Site icon News Gujarat

આવનાર સમય તુલા, મકર અને કુંભ રાશિના લોકો માટે સમય રહેશે કેવો? થશે ધનલાભ કે મળશે સફળતા?

આવનાર સમય તુલા, મકર અને કુંભ રાશિના લોકો માટે સમય રહેશે કેવો? થશે ધનલાભ કે મળશે સફળતા?

જ્યોતિષશાસ્ત્ર અનુસાર બધા ગ્રહો સમય સાથે તેમની રાશિના ચિહ્નો બદલતા રહે છે, જેના કારણે બધી રાશિ પર સકારાત્મક અને નકારાત્મક અસર પડે છે. જ્યોતિષવિદ્યાના નિષ્ણાતો કહે છે કે જો કોઈ વ્યક્તિ ની રાશિમાં ગ્રહોની ગતિ યોગ્ય હોય, તો આને કારણે, સુખદ પરિણામો પ્રાપ્ત થાય છે, પરંતુ તેમની ગતિવિધિના અભાવને કારણે જીવનમાં ઘણી સમસ્યાઓ ઉભી થવા લાગે છે. પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે અને તે સતત ચાલે છે. આ રોકવું શક્ય નથી.

image source

17 જુલાઈ સુધી શુક્ર કર્ક રાશિમાં રહેશે. શુક્ર ની આ સ્થિતિ ત્રણ રાશિઓ માટે શુભ બની રહેશે. ત્યાં જ, ત્રણ રાશિ ના જાતકો એ સાવધાન રહેવું અને અન્ય છ રાશિઓ ઉપર તેની મિશ્રિત અસર રહેશે. શુક્રના પ્રભાવ થી દેશની આર્થિક સ્થિતિમા ફેરફાર થવાના યોગ છે. શુક્રના આ રાશિ પરિવર્તન થી બીમારીઓ ના સંક્રમણમા રાહત મળી શકે છે. સાથે જ વાતાવરણમાં પણ ફેરફાર થવાના યોગ બની રહ્યા છે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા મુજબ શુક્ર નું કર્ક રાશિમાં આવવું દેશ માટે શુભ રહેશે. તેના પ્રભાવ થી દેશની આર્થિક સ્થિતિમા સુધાર થવાના યોગ બની રહ્યા છે. જોકે, ધન ની ખોટ પડી શકે છે. પરંતુ દેશ માટે સમય ઠીક રહેશે. કોઈ મોટી અનહોની થવાની શક્યતાઓ નથી. શુક્રના પ્રભાવ થી ભૌતિક સુખ-સુવિધાઓ ઉપર ખર્ચ થાય છે. સાથે જ આ દિવસોમાં અનેક લોકોને આરામ અને સુખ મળી શકે છે.

શુક્રની ચાલમા ફેરફાર થવાથી તુલા, મકર અને કુંભ રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ ત્રણ રાશિઓ ના નોકરિયાત અને બિઝનેસ કરનાર લોકો ને ફાયદો થઈ શકે છે. તમે કરેલા કામકાજના વખાણ થશે અને આગળ વધવા ની તક મળી શકે છે. આ સમય દરમિયાન કિસ્મત નો સાથ મળશે. તમે તમારા દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત કરી શકશો. લવ લાઇફ અને દાંપત્ય જીવનમાં સુખ મળી શકે છે.

કર્ક રાશિમા શુક્રનો પ્રવેશ થવાથી વૃષભ, મિથુન, કર્ક, કન્યા, વૃશ્ચિક અને મીન રાશિ ના લોકો માટે આ સમય મિશ્રિત રહેશે. આ રાશિના લોકોના સ્વાસ્થ્યમાં સુધાર થશે પરંતુ રોજિંદા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. આ સમય દરમિયાન રૂપિયા ખર્ચ થઈ શકે છે. લગ્ન સુખમાં ઘટાડો આવી શકે છે. પાર્ટનર શિપ ને લગતા મામલાઓ ગુંચવાઈ શકે છે. આ સમય દરમિયાન બિઝનેસના જરૂરી નિર્ણયો સમજી વિચારી ને લેવા પડશે.

શુક્ર ના રાશિ પરિવર્તન થી મેષ, સિંહ અને ધન રાશિ ના લોકોએ થોડું સાવધાન રહેવું પડશે. આ રાશિના લોકોના ફાલતૂ ખર્ચ વધી શકે છે. લગ્ન સુખમાં ઘટાડો આવી શકે છે. રહસ્ય ની વાત ઉજાગર થઈ શકે છે. મહેનત વધશે. તમારાથી જુદા લોકો સાથે તમારો સંબંધ ખરાબ થઈ શકે છે. વિવાદ અને ભાગદોડ પણ વધી શકે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Exit mobile version