આ રાશિઓ પર રહે છે ગણપતિ બાપ્પાની વિશેષ કૃપા, જાણો કઈ રાશિઓને થશે ફાયદો
દર વર્ષે ભદ્રપદ મહિનામાં શુક્લ પક્ષના ચોથા દિવસે ગણેશ ચતુર્થી નો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસથી ગણેશ મહોત્સવની શરૂઆત અંદર જ થાય છે. દેશભરમાં ગણેશ ચતુર્થી ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવે છે. ગણપતિ ભગવાન પ્રથમ પૂજ્ય ભગવાન છે. ગણપતિ ની કૃપાથી વ્યક્તિ ના જીવનમાં આનંદની ભરચકતા હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં બાર રાશિઓ નું વર્ણન છે.
આ બાર રાશિઓ માંથી કેટલીક રાશિઓ પર ભગવાન ગણેશ ના આશીર્વાદ રહે છે. દરેક શુભ કાર્ય પહેલાં દેવોમાં પ્રથમ આદરણીય ભગવાન ગણેશ ની પૂજા કરવાનો નિયમ છે. ભગવાન ગણેશ ની પૂજા કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ નષ્ટ થઈ જાય છે. આથી તેમને વિઘ્નહરતા ગણેશ તરીકે પણ ઓળખવામાં આવે છે.
પ્રથમ પૂજ્ય ભગવાન ગણેશ બુદ્ધિ ના દેવતા છે, જેમને પણ તેઓ આશીર્વાદ આપે છે, તે વ્યક્તિ પોતાની શાણપણ થી જગ જીતી લે છે. કહેવાય છે કે, ગણેશજી ની સ્થાપના દરમિયાન ભગવાન ગણેશ પાસે ભક્તિ-ભાવથી જે મનોકામના માંગો તેને તેઓ જરૂર પૂરી કરે છે.
તેમની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે, અને વ્યક્તિ ને ક્યારેય ધનની અછત રહેતી નથી. જો કે, જ્યોતિષ અનુસાર ત્રણ રાશિઓ છે, જેના પર ભગવાન ગણેશ ની વિશેષ કૃપા હોય છે. ચાલો આજે જાણીએ તે રાશિઓ વિશે, જે ગણપતિ બાપ્પાને પ્રિય છે.
મેષ રાશિ :
આ રાશિ ના લોકો પર હંમેશા ગણપતિજી ની કૃપા રહે છે, તેથી આ લોકો ખૂબ જ હિંમતવાન અને બુદ્ધિશાળી હોય છે. તેમના આ ગુણો તેમને તેમના કાર્યોમાં સફળતા અપાવે છે. આ લોકો જોખમ લેતા અચકાતા નથી. આ લોકો એ હંમેશા તેમના ઈષ્ટ દેવની જેમ ભગવાન ગણેશ ની પૂજા કરવી જોઈએ.
મિથુન રાશિ :
આ રાશિ ના જાતકો પર ગણપતિજી ની કૃપા તેમને બુદ્ધિશાળી બનાવે છે. સામાન્ય રીતે આ રાશિના લોકો વાંચન અને લેખનમાં ખૂબ સારા હોય છે, તેથી તેઓ શાળાના દિવસોથી જ પોતાની છાપ છોડી જાય છે. આ લોકો ખૂબ જ દયાળુ પણ હોય છે.
મકર રાશિ :
આ રાશિના જાતકો ગણપતિજી ની કૃપાથી બુદ્ધિશાળી હોવાની સાથે-સાથે મહેનતું પણ હોય છે. આ કારણો સર કામ કરવાની કુશળતા, યોગ્ય આયોજન અને સખત મહેનત તેમને દરેક ક્ષેત્રમાં સફળતા અપાવે છે. સામાન્ય રીતે આ રાશિ ના જાતકો ને શિક્ષણ ક્ષેત્રે સારી સફળતા મળે છે.