ડ્રગ્સ કેસના કારણે અનન્યાના હાથમાંથી સુપરસ્ટારની ફિલ્મ સરકી ગઈ, જાણો શું છે આ હકીકત

બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગના કેસમાં ફસાયા બાદ હવે અનન્યા પાંડેનું નામ પણ આ કેસ સાથે જોડાયું છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ અત્યાર સુધીમાં અનન્યા પાંડેની કુલ 2 વખત પૂછપરછ કરી છે અને હવે તેને સોમવારે પણ પૂછપરછ માટે બોલાવવામાં આવી છે. આ કેસમાં પકડાયા બાદ અનન્યા પાંડે તેની બ્રાન્ડ વેલ્યુમાં ઘટ્યા હોવાના પણ અહેવાલો છે. આ કેસમાં અનન્યા પાંડેનું નામ આવતા તેના કરિયરમાં ઘણું નુકસાન થઈ રહ્યું છે અને આ નુકસાનની શરૂઆત તેણે એક ફિલ્મ ગુમાવીને કરી છે.

અનન્યાના હાથમાંથી મોટી ફિલ્મ સરકી ગઈ

image soucre

એવા પણ અહેવાલ છે કે ડ્રગ્સના કેસમાં ફસાયા બાદ અનન્યા પાંડેના હાથમાંથી એક મોટી ફિલ્મ સરકી ગઈ છે. આ ફિલ્મમાં તે સાઉથના સુપરસ્ટાર વિજય સાથે થલાપથીમાં જોવા મળવાની હતી. સોશિયલ મીડિયા પર એવા અહેવાલો વાયરલ થઈ રહ્યા છે કે અભિનેત્રી અનન્યા પાંડેને સાઉથના સુપરસ્ટાર વિજયની આગામી ફિલ્મ થલાપથી 66 માંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે.

જાણો મામલા પાછળનું સત્ય શું છે ?

image socure

તો શું અનન્યા પાંડેએ બગડતી છબીને કારણે ખરેખર તેની પ્રથમ કોલીવૂડ ફિલ્મ ગુમાવી છે ? સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘અનન્યા પાંડેને આ પ્રોજેક્ટની ઓફર પણ કરવામાં આવી નથી. તો તેને આ ફિલ્મમાંથી કેવી રીતે દૂર કરી શકાય ? આ માત્ર ખોટી અને પાયાવિહોણી વાત છે. અનન્યા પાંડે પાસે ઘણા રસપ્રદ પ્રોજેક્ટ છે અને તે તેમાં વ્યસ્ત છે. થલાપથી 66 વિશે કોઈ વાત થઈ નથી.

અનન્યા પાંડે વર્ક ફ્રન્ટ પર શું કરી રહી છે ?

image soucre

તમને જણાવી દઈએ કે અભિનેત્રી અનન્યા પાંડે આજકાલ પોતાની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘લાઈગર’ ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે ટોલીવુડ સુપરસ્ટાર વિજય દેવરકોંડા સાથે લીડ રોલમાં જોવા મળશે. જગન્નાથ પુરી આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. જ્યારે આ ફિલ્મને ચાર્મી કૌર અને કરણ જોહર સહ-નિર્માણ કરી રહ્યા છે.

image soucre

ડ્રગ્સ કેસમાં હકીકતમાં અનન્યા પાંડે પણ ગુનેગાર છે કે નહીં એ અંગે NCB ની તપાસ ચાલુ છે, પણ કહેવાય છે કે આર્યન ખાન કેસમાં અનન્યા પાંડેના મેસેજ આર્યન ખાનના ફોનમાંથી મળ્યા છે, તેથી આ કેસમાં અનન્યા પાંડેનું નામ પણ મોખરે છે.