આખરે શું હોય છે બ્લૂ ઈકોનોમી, દુનિયાભરના દેશોમાં તેને લઈને ચાલી રહી છે સ્પર્ધા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે સતત વાત કરી રહ્યા છે અને આ માટે અનેક જરૂરી પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. દરમિયાન, તેમણે બ્લૂ ઈકોનોમીમાં દેશને આગળ વધારવાનો વિચાર રાખ્યો છે. વડા પ્રધાન મોદી માને છે કે આવનારા સમયમાં વિશ્વમાં એ જ દેશ વધુ મજબુત બનશે, જેની બ્લૂ ઈકોનોમી વિકાસ કરશે. આજે, અમે તમને આ લેખ દ્વારા જણાવીશું કે બ્લૂ ઈકોનોમી શું હોય છે?
બ્લૂ ઈકોનોમી શબ્દ ખૂબ જૂનો નથી
તમને જણાવી દઈએ કે બ્લૂ ઈકોનોમી શબ્દ ખૂબ જૂનો નથી. આ શબ્દ લગભગ એક દાયકા પહેલા અસ્તિત્વમાં આવ્યો હતો. સમુદ્ર દ્વારા વેપારને પ્રોત્સાહન આપવાને જ બ્લૂ ઈકોનોમી કહે છે. આ શબ્દ બેલ્જિયન ઉદ્યોગપતિ અને લેખક ગુંટર પૌલી દ્વારા શોધાયો હતો. આ શબ્દ ભલે નવો ન હોય, પરંતુ આ શબ્દ પાછળનો અર્થ સેંકડો વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવે છે.
વેપારનો એકમાત્ર અને શ્રેષ્ઠ માધ્યમ દરિયાઇ માર્ગ
સદીઓથી, વેપારીઓ સમુદ્ર દ્વારા એક દેશથી બીજા દેશમાં વેપાર ફેલાવતા હતા. આ પ્રક્રિયા તે સમયથી ચાલુ છે, જ્યારે ન તો વિમાન સિસ્ટમ હતી અને ન સડક માર્ગ દ્વારા દુનિયા જોડાયેલી હતુી. આવી સ્થિતિમાં, વેપારનો એકમાત્ર અને શ્રેષ્ઠ માધ્યમ દરિયાઇ માર્ગ હતો. બ્લૂ ઈકોનોમી એ દરિયાઈ માર્ગો, નવા બંદરો અને દરિયાઇ વ્યૂહાત્મક નીતિ દ્વારા અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ કરવાનો છે.
સમુદ્ર આધારિત વ્યવસાય મોડેલ
બ્લૂ ઈકોનોમી હેઠળ, સમુદ્ર આધારિત વ્યવસાય મોડેલ સૌ પ્રથમ વિકસિત થાય છે. તે જ સમયે, સ્રોતોને કેવી રીતે યોગ્ય રીતે વાપરવા અને દરિયાઈ કચરાનો સામનો કરવા ડાયનેમિક મોડેલ પર કામ કરવામાં આવે છે. આ સમયે વિશ્વમાં પર્યાવરણ એ એક મોટો મુદ્દો છે. આવી સ્થિતિમાં, બ્લૂ ઈકોનોમીને અપનાવવાનું પણ આ દ્રષ્ટિકોણથી ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ભારત ત્રણ બાજુઓથી સુમિદ્રથી ઘેરાયેલો છે
તમને જણાવી દઈએ કે આપણો દેશ ભારત ત્રણ બાજુઓથી સુમિદ્રાથી ઘેરાયેલો છે. આવી સ્થિતિમાં, બ્લૂ ઈકોનોમીના વિકાસ દ્વારા દેશની આર્થિક વૃદ્ધિ થઈ શકે છે. ભારત જ નહીં, ચીન સહિત વિશ્વના ઘણા દેશો પણ આ નવી અર્થવ્યવસ્થા પર કામ કરી રહ્યા છે.
ફેબ્રઆરીમાં થઈ હતી ત્રણ દેશો વચ્ચે સમીક્ષા
ફેબ્રઆરીમાં ભારત, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે ત્રિપક્ષીય બેઠક મળી હતી. આ સંદર્ભમાં, વિદેશ મંત્રાલયે કહ્યું કે ત્રણેય પક્ષોએ સપ્ટેમ્બર 2020માં યોજાયેલી વિદેશ સચિવ કક્ષાની ત્રિપક્ષીય વાટાઘાટમાં થયેલા પરિણામોની પ્રગતિની સમીક્ષા કરી. આ સાથે જ ત્રણેય દેશોના અધિકારીઓએ દરિયાઇ સુરક્ષા, માનવતાવાદી સહકાર અને આપત્તિ રાહત,બ્લૂ ઈકોનોમી અંગે ચર્ચા કરી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે મીટિંગ દરમિયાન ત્રણેય દેશોના અધિકારીઓએ ભારત-પ્રશાંત ક્ષેત્રમાં ત્રિપક્ષીય સહયોગને આગળ વધારવા માટેના ભાવિ પગલાઓની પણ ચર્ચા કરી હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!