સંજુ બાબા તરીકે બોલીવુડમાં જાણીતા બનેલા સંજય દત્તે પોતાના જીવનમાં નાયક અને ખલનાયક બનવા વચ્ચે જીવનના અનેક ઉતાર ચઢાવ જોયા છે. આવા સમયે જ્યારે એમની બાયોપિક ‘સંજુ’ આવી હતી, આ ફિલ્મને પણ એમના અનેક ચાહકો અને ફેન્સ જોઈ ચુક્યા છે. જો કે સંજય દત્તના અનેક સબંધો અવારનવાર ચર્ચામાં રહી ચુક્યા છે. તો સાથે જ એ પોતે પણ અનેક વાર કહી ચુક્યા છે કે એમના એક સાથે અનેક છોકરીઓ સાથે અફેર હતા અને તેમ છતાં ક્યારેય તેઓ પકડાયા ન હતા. સુંદર ચહેરાઓ જોઇને દિલ હારી જનારા સંજુબાબા એશ્વર્યા રાય પર પણ દિલ હારી ચુક્યા છે. આ વાતનો ખુલાસો એમણે પોતાના એક જુના ઇન્ટરવ્યુંમાં કર્યો હતો. એમના જન્મ દિવસ પર અમે આપને જણાવી રહ્યા છીએ એમની જ લાઈફનો આ કિસ્સો…
પ્રથમ પ્રતિક્રિયા : આ સુંદર યુવતી કોણ છે?
એ સમય દરમિયાન એશ્વર્યા હજુ એક્ટ્રેસ ન હતી. આ વાત છે વર્ષ ૧૯૯૩ની જ્યારે એશ્વર્યા મોડલિંગ કરી રહી હતી. આ દરમિયાન સંજય દત્ત અને એશ્વર્યાએ એક મેગેજીનના કવર માટે શૂટ કરવાનું હતું. એ સમયે એશ્વર્યા હજુ ફિલ્મોમાં પણ આવી ન હતી. જો કે એ સમયે એ માત્ર મોડલિંગ અને અમુક જાહેરાતોમાં જ જોવા મળતી હતી. આવા સમયે સંજય દત્તને એશ્વર્યા પહેલી નજરે ગમી ગઈ હતી. એમણે એક સામયિકને આપેલા ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે એશ્વર્યાને કોલ્ડ્રીંકની એડમાં જોઇને તેઓ પોતાના હોશ ખોઈ બેઠા હતા. એમણે જણાવ્યું હતું કે આ દરમિયાન જ્યારે એમણે એશ્વર્યાને જોઈ તો એમની પહેલી પ્રતિક્રિયા કઈક આવી હતી, આ સુંદર યુવતી કોણ છે?
એશ્વર્યા સંજય દત્તની બહેનોને પણ પસંદ હતી
જો કે પ્રથમ નજરે એશ્વર્યાને જોઇને પસંદ કરનાર સંજુ બાબાની બહેનોએ એમને સલાહ આપી હતી કે તેઓ એશ્વર્યાથી દુર જ રહે. કારણ કે એ સમયે સંજય દત્તની ઈમેજ ખરાબ હતી અને એમની ઈમેજ બેડ બોય તરીકેની હતી. એ સમયમાં લગભગ દરેકને એમના સબંધો અને યુવતીઓના કિસ્સાઓ વિશે જાણકારી હતી. આ ઇન્ટરવ્યુંમાં સંજયે એમ પણ કહ્યું કે એમની બહેનોને પણ એશ્વર્યા પસંદ હતી. એ એમને મળી ચુકી હતી અને એમને પણ એશ્વર્યા ખુબ જ સુંદર લાગતી હતી.
બહેનોએ આપી સંજુબાબાને દુર રહેવાની સલાહ
સંજય દત્તને એશ પસંદ હતી એ વાતની જાણ થતા જ બહેનોએ એમને એશ્વર્યાથી દુરી રાખવાનું કહ્યું હતું, અને એમ પણ કહ્યું હતું કે, તે ન તો એને પટાવવાની કોશિશ કરે કે ન એના પાસે ફોન નંબર માંગે અથવા ફૂલ મોકલાવે. એ દરમિયાન સંજય દત્તે ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે એશ્વર્યા જો ફિલ્મોમાં આવી જશે તો એની સુંદરતા ખોવાઈ જશે. એમનું લોજીક એવું હતું કે જો તમે ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં આવો છો તો બધું જ બદલાવા લાગે છે. તમે મેચ્યોર થવા લાગો છો અને તમારી માસુમિયત ખોવાઈ જાય છે.
એશ્વર્યાની તારીફમાં સંજય દત્તે કહ્યું હતું કે…
સંજય દત્તે પોતાના એ ઇન્ટરવ્યુંમાં એશ્વર્યા રાયની પ્રસંશા કરી હતી, એમની સુંદરતાના વખાણ કર્યા હતા. એમણે કહ્યું હતું કે, ‘જો એ રસ્તા પર ઉભી રહી જાય તો દરેક ગાડી એના માટે ત્યાં જ રોકાઈ જશે. જ્યારે હું રસ્તા પર ઉભો રહી જાઉં, તો લોકો ગાડી મારા પર જ ચઢાવી દેશે. જો કે આ ઘટનાના દસ વર્ષ પછી એશ્વર્યા અને સંજય દત્તે સાથે કામ કર્યું હતું. એમની ફિલ્મ ‘શબ્દ’ અને ‘હમ કિસી સે કામ નહિ’ માં બંને સાથે જોવા મળ્યા હતા.
Source: NavBharat Times
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત