અનુરાગ બાસુની આલિયાને લઈને કરાયેલી ટીપ્પણી પર કેમ ભડકી કરિશ્મા…? જુઓ શું કહ્યું
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂર ના લગ્નને લઈને અવાર નવાર અનેક પ્રકારની વાતો અને ચર્ચા થઈ છે. બંને ઘણા સમય થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. લોકડાઉન પહેલા સમાચાર આવ્યા હતા કે બંને જલદી થી લગ્ન કરી રહ્યા છે.
જો કે કોરોના વાયરસના પગલે તેને ટાળી દેવામાં આવ્યું હતું. એવુ પણ કહેવામાં આવી રહ્યું છે કે, ઋષિ કપૂર તેના દિકરા રણબીર કપૂર ના લગ્ન તેની આંખે જોવા માગતા હતા. પરંતુ એપ્રિલ મહીનામાં જ તે દૂનિયા છોડી ચાલ્યા ગયા છે. હવે આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથે લગ્ન કરવાને લઈને એક મોટી જાહેરાત કરી દીધી છે.
બોલિવૂડ ના સુપરસ્ટાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ના સંબંધમાં આવ્યા ને ઘણો સમય થઈ ગયો છે. હવે તેમના લગ્ન ને લઈને ઘણી અટકળો ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ બ્રહ્માસ્ત્ર રિલીઝ થાય તે પહેલાં આલિયા અને રણબીર લગ્ન કરી શકે છે. જોકે જ્યારે શોના જજ અનુરાગ બાસુ એ સુપર ડાન્સર ચેપ્ટર ચાર માં કરિશ્મા કપૂર ની સામે આલિયા અને રણબીર વિશે વાત કરી ત્યારે કરિશ્માએ આ પ્રશ્ન પર રસપ્રદ પ્રતિક્રિયા આપી હતી.
પરંતુ કરિશ્મા કપૂરે જ્યારે પોતાના કપૂર પરિવારના કલાકારોના નામ પૂછ્યા ત્યારે તેમણે આખી યાદી બનાવી હતી, જેમાં પૃથ્વીરાજ કપૂર થી માંડીને રાજ કપૂર, શમ્મી કપૂર અને શશી કપૂર અને તેમના બાળકો સુધીના નામો સામેલ હતા. કરિશ્મા એ રણબીર કપૂર, આદર્શ જૈન, અરમાન જૈન અને જહાં કપૂર સહિત ના કલાકારો ની આજ ની પેઢીનું નામ પણ આપ્યું હતું. ત્યારે શોના જજ અનુરાગ બાસુએ કહ્યું કે આલિયા ને પણ ગણતરીમાં સામેલ કરો. તે પણ આ પરિવાર નો ભાગ બની ગઈ છે.
Aaj ki performances me hone vala hai #SuperDancers ka swag, sensational style, lajawaab expressions and @KarismaKapoor ke filmy moves.
Dekhiye #KarismaKapoorSpecial on #SuperDancerChapter4, aaj raat 8 baje, Sony par. @geetakapur @basuanurag pic.twitter.com/GCW8bf7HNK
— sonytv (@SonyTV) July 25, 2021
કરિશ્મા કપૂરે જવાબ આપ્યો
અનુરાગ બાસુ ની વાત પર કરિશ્મા કપૂર હસી પડી. તેણે પોતાના હોઠ કેમેરા પર લોક કરવાની કાર્યવાહી કરી, જેનો અર્થ એ છે કે તેણે પ્રેમ થી વાત કરવાનું ટાળ્યું અને કોઈ ટિપ્પણી કરવા નો ઇનકાર કર્યો. કરિશ્મા કપૂર ની સ્ટાઇલ જોઈને બધા જોર થી હસી પડ્યા. આલિયા અને રણબીરે શરૂઆતમાં તેમના સંબંધો પર કોઈ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું પરંતુ હવે બંને મીડિયા ની સામે સાથે જોવા મળે છે.
તે પહેલા જ લગ્ન થઈ જાત
રણબીરે કહ્યું હતું કે ૨૦૨૧ થી તે કેટલાક સારા સમાચાર ની અપેક્ષા રાખે છે. કોરોના ને કારણે તેમના આયોજન મુજબ ઘણી વસ્તુઓ કરી શકાતી ન હતી.
પર્સનલની સાથે પ્રોફેશનલ લાઇફમાં પણ જોવા મળશે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ટૂંક સમયમાં ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ માં સાથે જોવા મળશે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે પ્રેમ ની શરૂઆત થઈ હતી. બ્રહ્માસ્ત્ર એ અયાન મુખર્જી દિગ્દર્શિત બોલિવૂડ સુપર હીરો ફિલ્મ છે. તેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમજ અમિતાભ બચ્ચન, મૌની રોય અને અક્કિને ની નાગાર્જુન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.