માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો કરો આ ઝાડની પૂજા, મળશે અપાર સમૃદ્ધિ

આપણે સૌ આખો દિવસ મહેનત કરકીએ છીએ અને રૂપિયા કમાઈએ છીએ છતાં અનેકવાર એવું બને છે કે ઘરમાં સતત રૂપિયાની તંગી જ વર્તાય છે. જો તમે પણ આવો અનુભવ કરો છો તો તમારે કેટલાક ખાસ ઉપાયો કરી લેવાની જરૂર છે. આ ઉપાયો કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને સાથે જ તેમની કૃપા તમારા પર થશે તો તમને મુશ્કેલીઓમાંથી અને આર્થિક તંગીમાંથી ઝડપથી રાહત મળી શકશે.

image source

અનેક ઘરમાં મહિલાઓ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા શુક્રવારે ઘરમાં લક્ષ્મી પૂજન કરે છે. આ સાથે જ કેટલાક કન્યાને જમાડે છે. તેનાથી પણ દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ તમામ ઉપાયોની સાથે જ એક ઉપાય છે કેળાના ઝાડની પૂજા કરવી. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.

image source

કહેવાય છે કે કેળાનું ઝાડ ખૂબ જ પવિત્ર હોય છે. અનેક શુભ કામની પૂજામાં પણ અને સત્યનારાયણની પૂજામાં પણ તેનો ઉપયોગ કરાય છે. દ. ભારતમાં કેળા બહુ વધારે પ્રમાણમાં મળી રહે છે. કહેવાય છે કે કેળામાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો સાક્ષાત વાસ હોય છે. તો જાણો કઈ રીતે કેળાના ઝાડની પૂજા કરીને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે.

image source

ધન અને સમૃદ્ધિને વધારે છે

ધન અને સમૃદ્ધિને વધારવા માટે ખાસ કરીને કેળના ઝાડની પૂજા કરાય છે. તેની નિયમિત રીતે પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. માનવામાં આવે છે કે સમૃદ્ધિ માટે કેળાના ઝાડની પૂજા યોગ્ય છે.

ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી થાય છે પ્રસન્ન

image source

જ્યારે તમે કેળાના ઝાડની પૂજા કરો છો કે પછી દેવી લક્ષ્મીને નિયમિત રીતે કેળાનો ભોગ ચઢાવો છો તો તે અતિ પ્રસન્ન થાય છે અને ભક્તો પર કૃપા વરસાવે છે.

ધનવાન બનવાની કામના કરો

જ્યારે પણ તમે કેળાના ઝાડના મૂળમાં પાણી ચઢાવો છો તો ધનવાન બનવાની કામના કરો. ગુરુવારના ખાસ દિવસે ખઆસ રીતે પૂજા કરો. પૂજા અર્ચના કર્યા બાદ થોડું કાચું દૂધ પણ ચઢાવો અને અહીં બેસીને વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી પાસે ધનવાન બનવાની કામના કરો. તમને સારું ફળ મળશે.

કેળાના ઝાડની પૂજા કરવાથી થાય છે આ લાભ પણ

image source

ઘરમાં સંતાન હંમેશા સુખી અને સંકટથી દૂર રહે છે.

માનવામાં આવે છે કે સમૃદ્ધિ માટે કેળાના ઝાડની પૂજા સારી હોય છે.

કેળાનું ઝાડ ઘરમાં લગાવવાથી ગુરુ ગ્રહનું શુભફળ પણ મળે છે.

તેના ઘરમાં રહેવાથી વૈવાહિક જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે અને અવિવાહિતના લગ્ન ગોઠવાય છે.

ઉચ્ચ શિક્ષા અને જ્ઞાન પ્રાપ્તિમાં આ ઝાડ મદદ કરે છે. તેમાં શાંતિમય અને સકારાત્મક ઉર્જા નિવાસ કરે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