તમે પણ આ બેંકમાં ધરાવો છો ખાતું તો ઓગસ્ટ મહિનામાં બદલાઈ રહ્યા છે આ મોટા નિયમો, જાણીને કરો ટ્રાન્ઝેક્શન
જો તમે આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહક છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. ખાનગી ક્ષેત્રની આઈસીઆઈસીઆઈ બેંકે બેંક
સેવિંગ્સ ખાતાને માટે અને કેશ ટ્રાન્ઝેક્શન માટે, એટીએમ ઇન્ટરચેંજ અને ચેકબુક ચાર્જ પર સુધારેલી મર્યાદા અંગે નોટિસ ફટકારી છે.
આ માહિતી બેંક દ્વારા તેની વેબસાઇટ પર આપવામાં આવી છે. આ ચાર્જ 1 ઓગસ્ટ 2021 થી લાગુ થશે. જો તમારું ખાતું
આઈસીઆઈસીઆઈ બેંકમાં છે, તો તમારા માટે અહીં જણાવેલા સમાચાર ખુબ અગત્યના છે, તેથી વિગતવાર જાણો.
ઘણી સેવાઓ માટે ચાર્જ વધશે
‘1 ઓગસ્ટથી બેંકના એટીએમમાંથી રોકડ ઉપાડવું મોંઘુ થશે. આ સાથે ચેક બુકના નિયમો પણ બદલશે. આઈસીઆઈસીઆઈ તેના
ગ્રાહકોને 4 નિ:શુલ્ક વ્યવહાર સેવા પ્રદાન કરે છે એટલે કે 4 વખત પૈસા ઉપાડ્યા પછી, તમારે ચાર્જ ચૂકવવો પડશે. ચાલો તમને જણાવી
દઈએ કે એસબીઆઇ બેંકે 1 જુલાઇથી સમાન નિયમોમાં ફેરફાર કર્યા છે. ચાલો આપણે જાણીએ કે કેટલી રકમ લેવામાં આવશે…
આ ફેરફારો 1 ઓગસ્ટ 2021 થી થશે
>> ઓગસ્ટથી આઈસીઆઈસીઆઈ બેંકના ગ્રાહકો તેમની હોમ શાખામાંથી 1 લાખ રૂપિયા સુધીની રકમ ઉપાડી શકે છે.
>> આ કરતા વધારે હોય તો તમારે દર 1000 દીઠ 5 રૂપિયા ચૂકવવા પડશે.
>> હોમ શાખા સિવાયની અન્ય શાખાઓમાંથી પૈસા ઉપાડવા માટે દરરોજ 25,000 રૂપિયા સુધીની રોકડ ઉપાડ માટે કોઈ ચાર્જ નથી.
>> તે પછી, 1000 રૂપિયા ઉપાડ્યા પછી 5 રૂપિયા ચૂકવવા પડશે.
ચેક બુક પર ચાર્જ થશે
>> 25 પેજ ચેક બુક ફ્રી હશે.
>> આ પછી તમારે અતિરિક્ત ચેક બુક માટે 10 પાના દીઠ 20 રૂપિયા ચૂકવવા પડશે.
એટીએમ ઇન્ટરચેંજ ટ્રાન્ઝેક્શન
>> બેંકની વેબસાઇટ મુજબ એટીએમ ઇન્ટરચેંજ ટ્રાન્ઝેક્શન પર પણ પૈસા લેવામાં આવશે.
>> એક મહિનામાં 6 મેટ્રો શહેરો પર પ્રથમ 3 ટ્રાન્ઝેક્શન ફ્રી રહેશે.
>> અન્ય તમામ સ્થળોએ મહિનામાં પ્રથમ 5 ટ્રાન્ઝેક્શન ફ્રી રહેશે.
>> નાણાકીય વ્યવહાર દીઠ રૂ .20 અને બિન-નાણાકીય વ્યવહાર દીઠ રૂ .8.50 નો ચાર્જ લેવામાં આવશે.
1 ઓગસ્ટથી ઘણી બેંકોના નિયમોમાં ઘણા ફેરફારો આવ્યા છે, તેવી જ આ નિયમો આઈસીઆઈસીઆઈ બેંકના છે, જો તમારું ખાતું
આઈસીઆઈસીઆઈ બેંકમાં છે, તો આ નિયમો યોગ્ય રીતે ધ્યાનમાં લો. જેથી તમને ભવિષ્યમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન
કરવો પડે. આઈસીઆઈસીઆઈ બેંકમાં હવે આ રીતના ચાર્જ વસુલવામાં આવશે.