બોલિવૂડની પ્રતિભાશાળી અને સુંદર અભિનેત્રી તબ્બુ આજે તેનો જન્મદિવસ ઉજવી રહી છે. તબ્બુ 50 વર્ષનો થઈ ગઈ છે અને તેણે અત્યાર સુધીમાં ઇન્ડસ્ટ્રીમાં એકથી એક ચઢિયાતી ફિલ્મ આપી છે. ફિલ્મો ઉપરાંત તબ્બુના અંગત જીવન વિશે પણ જબરદસ્ત ચર્ચાઓ થઈ રહી છે. દરેકને આશ્ચર્ય થાય છે કે આજે પણ આ સુંદર અભિનેત્રી શા માટે સિંગલ છે. તબ્બુએ ખુદ આ સિંગલ સ્ટેટસનો ખુલાસો ઘણા સમય પહેલા કર્યો હતો. આ દરમિયાન તેણે અભિનેતા અજય દેવગણને જિમ્મેદાર ગણાવ્યો હતો.
તબ્બુએ ઘણા સમય પહેલા એક અંગ્રેજી અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અજય દેવગણ તેના સારા મિત્ર છે. આ સાથે, તેમણે એ પણ કહ્યું કે કેવી રીતે અજય દેવગણના કારણે તે આજ સુધી સિંગલ છે. તેણે કહ્યું હતું- ‘અજય અને હું એક બીજાને 25 વર્ષથી ઓળખીએ છીએ, અજય મારા પિતરાઇ ભાઈ સમીર આર્યાનો પાડોશી અને નજીકનો મિત્ર હતો. તે સમયે અમે સાથે ઉછર્યા હતા અને અમારી મિત્રતાનો પાયો નંખાયો હતો.
તેણે કહ્યું કે- ‘જ્યારે હું નાની હતી ત્યારે સમીર અને અજય મારી પર નજર રાખતા હતા. મારો પીછો કરતા અને જો કોઈ છોકરાએ મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો બંને તે છોકરાને માર મારવાની ધમકી આપતા હતા. જેના લીધે કોઈ મારી પાસે આવ્યું જ નહીં અને હું આજે પણ કુંવારી છું, તો તેનું કારણ છે અજય દેવગણ ‘. તે જ સમયે, તેમને એ પણ પૂછવામાં આવ્યું કે શું અજય દેવગણે તમારા લગ્ન કરવાની જવાબદારી લીધી છે? પછી તબ્બુએ હસતાં કહ્યું – ‘હું દર બીજા દિવસે અજયને ફોન કરું છું અને તેને કહું છું કે લગ્ન માટે છોકરો શોધી આપે. તબ્બુએ એમ પણ કહ્યું હતું કે, જો મેલ એક્ટરમાં કોઈને સૌથી વધારે કોઈને માને છે, તો તે અજય દેવગણ છે.
ઉલ્લેખનીય છે કે તબ્બુ અને અજયે ‘વિજયપથ’, ‘હકીકત’, ‘તક્ષક’, ‘દ્રશ્યમ’, ‘ગોલમાલ અગેન’, ‘દે દાન દાન’ જેની અનેક સુપરહિટ ફિલ્મમાં સાથે કામ કર્યું છે. ઘણા લોકોએ અજય દેવગણનું નામ તબ્બુ સાથે પણ જોડ્યું હતું, પરંતુ આ બધી અફવાઓ ખોટી હોવાનું બહાર આવ્યું અને અજયે કાજોલ સાથે લગ્ન કર્યા.
એક કહાની આવી પણ પ્રચલિત છે કે, તબ્બુએ અંદાજે 18 વર્ષ સુધી સાઉથ સુપરસ્ટાર નાગાર્જુનને ડેટ કર્યું હતું. એટલુ જ નહિ, નાગાર્જુન માટે તબ્બુ હૈદરાબાદ પણ શિફ્ટ થઈ ગઈ હતી. નાગાર્જુન સાથે રહેવા માટે તબ્બુએ હૈદરાબાદમાં એક ઘર પણ ખરીદ્યું હતું.
તેઓ અહી સાથે લિવઈન રિલેશનશિપમાં રહેતા હતા. તબ્બુએ નાગાર્જુનના દીકરાને પણ ઉછેર્યો હતો, પરંતુ વાત જ્યારે લગ્નની આવી તો નાગાર્જુન પાછળ હટી ગયા હતા. નાગાર્જુનના પિતા તબ્બુ અને તેના લગ્નને લઈને વિરોધમાં હતા. કારણ કે તબ્બુ મુસ્લિમ હતી, અને ત્યાર બાદ નાગાર્જુને તેમને છોડી દીધા હતા. તબ્બુને છોડ્યા બાદ નાગાર્જુને પિતાની પસંદગી મુજબ એક્ટ્રેસ અમલા સાથે લગ્ન કર્યા હતા. જેના બાદ તબ્બુ કોઈ અન્ય સાથે સંબંધમાં જોડાઈ નહિ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત