આદિત્ય નારાયણના જન્મદિવસ પર જાણી લો કયા ફેમસ ગીત છે તેમની પસંદ
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા સિંગર ઉદિત નારાયણના દીકરા આદિત્ય નારાયણને સંગીત વિરાસ્તમાં મળ્યું છે. પુત્રના લક્ષણ પારણામાં જ દેખાઈ ગયા હતા, 4 વર્ષની રમવા કુદવાની ઉંમરમાં જ્યારે આદિત્યએ માઇક પકડી લીધું તો પપ્પા ઉદીતને વિશ્વાસ થઈ ગયો કે એમનો દીકરો મોટું નામ કરશે.6 ઓગસ્ટ 1987માં મુંબઈમાં જન્મેલા આદિત્યએ ઘણી હિટ ફિલ્મોમાં ચાઈલ્ડ એકટર તરીકે કામ કર્યું છે. જો કે લીડ એકટર તરીકે ઓળખ ન બનાવી શક્યા પણ એક સફળ પ્લેબેક સિંગર હોવાની સાથે સાથે એ જાણીતા હોસ્ટ પણ છે. હાલના દિવસોમાં આદિત્ય નારાયણ ઇન્ડિયન આઇડલ 12 શોને મજેદાર અંદાજથી હોસ્ટ કરીને દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. આજ એમનો જન્મદિવસ છે અને આ અવસર પર ચાલો જાણી લઈએ એમના ગાયેલા પાંચ ગીતો વિશે.
આદિત્ય નારાયણને કાયદેસર સંગીતની શિક્ષા અપાવવામાં આવી છે. કલ્યાણજી વિરજી શાહ પાસે એમને સિગિંગ શીખ્યું છે. આદિત્યએ પહેલી વાર એમના પિતા ઉદિત નારાયણ સાથે આમિર ખાનની ફિલ્મ અકેલે હમ અકેલે તુમ માટે ગીત ગાયું હતું.
વર્ષ 2009માં આવેલી ફિલ્મ શાપિતમાં આદિત્ય નારાયણે લીડ રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મ માટે આદિત્ય નારાયણે ચાર ગીત પણ લખ્યા હતા અને ગાયા પણ હતા. ફિલ્મનું ગીત ચાહતા કિતના તુમકો દિલ ખૂબ જ ફેમસ થયું હતું.
વર્ષ 2013માં આવેલી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની સુપરહિટ ફિલ્મ ગોલીયો કી રાસલીલા રામ લીલાનું ફેમસ ગીત રામજી કી ચાલ દેખોને સફળ બનાવવામાં આદિત્ય નારાયણના અવાજનો પણ હાથ હતો.
દિવંગત એકટર સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ દિલ બેચારામાં એમનું ગાયેલું ગીત મેરા નામ કિઝી ખૂબ જ હિટ થયું.
એ સિવાય મ્યુઝિક આલ્બમ મેં ડુબા રહુંનું ગીત મેં ડુબા રહું તેરે પ્યારમે પણ લોકોને ખૂબ જ પસંદ પડ્યું.
આદિત્ય નારાયણે વર્ષ 1996માં રિલીઝ થયેલી ફિલ્મ માસૂમની ગીત છોટા બચ્ચા જાન કે ગાયું તો એ હદે હિટ થયું કે લોકોને લાગવા લાગ્યું કે પિતાના સંગીતની વિરાસતને આદિત્ય આગળ વધારશે. તમને જણાવી દઈએ કે આદિત્ય નારાયણે ચાઈલ્ડ તરીકે 100થી વધુ ગીતો ગાયા છે. એ સિવાય આદિત્ય નામથી આલ્બમ પણ રીલીઝ થયો હતો. આદિત્યનું સૌથી લોકપ્રિય સોંગ વર્ષ 1996માં આવેલી ફિલ્મ માસુમનું છે. આદિત્ય નારાયણે અત્યાર સુધી 16 ભાષાઓમાં ગીત ગાયા છે.
જો કે આદિત્ય નારાયણ એમના પિતા ઉદિત નારાયણની જેમ હજી ફેમસ નથી થઈ શક્યા પણ એક પોપ્યુલર હોસ્ટ જરૂર બની ગયા છે. આદિત્ય નારાયણે પોતાની ગર્લફ્રેન્ડ શ્વેતા સાથે ગયા વર્ષે 1 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા હતા. આદિત્ય નારાયણના લગ્ન એ સમયે ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. હાલ એ પોતાનું લગ્નજીવન એન્જોય કરી રહ્યા છે
.આદિત્ય નારાયણનો વિવાદો સાથે પણ ગાઢ સંબંધ છે. એ ઘણીવાર કોઈને કોઈ કારણસર વિવાદોમાં ઘેરાઈ જાય છે. ઇન્ડિયન આઇડલ 12ના હોસ્ટ આદિત્ય નારાયણના કિશોર કુમારના દીકરા અમિત કુમારે શોના કન્ટેસ્ટન્ટને લઈને જે વાત કહી એ પછી બધા લોકો ગુસ્સામાં હતા. એમને સોશિયલ મીડિયા પર ખૂબ જ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવ્યા હતા. એ સિવાય એ નેહા કક્કર સાથે લગ્નના ડ્રામા અને ઓટો રીક્ષાને ટક્કર મારવના આરોપને લઈને પણ વિવાદોમાં આવ્યા હતા.