વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમા આ રીતે લગાવો હનુમાનજીની આ તસવીરો, મળશે એવા લાભ કે જાણીને રહી જશો દંગ…

પવનપુત્ર અને શ્રી રામભક્ત હનુમાન કળિયુગના દેવતા છે. ભગવાન હનુમાન સાક્ષાત અને જાગૃત દેવતા છે. હનુમાનજી બહુ જલ્દી પ્રસન્ન થનાર ભગવાન છે. આ સાથે જ તેમની પૂજા પણ સરળ માનવામાં આવે છે. જો કે, ભગવાન હનુમાનની પૂજા કરવા માટે કેટલાક ખાસ નિયમો છે, જેને મુશ્કેલ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે, હનુમાનજીની ઉપાસના જેટલી સરળ છે તેટલી જ અઘરી છે.

image source

હનુમાનજી ની પૂજામાં ભક્તોએ બ્રહ્મચર્ય નું પાલન કરવાની સાથે સારા ચરિત્ર નું પણ ધ્યાન રાખવું પડે છે. ભગવાન હનુમાન ની સાધના કરવાથી જલ્દી જ જીવનમાં મુશ્કેલીઓ સમાપ્ત થાય છે, અને મનને સુખ અને શાંતિ મળે છે. હનુમાનજી ની પૂજા કરવાથી શક્તિ, બુદ્ધિ અને વિદ્યા પ્રાપ્ત થાય છે.

એવું માનવામાં આવે છે કે જે ઘરોમાં હનુમાનજી ની પ્રતિમા ઊભી કરવામાં આવે છે, અને નિયમિત પૂજા કરવામાં આવે છે ત્યાં શનિ દોષ, પિતૃ દોષ અને ભૂતિયા વેમ્પાયર નો ડર અને દોષ હોતો નથી. હનુમાનજી ની તસવીરો ઘરે ક્યાં અને કેવી રીતે મૂકવી તે અંગે કેટલાક નિયમો છે.

હનુમાન શ્રીરામ ભજન કરી રહ્યા છે

image source

જો આ ચિત્ર તમારા ઘરમાં હશે તો તમને ભક્તિ અને શ્રદ્ધાનો સંચાર થશે. આ ભક્તિ અને શ્રદ્ધા તમારા જીવનની સફળતાનો આધાર છે.

પંચમુખી હનુમાન

વાસ્તુશાસ્ત્ર અનુસાર પંચમુખી હનુમાનજી ની તસવીર જે ઘરમાં હોય છે, ત્યાં વિકાસના રસ્તાઓ ખૂલે છે અને કામમાં આવતી અડચણો દૂર થાય છે. ધન-સંપત્તિમાં વધારો થાય છે.

કઈ દિશામાં લગાવવી હનુમાનજીની પ્રતિમા

image source

વાસ્તુ અનુસાર હનુમાનજી હંમેશાં દક્ષિણ દિશામાં દેખતા હોય એ રીતે પ્રતિમા લગાવવી જોઇએ. આ ચિત્ર બેસેલી મુદ્રામાં હોય અને લાલ રંગના હનુમાનજી હોવા જોઇએ. હનુમાનજી ની પ્રતિમા દક્ષિણ દિશામાં આવતી દરેક પ્રકાર ની નકારાત્મક શક્તિને રોકે છે. જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

બેડરૂમમાં ન લગાવવી હનુમાનની તસવીર

શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર હનુમાનજી બાળ બ્રહ્મચારી હતા, માટે હનુમાનજી ની તસવીર બેડરૂમમાં ન લગાવવી જોઇએ. તસવીર મંદિર કે બીજી કોઇ પવિત્ર જગ્યાએ રાખવી જોઇએ.

ભૂત-પ્રેતથી બચવા માટે

image source

ઘણા લોકોને એમ લાગતું હોય છે કે, તેમના ઘર પર નકારાત્મક શક્તિઓની અસર છે, તો તેમણે હનુમાનજીની શક્તિ પ્રદર્ષન કરતી તસવીર લગાવવી જોઇએ. પંચમુખી હનુમાનજી ની તસવીર મુખ્ય દ્વાર પર પણ લગાવી શકાય છે કે એવી કોઇ જગ્યાએ લગાવી શકાય, જ્યાં બધાંની નજર પડે. આમ કરતાં ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશતી અટકે છે.

બેઠક ખંડમાં લગાવો હનુમાનજીની આવી તસવીર

ઘરના બેઠકખંડમાં શ્રીરામ દરબાર ની તસવીર લગાવવી જોઇએ, જેમાં હનુમાનજી પ્રભુ શ્રીરામનાં ચરણોમાં બેઠેલા હોય. આ સિવાય બેઠકરૂમમાં પંચમુખી હનુમાનજી ની તસવીર, પર્વત ઉઠાવીને જઈ રહેલ હનુમાનજી ની તસવીર કે શ્રીરામ ભજન કરતા હનુમાનજી ની તસવીર લગાવવી જોઇએ. આમાંથી કોઇ એક તસવીર લગાવી શકાય છે.

પર્વત ઉઠાવીને જઈ રહેલ હનુમાનજીની તસવીર

image source

આ ચિત્ર તમારા ઘરમાં હશે તો સાહસ, બળ, વિશ્વાસ અને જવાબદારીનો વિકાસ થશે. તમે કોઇપણ પરિસ્થિતિત્થી ગભરાશો નહીં. દરેક મુશ્કેલી બહુ નાની લાગશે અને તેનું સમાધાન બહુ જલદી મળી શકે.