RBIનો મોટો નિર્ણયઃ હવે આ બેંકની ગાડી આવી ગઈ પાટા પર, લોકોને મળશે નવી રોજગારી
રિઝર્વ બેંકે બુધવારે યુકો બેંકને (પીસીએએફ) પ્રતિબંધોમાંથી મુક્ત કરી દીધી છે. આ નિર્ણય બેંકની કામગીરી સહિતની આર્થિક સ્થિતિમાં સુધારા બાદ લેવામાં આવ્યો છે. આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે યુકો બેંકની કામગીરીની સમીક્ષા કર્યા બાદ, નાણાકીય મોનીટરીંગ બોર્ડે, 2020-21ના બેંકના ત્રિમાસિક પરિણામોના આધારે જોયું કે બેંક પીસીએના નિયમોનું ઉલ્લંઘન કરી રહી નથી. આ નિર્ણય બાદ બેંક હવે નવી લોન આપી શકશે. નવી શાખાઓ ખોલવા પરનો પ્રતિબંધ દૂર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ જાહેર ક્ષેત્રની બેન્કને RBI દ્વારા પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (PCA) ના દાયરામાં લાવવામાં આવી હતી. જ્યાં સુધી પીએસીએમાં સમાવિષ્ટ બેંકોની સ્થિતિ સુધરશે નહીં ત્યાં સુધી તેઓ કોઇ મોટી નવી લોન આપી શકશા નથી.
ગ્રાહકોનું શું થશે
હવે જો આ બેન્કો PCA ની બહાર હશે તો ગ્રાહકો પર કોઈ અસર થશે નહીં. આ બેંક તેની શાખાઓ વિસ્તૃત કરી શકશે. તેમજ નવી ભરતીઓ પણ શરૂ થશે. જેથી રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે. પીસીએમાં બેન્ક મૂકવામાં આવે તે અંગે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આરબીઆઈએ બેંકોના નાણાકીય સ્વાસ્થ્યને ‘બેઝલ સ્ટાન્ડર્ડ્સ’ સાથે સુસંગત રાખવા માટે પીસીએ ફ્રેમવર્ક મૂક્યું છે, જેથી બેંકો તેમની મૂડીનો સારો ઉપયોગ કરી શકે. અને ઝોખમનો સામનો કરવા માટે તૈયાર રહે.
શા માટે બેન્કોને પીસીએમાં રાખવામાં આવે છે
જ્યારે આરબીઆઈને લાગે છે કે બેન્ક પાસે જોખમનો સામનો કરવા માટે પૂરતી મૂડી નથી, ધિરાણ આપવામાં આવતું નથી અને નફો થઈ રહ્યો નથી, તો તે બેંકને ‘પીસીએ’ માં નાખી દેશે છે, જેથી તાત્કાલિક પગલાં તેની આર્થિક સ્થિતિ સુધારવા માટે લઈ શકાય છે. બેંક આ પરિસ્થિતિમાંથી ક્યારે પસાર થઈ રહી છે તે જાણવા માટે, આરબીઆઈએ કેટલાક સૂચકાંકો નક્કી કર્યા છે, જે તેની વધઘટ દર્શાવે છે. CRAR, નેટ NPA અને સંપત્તિ પર વળતરની જેમ.
બેંકો પર પ્રતિબંધો લાદવામાં આવે છે
RBI બે અલગ અલગ જોખમ શ્રેણીઓમાં બેન્કોને PCA માં મૂકે છે અને તેમના પર અમુક નિયંત્રણો લાદે છે. ઉદાહરણ તરીકે, જે બેંકોને જોખમ શ્રેણી 2 માં રાખવામાં આવે છે તેઓ ન તો નવી શાખાઓ ખોલી શકે છે અને ન તો ધિરાણ આપી શકે છે. જેમ આરબીઆઈએ દેના બેંકને નવી લોન આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેઓ ઉંચા વ્યાજ દરો પર થાપણો લેવામાં પણ અસમર્થ છે. આ સાથે, ભરતી પણ અટકી જાય છે. RBI તેમનું ખાસ ઓડિટ કરે છે. આ સાથે, આ બેંકોના પ્રમોટરો એટલે કે માલિકોએ વધુ મૂડી રોકાણ કરવું પડે છે.
CRAR
બેન્કો માટે CRAR એટલે કે ‘કેપિટલ ટુ રિસ્ક એસેટ રેશિયો’ અત્યારે 9 ટકા નક્કી છે. CRAR બતાવે છે કે શું બેંક પાસે જોખમનો સામનો કરવા માટે પૂરતી મૂડી છે. તે બેંક દ્વારા આપવામાં આવેલી જોખમી લોનના પ્રમાણમાં કાઢવામાં આવે છે. જો કોઈ બેંકનું સીઆરએઆર આનાથી ઓછું હોય, તો તે બેંકનું આર્થિક સ્વાસ્થ્ય ખરાબ માનવામાં આવે છે. આમ, CRAR એ ત્રણ ટ્રિગર પોઇન્ટ્સમાંથી એક છે જેમા ઉતાર ચઢાવ આવવા પર બેન્કને PCAમાં રાખવામાં આવે છે.
નેટ NPA
પીસીએમાં બેંક મૂકવાનું બીજું કારણ નેટ એનપીએમાં વધારો છે. જ્યારે ગ્રાહક બેંકમાંથી લીધેલી લોનના ત્રણ માસિક હપ્તા ભરવામાં અસમર્થ હોય, તો તે લોન એનપીએ બની જાય છે. આમ, એનપીએની ઘટના અથવા વધારો બેન્ક દ્વારા આપવામાં આવેલી રકમમાં સામેલ જોખમનું સૂચક છે. જો કોઈ બેંકની ચોખ્ખી એનપીએ તેના દ્વારા આપવામાં આવેલી રકમના 6 ટકાથી વધુ હોય, તો આરબીઆઈ તે બેંકને પીસીએની શ્રેણીમાં મૂકે છે.
રિટર્ન ઓફ એસેટ
ત્રીજું મહત્વનું ટ્રિગર ‘રિટર્ન ઓન એસેટ’ છે. આનો અર્થ એ છે કે બેંક દ્વારા આપવામાં આવેલી રકમ અથવા ક્યાંક રોકાણ કરેલી રકમ પર કેટલું વળતર મળી રહ્યું છે. તેની અસ્થિરતા દર્શાવે છે કે બેંક નફામાં છે કે નુકસાનમાં છે. જો ‘રિટર્ન ઓન એસેટ’ સતત બે વર્ષ નેગેટિવ રહે તો બેંકને PCA માં મુકવામાં આવે છે