આ 2 દિવસોએ લોટ દળાવવાથી થશે ઘરમાં રૂપિયાનો વરસાદ, જાણી લો ખાસ ઉપાયો
ઘણી વાર આપણે જોયું છે કે અનેક સંપન્ન પરિવારોમાં પણ આર્થિક તંગી હોય તેવું બને છે. એટલે કે ગરીબી અને આર્થિક તંગીને કોઈ સંબંધ નથી. અનેક પરિવારો એવા છે જે ધનની ખામીને લઈને પરેશાન રહે છે. તેઓ તેને દૂર કરવા અનેક ટોટકા પણ અજમાવી લેતા હોય છે. આજે આપણે અહીં સરળ એવા ઘઉંના લોટની મદદથી કેટલાક ઉપાયો કરીશું અને તેનઆથી આર્થિક તંગીને દૂર કરવાના પ્રયાસ કરીશું. તો જાણો શું કરવાથી તમારી આર્થિક મુશ્કેલીઓ ઝડપથી ઉકેલાઈ જાય છે.
જ્યારે તમે લોટ દળાવવા જાઓ છો તો તુલસીના 11 પાન ઘઉંમાં નાંખો. એક લાલ થેલીમાં કેસરના 2 પાન અને થોડા ઘઉંને લઈને મંદિરમાં મૂકો, આ પછી તેને પણ દળાવવા માટેના ઘઉંમાં મૂકો. ઘનમાં બરકત આવશે અને ઘરમાં લક્ષ્મીનો વાસ રહેશે. ધ્યાન રાખો લોટ સોમવાર અને શનિવારે જ દળાવો.
જો તમે કોઈ સગા કે સંબંધીને દાન કર્યું છે અને તે પરત નથી કરી રહ્યા તો 21 શ્વેત ચિતકબરી કોડીઓને પીસી લો અને તેનો ભૂકો તેના દરવાજાની આગળ ફેલાવી લો. તમે 43 દિવસ સુધી આ કામ કરો છો તો તે વ્યક્તિ તમારું ધન પરત આપી દેશે.
ઘઉંના લોટમાં થોડી હળદર મિક્સ કરો અને ગુરુવારે ગાયને ખવડાવો. આમ કરવાથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા ખતમ થાય છે અને ઘરમાં ધન આવવાનું શરૂ થાય છે. જે ઘરમાં રૂપિયા અટકતા નથી તેઓ માટે પણ આ ઉપાય અસરકારક છે. આ સિવાય રોજ તમે કીડીઓને લોટ ખવડાવો તે પણ લાભદાયી રહે છે.
શનિવારના દિવસે કાળા શ્વાનને સરસિયાના તેલમાં ચોપડેલી રોટલી ખવડાવો. આમ કરવાથી શનિ સંબંધિત મુશ્કેલીઓ દૂર થાય છે અને સાથે તમે કોઈ ઉધારીમાં ફસાયા છો તો તેમાંથી પણ ઝડપથી રાહત મળે છે. એટલું જ નહીં તમારી અનેક મનોકામનાઓ પૂરી કરવામાં પણ તમને મદદ મળે છે.
શનિવારે ઘંટીમાં લોટ દળાવો. આ સમયે તમે તેમાં 100 ગ્રામ કાળા ચણા, 100 ગ્રામ તુલસી, 2 દાણા કેસરના પણ મિક્સ કરો. આ લોટની રોટલી ઘરના દરેક સભ્યોને ખવડાવો. અજાણતાં જ તમને મોટો ફાયદો મળી શકે છે અને ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે.
નાના પણ કામના આા ઉપાયો કરી લેવાથી તમારી આર્થિક તંગી દૂર થાય છે અને આવકના નવા સ્ત્રોત ખૂલી જાય છે. આ સિવાય તેનાથી ઘરના સભ્યો વચ્ચે મનમેળ બની રહે છે અને ઘરમાં ખુશીઓ આવે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત