અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હવે આ દુનિયામાં નથી રહ્યા. અચાનક જ થયેલા એમના મૃત્યુએ એમના ફેન્સ અને પરિવારને હચમચાવી મુખ્ય છે. જો કે સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કેસ અંગે હવે સીબીઆઈએ પોતાની તપાસ શરૂ કરી દીધી છે. આવામાં નાના પડદાની જાણીતી નિર્માતા-નિર્દેશક એકતા કપૂરે સુશાંત સિંહ રાજપુતને સોશિયલ મીડિયા પર યાદ કર્યા છે. અને એમના ફેન્સ માટે એક ખાસ પોસ્ટ પણ શેર કરી છે.
એકતા કપૂર સોશિયલ મીડિયા પર ઘણી જ સક્રિય છે. વીતેલા દિવસોમાં એ ઘણી વાર અભિનેતા સુશાંત સિંહ રાજપુતને લઈને પોસ્ટ શેર કરી ચુકી છે. આ વખતે એકતા કપૂરે સુશાંતના ટીવી સીરિયલમાં એના ફર્સ્ટ સીનનો વિડીયો શેર કર્યો છે. સુશાંત સિંહ રાજપુતે પોતાના અભિનય કરિયરની શરૂઆત એકતા કપૂરની ટીવી સિરિયલ કિસ દેશ મેં હે મેરા દિલથી કરી હતી.
એકતા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કિસ દેશ મેં હે મેરા દિલ સીરીયલ સાથે જોડાયેલ સુશાંત સિંહ રાજપૂતમાં પહેલા સીનનો વિડીયો શેર કર્યો છે. આ વીડિયો શેર કરતા એકતા કપૂરે અભિનેતાના ફેન્સ માટે ખાસ કેપ્સન પણ લખ્યું છે. એમને પોસ્ટમાં લખ્યું છે કે “ઘણા બધા લોકો મને સુશાંત સિંહ રાજપૂતના ફર્સ્ટ સીન વિશે વારંવાર પૂછી રહ્યા હતા. આ એમનો પહેલો સીન હતો જેને અમે એમની સાથે શૂટ કર્યો હતો”
એકતા કપૂરે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે “આ કિસ દેશ મેં હે મેરા દિલમાં સુશાંત સિંહ રાજપૂતનો પહેલો સીન હતો જે ટેલિવિઝન પર પ્રસારિત થયો હતો. એ શોમાં સુશાંત સેકંડ લીડ એકટર હતા. હું પ્રાર્થના કરું છું કે એમની આત્માને શાંતિ મળે” સોશિયલ મીડિયા પર એકતા કપૂરની સુશાંત સિંહ રાજપૂત માટેની આ પોસ્ટ અને વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અભિનેતાના ફેન્સ આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
ચેનલની ક્રિએટિવ ટીમ સુશાંતને પવિત્ર રિશ્તામાં લેવા નહોતી માગતી
આ શો બાદ અભિનેતા પોપ્યુલર સિરિયલ પવિત્ર રિશ્તામાં માનવની ભૂમિકામાં જોવા મળ્યો હતો. 2 જૂને, શોએ 11 વર્ષ પૂરા કર્યા છે. આ પ્રસંગે એકતા કહ્યું હતુ કે, ઝીટીવી ચેનલની ક્રિએટિવ ટીમ કોઈ પોપ્યુલર ચહેરાને માનવો રોલ આપવા માગતી હતી પરંતુ એકતા કપૂરે પોતે જ સુશાંતનું નામ આપ્યું હતું. એકતાનું માનવું હતું કે, તેનું સ્મિત લાખો લોકોનું દિલ જીતશે અને આખરે તે બન્યું.
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુનો મામલો આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. એમની મોતની તપાસ મુંબઈ અને બિહાર પોલીસ પછી હવે સીબીઆઈના હાથમાં પહોંચી ગઈ છે. તેમજ આ બાબતે ED અભિનેત્રી રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી રહી છે. સુશાંત સિંહ રાજપૂતની શબ 14 જૂને એમના મુંબઈ સ્થિત ઘરે મળ્યું હતું. એ પછી એમની મોતની તપાસ ચાલુ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,