જો તમે એક વાર કરી લેશો આ ઉપાયો, તો ક્યારે નહિં પડે ધંધામાં કોઇ તકલીફ અને થશે કમાણી જ કમાણી
મિત્રો, દરેક વ્યક્તિની આજીવિકા માટે રોજગાર એ અત્યંત આવશ્યક છે. જેમની પાસે આજીવિકાનુ યોગ્ય સાધન છે, તે સુખી અને સંતુષ્ટ જીવન જીવશે. જ્યારે કોઈ વ્યક્તિ પાસે રોજગાર ના હોય ત્યારે તેણે નાની-નાની જરૂરિયાતો માટે સંઘર્ષ કરવો પડે છે. જેના કારણે વ્યક્તિ માનસિક રીતે પણ અસ્વસ્થ બની જાય છે.
આ કારણોસર જ દરેક વ્યક્તિ સારુ કામ અથવા વ્યવસાય કરવા ઈચ્છે છે. જો તમે પણ સારી એવી નોકરી શોધી રહ્યા છો અથવા વ્યવસાય કરવા ઈચ્છો છો પરંતુ, અમુક સમસ્યાઓના કારણે તમે તમારો વ્યવસાય શરુ કરી શકતા નથી તો આજે અમે તમને અમુક વિશેષ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને અજમાવવાથી તમારી તમામ સમસ્યાઓનો અંત આવશે તો ચાલો જાણીએ કઈ છે આ સમસ્યાઓ.
જો તમારી પાસે કોઈ રોજગાર નથી અથવા જેના માટે તમે સતત પ્રયત્ન કરી રહ્યા છો તે વ્યવસાય અટકી ગયો છે એટલે કે મહેનત પ્રમાણે તમને ફળની પ્રાપ્તિ થઇ રહી નથી તો મંગળવારના રોજ વહેલી સવારે કે સાંજે પ્રભુ શ્રી બજરંગબલીના મંદિરમા જઈને તેમની સામે બેસીને સુંદરકાંડનુ પઠન કરો. આ ઉપાયને શરૂ કરવા માટે હનુમાન જયંતીનો દિવસ પસંદ કરવો ખૂબ જ ઉત્તમ રહેશે.
આ સિવાય જો તમે યોગ્ય નોકરીની શોધમા હોવ અથવા તો તમારે ઇન્ટરવ્યૂ આપવાનો હોય તો પ્રભુ શ્રી બજરંગબલીના મંદિરમા જઈને તેને પ્રભુ શ્રી બજરંગબલીના ચરણોમા અર્પણ કરો અને ત્યારબાદ સફળતા માટે પ્રાર્થના કરો. જ્યારે તમે ઘરે પરત ફરી રહ્યા હોવ ત્યારે આ રૂમાલને તમારી સાથે પાછો લાવો.
હવે જ્યારે પણ તમે નોકરી માટે ઇન્ટરવ્યૂ લેવાનો હોય ત્યારે આ રૂમાલ તમારી સાથે લઈ લો. અમુક માન્યતા એવી છે કે, આ ઉપાય તમને સફળતા આપે છે. એ વાત ધ્યાનમા રાખવી કે આ રૂમાલ સાફ રાખવો જોઈએ અથવા અન્ય કોઈપણ કામ એવા ના કરવા જોઈએ જેનાથી તમને હાની પહોંચે છે.
રોજગાર અથવા વેપાર સાથે સંકળાયેલ સમસ્યાઓને દૂર કરવા માટે દરરોજ હનુમાન ચાલીસાનુ મંત્રોચ્ચારણ કરવુ જોઈએ, તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત દર મંગળવારે હનુમાનજીના મંદિરે જઈને દર્શન કરવા જોઈએ. જો તમને નોકરી ન મળી રહી હોય અથવા વેપારમાં નુકસાનનો સામનો કરવો પડી રહ્યો હોય તો શનિવાર કે મંગળવારે હનુમાનજીને ચોલા અર્પણ કરવા જોઈએ અને હનુમાનજીને અગિયાર મંગળવાર સુધી પાન અને સોપારી પણ અર્પણ કરવી જોઈએ. આ ઉપાય અજમાવવાથી તમારી તમામ મુશ્કેલીઓ અને સમસ્યાઓ દૂર થશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,