રિયા ચક્રવર્તીએ સુપ્રિમ કોર્ટની લીધી શરણ, કેસ મુંબઈ ટ્રાન્સફર કરવાની માગને લઈને કરી અરજી

-સુશાંત સિંહ રાજપુતના પિતાએ રીયા ચક્રવર્તીની સાથે જ અન્ય ૬ વ્યક્તિઓ વિરુદ્ધ પટનામાં ફરિયાદ કરવામાં આવી છે.

-સુશાંત સિંહ રાજપૂતએ ૧૪ જુનના રોજ મુંબઈના બાંદ્રામાં આવેલ પોતાના જ ઘરમાં આત્મહત્યા કરી હતી.

image source

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યાના કેસમાં હવે સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર વિરુદ્ધ અભિનેતા સુશાંત સિંહ રાજપુતના પરિવાર દ્વારા કેસ ફાઈલ કરી દેવામાં આવ્યો છે.

image source

ત્યારે અભિનેત્રી રિયા ચક્રવર્તીએ દ્વારા હવે દેશની સુપ્રીમ કોર્ટમાં એક પીટીશન ફાઈલ કરવામાં આવી છે અભિનેત્રી રીયા ચક્રવર્તી દ્વારા સુપ્રીમ કોર્ટમાં પીટીશન ફાઈલ કરવામાં આવી છે તેમાં અભિનેત્રી રીયા ચક્રવર્તીએ પોતાના વિરુદ્ધ પટનામાં ફાઈલ થયેલ કેસને મુંબઈમાં ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી છે. અભિનેત્રી રીયા ચક્રવર્તી દ્વારા પીટીશન ફાઈલ વિષે જાણકારી તેમના વકીલ સતીશ મનેશિંદે દ્વારા આપવામાં આવી છે.

image source

આની પહેલા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતા કૃષ્ણ કિશોર સિંહ દ્વારા સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ અભિનેત્રી રીયા ચક્રવતી, રીયાના પિતા ઇન્દ્રજીત ચક્રવર્તી, માતા સંધ્યા ચક્રવર્તી, ભાઈ શોવિક ચક્રવર્તી સહિત બે મેનેજર્સ સૌમિલ ચક્રવર્તી અને શ્રુતિ મોદીની સામે બિહારના પટના શહેરના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં કેસ ફાઈલ કરવામાં આવ્યો છે.

ધરપકડની ભયથી અભિનેત્રી રીયા ચક્રવર્તી ગાયબ :

image source

મંગળવારના રોજ બનેલ આ આખા ઘટનાક્રમ થઈ ગયા પછી અભિનેત્રી રીયા ચક્રવર્તી અને તેના પરિવાર પર પોલીસ દ્વારા ધરપકડ થવાનો ભય સતત બની રહ્યો છે. જયારે અભિનેત્રી રીયા ચક્રવર્તી પર નોન બેલેબલ કલમ પણ લગાવી દેવામાં આવી છે. અભિનેતા સુશાંત સિંહ રાજપુતના પિતા કૃષ્ણ કિશોર સિંહ દ્વારા કરવામાં આવેલ ફરિયાદના આધારે પટના શહેરના રાજીવ નગર પોલીસ દ્વારા કલમ ૩૪૧, કલમ ૩૪૨, કલમ ૨૮૦, કલમ ૪૨૦, કલમ ૪૦૬, અને કલમ ૩૦૬ હેઠળ અભિનેત્રી રીયા ચક્રવર્તી અને તેના પરિવારના અન્ય ૬ સભ્યોને આરોપી બનાવવામાં આવ્યા છે.

image source

આ ઉપરાંત એવી પણ જાણકારી સામે આવી છે કે, બુધવારના રોજ જયારે પટના પોલીસ અભિનેત્રી રીયા ચક્રવર્તીના ઘરે પુછપરછ કરવા માટે તેમના ઘરે પહોચી હતી ત્યારે પટના પોલીસને એવી જાણકારી આપવામાં આવી હતી કે, અભિનેત્રી રીયા ચક્રવર્તી અને તેનો પરિવાર ત્યાં છે જ નહી.

image source

જો કે, સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે નથી રહ્યા તેમ છતાં સુશાંત સિંહ રાજપૂતના ફેંસને જાણીને ખુશી થશે કે, તા. ૨૪ જુલાઈ, ૨૦૨૦ શુક્રવારના રોજ ફિલ્મ ‘દિલ બેચારા’ને ઓટીટી પ્લેટફોર્મ ડીઝની પ્લસ હોટ સ્ટાર પર રીલીઝ કરી દેવામાં આવી છે. સુશાંત અને સંજના સંઘીની ફિલ્મ ‘દિલ બેચારા’માં બંનેના અભિનયની ખુબ તારીફ કરવામાં આવી રહી છે અને દર્શકો દ્વારા પણ ખુબ પસંદ કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત