Site icon News Gujarat

શું સિદ્ધુ માટે કપિલ શર્માનો શો છોડી દેશે અર્ચના પૂરન સિંહ? જાણો શું કહ્યું અભિનેત્રીએ

ધ કપિલ શર્મા શોમાં જજ તરીકે જોવા મળનાર અર્ચના પૂરન સિંહે કહ્યું છે કે જો નવજોત સિંહ સિદ્ધુ શોમાં પરત ફરે તો તે આ સીટ અને શો છોડી દેશે. જ્યારથી નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું છે, ત્યારથી તેઓ જબરદસ્ત ચર્ચામાં છે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર અટકળો શરૂ કરી દીધી છે, સિદ્ધુ ‘ધ કપિલ શર્મા શો’ માં પાછા આવી શકે છે. તે ભૂતકાળમાં આ શોનો ભાગ રહ્યા છે અને જ્યારે 2019 માં સિદ્ધુએ આ શો છોડી દીધો ત્યારે અર્ચના પુરણ સિંહે તેની જગ્યા લીધી. તે જ સમયે, હવે જ્યારે સિદ્ધુની વાપસી અંગે અટકળો લગાવવામાં આવી રહી છે, ત્યારે અર્ચનાએ તેના તાજેતરના ઇન્ટરવ્યુ દરમિયાન આ અંગે ખુલીને વાત કરી છે.

image source

શો સાથે નવજોત સિંહ સિદ્ધુની વાપસી અંગે સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. અર્ચના પૂરણ સિંહે પણ ઇન્સ્ટાગ્રામ પર એક મીમ શેર કર્યો છે હવે અર્ચના પુરણ સિંહે કહ્યું છે કે તે ધ કપિલ શર્મા શોમાં જજ તરીકે નવજોત સિંહ સિદ્ધુ આવવા તૈયાર હોય તો તે આ શો છોડવા તૈયાર છે.

અર્ચના પૂરન સિંહ ‘ધ કપિલ શર્મા શો’માં ખાસ મહેમાન તરીકે દેખાય છે. તે જ સમયે, તેની હસવાની શૈલી પ્રેક્ષકોને પણ હસાવે છે. હવે એક રિપોર્ટ અનુસાર, અર્ચનાએ તાજેતરમાં જ સિદ્ધુના શોમાં પાછા ફરવાની વાતને લઈને નિવેદન આપ્યું છે. તેણીએ કહ્યું- ‘જો ખરેખર સિદ્ધુ મારી જગ્યાએ શોમાં આવવા માંગે છે, તો મારી પાસે ઘણી બધા કામો છે જે હું મહિનાઓથી ટાળી રહ્યી હતી. કારણ કે હું અઠવાડિયામાં બે દિવસ શોનું શૂટિંગ કરું છું. મને ભારતની બહાર ઘણા બધા અસાઈમેન્ટ મળે છે, પરંતુ શો માટે પ્રતિબદ્ધતાને કારણે મારે તેને ના પાડવી પડે છે.

જેઓ માને છે કે મારી પાસે કંઈ કામ નથી …

image source

તમને જણાવી દઈએ કે ઈન્ટરનેટ યુઝર્સ સિવાય, શોના કલાકારો પણ સિદ્ધુની વાપસી અંગે અર્ચનાને મજાક મજાકમાં ટોંટ મારતા જોવા મળે છે. આ અંગે અર્ચના કહે છે કે ‘કપિલના લેખકો ઘણા પ્રકારના જોક્સ લઈને આવે છે, હું બીજુ કઈ કરી શકતી નથી બસ હસી નાખુ છુ કારણ કે તે રમુજી હોય છે. જે લોકોને લાગે છે કે શોમાં મારા માટે કરવાનું કંઈ નથી, તો પછી સેટ પર આવો અને જુઓ કે 6 થી 7 કલાક એક જ જગ્યાએ બેસીને સ્ટેજનો સામનો કરવો. દરેકના જોક્સ સાંભળવા અને તેના પર રિએક્શન આપવું સરળ નથી.

Exit mobile version