કોરોનામાં વિચિત્ર ચિત્ત ભ્રમ અંગે સામે આવ્યું ચોંકાવનારું પરિણામ, શું હોય છે ચિત્તભ્રમ
કોરોના મહામારી દરમિયાન લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ કોરોના મહામારીની તેમના માનસપટ
પર ઘણી ઊંડી અસર પડી છે. કોરોના વાયરસની આવી અસરના લીધે આજના સમયમાં ઘણા બધા લોકોને અવનવા ભ્રમોનો શિકાર
થયા છે. ઉદાહરણ, ખાવાની વસ્તુઓમાં કોરોના વાયરસની આકૃતિ દેખાવી, કોરોના વાયરસને સંબંધિત વિચિત્ર સપનાઓ આવવા,
પોતાની ચારેબાજુ વાયરસ જ દેખાય વગેરે… આ તમામ બાબતો ચિત્તભ્રમમાં સામેલ કરી શકાય છે.
ચિત્તભ્રમ એટલે શું?
ચિત્તભ્રમ એટલે તદ્દન ખોટી, પાયા વગરની માન્યતાઓને વળગી રહેવું અને જે બાબતને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ હોવો નહી.
ચિત્તભ્રમને ચોક્કસપણે ખોટી માન્યતા તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે કેમ કે, તે હકીકત છે નહી.
ચિત્તભ્રમની માનસિક સ્થિતિ એકાએક ઉત્પન્ન થાય છે. વ્યક્તિની માનસિક સ્થિતિઓમાં પરિવર્તન આવે છે જેના લીધે તે
અવ્યવસ્થિત અને વિચલિત કામ કરવા લાગે છે. ચિત્તભ્રમ પુખ્તવયની વ્યક્તિઓમાં વધારે જોવા મળે છે, તેમાં પણ ઉન્માદ ધરાવતા
વ્યક્તિઓને વધારે ભ્રમનો અનુભવ થાય છે. ચિત્તભ્રમ ધરાવતી વ્યક્તિને ફરીથી સ્વસ્થ થવા માટે તાત્કાલિક સારવારની જરૂરિયાત
હોય છે.
ચિત્તભ્રમ કેટલીક વાર વ્યક્તિનું સામાજિક સ્તર, આસપાસનું વાતાવરણ, શિક્ષણ, બાળ ઉછેર, દિમાગના ન્યુરોટ્રાન્સમીટર્સમાં થતા
વધારા- ઘટાડા, વારસાગત બીમારી, કૌટુંબિક ઝઘડા વગેરે બાબતો પર પણ આધારિત હોય છે.
પ્રકાર
ચિત્તભ્રમ ઘણાબધા પ્રકારના હોય છે. જેમ કે, શારીરિક (Somatic) ભ્રમ ધરાવતા વ્યક્તિઓ એવું માનવા લાગે છે કે, તેમની
ચામડીની નીચે શારીરિક સંવેદનાઓ કે પછી શારીરિક નિષ્ક્રિયતાનો અનુભવ કરે છે. આવી વ્યક્તિઓ કોઈ સાધારણ તબીબી
સ્થિતિમાં કે પછી ખામીથી પીડાઈ રહ્યા હોય છે. કોઈ ચેપ લાગી ગયો હોય, શરીરનો કેટલોક ભાગ નિષ્ક્રિય થઈ ગયો હોય, ત્યારે કોઈ
એવું માનવા લાગે છે કે, તેમના શરીરમાં પરોપજીવીઓ રહે છે વગેરે. આવી વ્યક્તિઓ સોમેટિક ભ્રમથી પીડાઈ રહ્યા હોય તેવી
સંભાવના છે.
