Site icon News Gujarat

ઉજ્જવલા યોજનામાં આવ્યો નવો નિયમ, જાણો એલપીજી માટે તમારે ક્યાં ખાસ ડોક્યુમેન્ટની જરૂર છે

ઉજ્જવલા યોજના 2.0 ઉત્તર પ્રદેશમાં 25 ઓગસ્ટથી શરૂ કરવામાં આવી છે. સરકારનો દાવો છે કે ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ના પ્રથમ તબક્કા હેઠળ દેશની 8 કરોડથી વધુ મહિલાઓને ચૂલાના ધુમાડાથી આઝાદી મળી છે. બીજા તબક્કામાં રાજ્યની લગભગ 20 લાખ મહિલાઓને આ યોજનાનો લાભ મળશે. સરકારનું કહેવું છે કે આ યોજનાના બીજા તબક્કામાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આ યોજના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સહયોગથી ચલાવવામાં આવી રહી છે. તેનું ધ્યાન મહિલાઓ પર છે. જેથી ગ્રામીણ મહિલાઓને ધુમાડાથી મુક્તિ મળે. તમે નોંધણી કરીને ફ્રી ગેસ સિલિન્ડર કનેક્શન પણ મેળવી શકો છો. તો ચાલો અમે તમને આ વિશે વિગતવાર જણાવીએ.

image source

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના યોજના માટે અરજી કરનાર મહિલાની ઉંમર 18 વર્ષથી ઉપર હોવી જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ વર્ષ 2016 માં આ યોજના શરૂ કરી હતી. ઉજ્જવલા યોજના 2.0 હેઠળ 1 કરોડ નવા ફ્રી ગેસ જોડાણોનું વિતરણ કરવામાં આવશે.

કયા દસ્તાવેજો જરૂરી છે

image soucre

અરજી કરનાર પરિવાર પાસે પહેલાથી જ ઘરે કોઈ એલપીજી કનેક્શન હોવું જોઈએ નહીં. આ સિવાય રાષ્ટ્રીય બેંકમાં ખાતું હોવું જરૂરી છે. જેથી સિલિન્ડર રિફિલિંગ બાદ સબસિડીના પૈસા ખાતામાં આવી શકે. આ વિના કોઈ અરજી કરી શકશે નહીં.

image source

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

પ્રવાસી મજૂરોને રાહત

image source

બીજા તબક્કામાં, એલપીજી કનેક્શન ઉપરાંત, પ્રથમ સિલિન્ડરની રિફિલિંગ પણ મફત રહેશે. આ સાથે ગેસનો ચૂલો પણ આપવામાં આવશે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હો, તો તમે નજીકના એલપીજી વિતરકનો સંપર્ક કરી શકો છો. જો નિવાસી પાસે પ્રમાણપત્ર ન હોય, તો તેમને સ્વ-ઘોષણાનો વિકલ્પ પણ મળશે. આ પગલાથી રોજગાર ધરાવતા લોકો અને પરપ્રાંતિય મજૂરોને મોટી રાહત મળશે.

Exit mobile version