દુનિયાભરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લોકો દરેક ચીજોનું સેવન કરે છે. એ હકીકત પણ છે જ કે અત્યારના સમયમાં ઘણા પ્રકારનાં રોગો ફેલાય છે તે મુજબ, રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી જરૂરી છે. લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના ઉપાયો શોધી રહ્યા છે અને ઘરે રહીને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પ્રયાસ કરી રહ્યા છે. રોગપ્રતિકારક શક્તિ વધારવાના ઘરેલુ ઉપાય પણ અસરકારક સાબિત થઈ શકે છે, પરંતુ શું તમે ક્યારેય જાણ્યું છે કે તમે રોગપ્રતિકારક શક્તિ વધારવાના રીતો અપનાવી રહ્યા છો, એમની કેટલીક આદતો ખોટી પણ હોય શકે છે અથવા તમે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારો છો છતાં કેટલીક એવી ચીજોનું સેવન કરો છો જે તમારી રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે. કેટલાક ખોરાક એવા હોય છે જે રોગપ્રતિકારક શક્તિ માટે સૌથી ખરાબ ખોરાક હોઈ શકે છે.
આ તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી તો બનાવશે જ સાથે તમને ઘણી બધી સમસ્યાઓથી ઘેરી શકે છે. કેટલીકવાર અજાણતાં કરવામાં આવેલી ખૂબ જ સરળ ભૂલો પણ રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે અને ઘણા રોગોનું જોખમ વધારી શકે છે. તેથી, નબળી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવવા માટે તંદુરસ્ત જીવનશૈલી સાથે તંદુરસ્ત આહાર લેવો મહત્વપૂર્ણ પણ જરૂરી છે અને એવી વસ્તુઓ જે તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે, તેને તમારા આહારમાં ના લેવી પણ જરૂરી છે. કારણ કે તમારી આ ભૂલ તમને ઘણા જોખમોમાં મૂકી શકે છે.આજે અમે તમને એવી ચીજોના સેવન વિશે જણાવીશું જે અત્યારના સમયમાં ઘણા લોકો કરે છે. આ ચીજોનું સેવન છોડીને તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવો અને સ્વસ્થ રહો.
મીઠું
દરેક લોકોના ઘરમાં મીઠું જોવા જ મળે છે. મીઠા વગરનો ખોરાક આપણને ખુશી વગરના જીવન જેવું લાગે છે. મીઠું આપણા ખોરાકનો સ્વાદ પણ વધારે છે, પરંતુ શું તમે જાણો છો કે વધુ પ્રમાણમાં મીઠાનું સેવન કરવું એ તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. વધારે પ્રમાણમાં મીઠાનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી થાય છે અને તમે ઘણા રોગોનો શિકાર બનો છે. તેથી મીઠાનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું યોગ્ય છે.
મીઠાઈ
વધુ પ્રમાણમાં મીઠાઈનું સેવન કરવાથી તમારા શરીરની ચરબી તો વધે જ છે સાથે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડે છે, તેથી હંમેશા મીઠાઈનું સેવન ઓછું કરવું જ તમારા માટે અને તમારા સ્વસ્થ્ય માટે યોગ્ય છે.
આલ્કોહોલ
કોઈપણ પ્રકારનો નશો તમારી રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે. આ તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી તો બનાવશે જ સાથે ઘણી બધી સમસ્યાઓ પણ પેદા કરી શકે છે. વ્યક્તિએ હંમેશા આલ્કોહોલ અને ધૂમ્રપાનથી દૂર રહેવું જોઈએ. જો તમે પણ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા માંગો છો તો આજથી જ આલ્કોહોલનું સેવન કરવાનું ટાળો.
એનર્જી ડ્રિંક
આ પીણાંનું સેવન બાળકોથી લઈને વૃદ્ધો સુધી અથવા સ્વસ્થ વ્યક્તિ અને અસ્વસ્થ વ્યક્તિ માટે પણ હાનિકારક છે. એનર્જી ડ્રિંક પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ તો નબળી પડે જ છે સાથે તમારા શરીરમાં ઘણી સમસ્યાઓ પણ પેદા થઈ શકે છે. તેથી બને ત્યાં સુધી આ પીણાંથી દૂર રેહવું જ સારું છે.
કેફીન
જે પણ ચીજોમાં કેફીન ઉમેરવામાં આવે તેવી ચીજોથી દૂર રેહવું જોઈએ. આ રોગપ્રતિકારક શક્તિ નબળી બનાવવાની સાથે તમારા સ્વાસ્થ્ય પર પણ ખુબ જ અસર કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત