખેડૂતને 33% થી ૬૦% ટકા જેટલું નુકસાન થયું હશે તો તેવા ખેડૂતને પ્રતિ હેક્ટર ૨૦ હજાર રૂપિયાની ચુકવવામાં આવશે. જયારે ૬૦% કરતા વધુ નુકસાન થયું હશે તો તેવા ખેડૂતને ૨૫ હજાર રૂપિયાની મદદ કરવામાં આવશે.
કિસાન સહાય યોજનાના ધોરણો :
- -ખરીફ ઋતુ દરમિયાન ઉગાડવામાં આવેલ પાકનું નુકસાન 33% થી ૬૦% જેટલું નુકસાન થયું હશે તો તેવા ખેડૂતોને રૂ.૨૦ હજાર પ્રતિ હેક્ટર આપવામાં આવશે. પરંતુ વધુમાં વધુ ૪ હેક્ટર જેટલી જમીન મર્યાદામાં મળવાપાત્ર રહેશે.
- -ખરીફ ઋતુમાં થયેલ પાકનું નુકસાન જો ૬૦% કરતા વધુ નુકસાન થયું હોય છે તો એવા ખેડૂતને પ્રતિ હેક્ટર ૨૫ હજાર રૂપિયા ચુકવવામાં આવી શકે છે. કિસાન સહાય યોજનામાં વધુમાં વધુ ૪ હેક્ટર જેટલી મર્યાદિત જમીન માટે મળી શકે છે.
‘કિસાન સહાય યોજના’ની અન્ય મહત્વની જોગવાઈઓ :
- -‘કિસાન સહાય યોજના’ સિવાય જે ખેડૂત લાભાર્થીઓને એસડીઆરએફ યોજનાની જોગવાઈ પ્રમાણે જે પણ લાભ મળવા પાત્ર હશે તો તે લાભ પણ ખેડૂત મેળવી શકે છે.
- -આ યોજના હેઠળ ખેડૂતોની ઓનલાઈન અરજીઓ મેળવવામાં લેંડ રેકોર્ડ સહિત સીએમ ડેશબોર્ડ સાથે કનેક્શન ધરાવતું પોર્ટલ તૈયાર કરાવવાનું રહેશે.
- -આ યોજના હેઠળ આવતા લાભાર્થી ખેડૂતોએ ઈ- ગ્રામ કેન્દ્ર પર જઈને પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની છે.
- -ત્યાર બાદ સરકાર દ્વારા મંજુર કરવામાં આવેલ યોજનાના લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં જ પૈસાની સીધી ચુકવણી કરી દેવામાં આવી શકે છે.
- -આ યોજનાના લાભાર્થી ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ લાવવા માટે ગ્રીવન્સ રીડ્રેસલ મીકેનીઝમની અલગથી વ્યવસ્થા કરવામાં આવી શકે છે.
- -ગ્રામ્ય કક્ષાના ઈ- ગ્રામ સેન્ટર પર ઓનલાઈન અરજી કરવામાં ખેડૂતોને મદદ કરવા માટે ઈ- ગ્રામ સેન્ટર પર VLEને એક સફળ અરજી કરી દેવા માટે તેને મહેનતાણા સ્વરૂપે ૮ રૂપિયા પ્રત્યેક અરજી માટે ચુકવવામાં આવશે.
- -‘કિસાન સહાય યોજના’ હેઠળ ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે ટોલ ફ્રી નંબરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
‘કિસાન સહાય યોજના’ અંતર્ગત આવરી લેવામાં આવેલ જોખમો :
અનાવૃષ્ટિ (દુષ્કાળ) :
જે તાલુકામાં ચોમાસાની ઋતુ દરમિયાન ૧૦ ઈંચ કરતા ઓછો વરસાદ પડ્યો હોય કે પછી રાજ્યમાં ચોમાસાની ઋતુ શરુ થઈ હોય ત્યારથી ૩૧ ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન બે વરસાદની મધ્યે જો ૨૮ દિવસ સુધી વરસાદ નથી પડ્યો કે પછી એવી જગ્યા કે જ્યાં ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદ પડ્યો જ નથી અને ખેતરમાં વાવેતર કરવામાં આવેલ પાકને નુકસાન થાય છે આવી સ્થિતિ અનાવૃષ્ટિ (દુષ્કાળ) નો ખતરો માનવામાં આવે છે.
અતિવૃષ્ટિ :
તાલુકાને યુનિટ માનીને અતિવૃષ્ટિના સમયે જેવા કે, વાદળ ફાટવું, ભારે વરસાદ કે જેમાં દક્ષિણ ગુજરાતના જીલ્લાઓ (ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ) માં ૪૮ કલાકમાં ૩૫ ઈંચ કે પછી તેના કરતા વધારે વરસાદ અને તેના સિવાય રાજ્યના બધા જિલ્લાઓમાં ૪૮ કલાકમાં ૨૫ ઈંચ કે તેના કરતા વધારે વરસાદ મહેસુલી તાલુકાના રેઇન ગેજ પ્રમાણે નોંધવામાં આવ્યો હોય અને ખેતરમાં કરવામાં આવેલ વાવેતરના ઉભા પાકને થયેલ નુકસાનને અતિવૃષ્ટિનું જોખમ માનવામાં આવી શકે છે.
કમોસમી વરસાદ (માવઠું) :
૧૫ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બર દરમિયાન મહેસુલી તાલુકાના રેઈન ગેજમાં સતત ૪૮ કલાકમાં ૫૦ mm કે પછી તેના કરતા વધારે વરસાદ પડે છે અને આ વરસાદ ખેતીના પાકને ખેતરમાં કરવામાં આવેલ પાકનું નુકસાન થાય છે તો તેને કમોસમી વરસાદ (માવઠું) નું જોખમ માનવામાં આવે છે.
૫૬ લાખ કરતા વધારે ખેડૂતોના ખાતેદારોને ‘કિસાન સહાય યોજના’નો સીધો જ લાભ મળી શકશે : મંત્રી જયેશ રાદડિયા :
ગુજરાતના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા જણાવે છે કે. રાજ્યના ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાક વીમા પદ્ધતિમાં ખેડૂતોને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હતો. ૫૬ લાખ કરતા વધારે ખેડૂત ખાતેદારોને ‘કિસાન સહાય યોજના’નો સીધો લાભ મળી શકશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત