કપિલના એક ફેને દીકરી સાથે શો જોવાની દર્શાવી ઈચ્છા, કપિલે તરત જ આપ્યો એવો જવાબ કે લોકો બોલી ઉઠ્યા વાહ વાહ
કોમેડિયન કપિલ શર્માએ પોતાના એક ફેન્સના ટ્વીટનો જવાબ આપીને ચાહકોનું દિલ જીતી લીધું છે. ફેન્સે કોમેડિયન કપિલ શર્માના ફેમસ શો ‘ધ કપિલ શર્મા શો’માં તેની નાની છોકરી સહિત તેના પરિવાર સાથે જોડાવાની વિનંતી કરી હતી. કપિલ શર્માએ તેના ફેન્સનો મોબાઈલ નંબર માંગીને શોમાં પરિવાર સાથે જોડાવાની તેની ઈચ્છા લગભગ અડધી પૂરી કરી દીધી છે.
શુ છે આખો મામલો?
મનીષ નામના વ્યક્તિએ ટ્વિટર પર પોતાની અને દીકરીની સમુદ્ર કિનાએની એક સુંદર તસવીર પોસ્ટ કરી અને લખ્યું, ‘મારી દીકરી પહેલીવાર મુંબઈમાં છે અને તે તમારો લાઈવ શો જોવા માંગે છે..તેને તમારો શો પસંદ છે.’
આ લખતી વખતે આ વ્યક્તિએ કપિલ શર્માને ટેગ કર્યો હતો. મનીષ નામના આ વ્યક્તિએ આગળ લખ્યું, ‘અમે 23 નવેમ્બરની સવારે અહીંથી નીકળીશું. કૃપા કરીને તેણીને અને મારા પરિવારને તમારા શોમાં આવવાની તક આપો.
કપિલ શર્માએ આપ્યો આ જવાબ
કપિલ શર્માએ તેના ફેનનું દિલ તોડ્યું નહીં અને તરત જ તેના ટ્વિટનો જવાબ આપ્યો. ટ્વીટનો જવાબ આપતા કપિલે લખ્યું, ‘ભાઈ અમે કાલે શૂટિંગ કરી રહ્યા છીએ. કૃપા કરીને મને તમારો નંબર મોકલો. મારી ટીમમાંથી કોઈ તમારો સંપર્ક કરશે અને તમારા માટે વ્યવસ્થા કરશે. આભાર.’ એમ કહીને કપિલ શર્માએ હાથ જોડીને ઈમોજી પણ બનાવ્યું હતું.
Brother we r shooting tmrw, Pls send me your contact, someone from my team will contact you n arrange for you, thank you 🙏 https://t.co/U67ePjy2Cd
— Kapil Sharma (@KapilSharmaK9) November 21, 2021
તમને જણાવી દઈએ કે કપિલ શર્માનો શો ‘ધ કપિલ શર્મા શો’ ટીવી જગતનો લોકપ્રિય કોમેડી શો છે. આ શોમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો ગેસ્ટ તરીકે હાજરી આપે છે અને મસ્તી કરતા કરતા તેઓ ઘણા ખુલાસા પણ કરે છે. એક મધ્યમવર્ગીય પરિવારમાંથી બહાર આવીને ઈન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવનાર કપિલ શર્માએ એક સમયે પોતાનું ઘર ચલાવવા માટે દુપટ્ટા પણ વેચ્યા હતા .
એક સમય એવો હતો જ્યારે કપિલ શર્મા તેના પિતાના અવસાનથી સંપૂર્ણપણે ભાંગી ગયો હતો. કપિલે પોતાના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેના પિતાને કેન્સર હતું. જ્યારે તે પીડાથી ધ્રૂજતા હતા, ત્યારે તેનું દુઃખ જોઈને કપિલે ભગવાનને પ્રાર્થના કરી કે તે તેને પોતાની પાસે બોલાવે. જ્યારે તેના પિતાનું અવસાન થયું ત્યારે તે સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. તેણે તેના પિતાની જગ્યાએ પોલીસની નોકરી લેવાની પણ ના પાડી દીધી હતી.