મહાનતા ચિત્તભ્રમમાં વ્યક્તિ પોતાને મહાન શક્તિશાળી માનવા લાગે છે, તેમની પાસે દૈવીય શક્તિઓ છે, તેઓ પોતે સર્વશ્રેષ્ઠ છે,
એવું માનવા લાગે છે, આવી વ્યક્તિઓ વધારે પડતી ધાર્મિકતા બતાવવા લાગે છે. આવા ઘણા બધા મહાનતા દર્શાવતા વિચારો અને
વર્તન કરતા વ્યક્તિ જોવા મળે છે. ઉ.દા., આપણા સમાજમાં કેટલીક વ્યક્તિઓ એવું કહેતા હોય છે કે, તેઓ પોતે ભગવાનના
સાક્ષાત અવતાર છે. ઈરટોમેનિક ચિત્તભ્રમમાં વ્યક્તિને કોઈ ચોક્કસ વ્યક્તિના પ્રેમમાં હોય છે તેવો અનુભવ થાય છે. જેલસી
ચિત્તભ્રમમાં પતિ- પત્નીને એકબીજાના ચારિત્ર્ય પર વહેમ કે પછી શંકા કરતા હોય છે.
ચિત્તભ્રમ થવાના કારણો:
- -કોઈ બનાવ વિષે વધારે વિચારવાથી,
- -રોગ થવાના ભયથી.
- -દારૂ અથવા ગેરકાયદેસર ડ્રગ્સ, ઝેરી દવા, ઓવરડોઝ કે પછી પીછેહઠ કરવાથી.
- -ન્યુમોનિયા, સેપ્સિસ અને પેશાબની નળીઓનો વિસ્તાર થવાથી, ચેપ જેવા ચેપ પ્રત્યે ઘણી તીવ્ર પ્રતિક્રિયા.
- -વાતાવરણમાં ફેરફાર થવાથી.
- -દવાઓની આડઅસર.
- -આંતરસ્ત્રાવીય સમસ્યાઓ (જેમ કે, હાઈપરથાઈરોઈડીઝ્મ કે પછી હાઈપોથાઈરોડીઝ્મ).
- -હોસ્પિટલમાં એડમિટ થવું કે પછી ઓપરેશન કરવામાં આવ્યું હોય ત્યારે.
- -કીડની અથવા યકૃતની ઈજા અથવા નિષ્ફળતા.
- -પેશીઓમાં ઓક્સિજનની કમી થવાના લીધે.
- -પુરતી ઊંઘ નહી મળવાથી.
- -અસહ્ય દુઃખાવો.
લક્ષણો:
- -નશામાં હોય તેવું વર્તન કરે છે.
- -મૂળભૂત લક્ષણો પર ધ્યાન આપવામાં અસમર્થ હોવું.
- -લક્ષણો સાંજના સમયે વધારે ખરાબ થવાનું વલણ ધરાવે છે, જે સનડાઉનિંગ લક્ષણ તરીકે જાણવામાં આવે છે.
- -સપના દરમિયાન અલગ અલગ શારીરિક હરકતો પણ કરતા હોય છે.
- -શરીરના તાપમાનમાં વધારો થવો, ધ્રુજારી થવી, હાર્ટબીટ વધી જવી, શરીર પર પરસેવો થવો.
હાયપરએક્ટીવ ચિત્તભ્રમના લક્ષણો:
- -અસ્પષ્ટ ભૂમિકા.
- -ચિંતા અને બેચેની.
- -અસ્વસ્થતા.
- -ભુલભુલામણીઓ.
- -લાગણીઓ જલ્દી બદલાઈ જવી.
- -સતત ભયનો અનુભવ.
- -ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યા આવવી.
હાઈપોએક્ટીવ ચિત્તભ્રમના લક્ષણો:
- -ઉદાસીનતા.
- -ઓછી પ્રતિક્રિયાઓ આપવી.
- -આળસ.
- -ક્યાય મન લાગવું નહી.
ઉપચાર:
ચિત્તભ્રમની સારવાર કાઉન્સેલિંગ, સાયકોથેરાપી, પારિવારિક ઉપચાર, વર્તન સુધારણા પદ્ધતિ વગેરેથી કરી શકાય છે.