કેટલાય વર્ષોથી આફત બનીને આ ગામમા આવે છે ચોમાસુ, તંત્રનું પાણી પણ હલતું નથી

સરકારના તમામ દાવાઓથી વિપરીત આજે પણ વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તરણમાં ઘણી મૂળભૂત સુવિધાઓનો અભાવ છે. કપરાડા તાલુના કરચોડ ગામમાં એક વૃદ્ધ મહિલાના અંતિમ સંસ્કાર માટે લોકોએ નદીના મજબૂત પ્રવાહને પાર કરવો પડ્યો હતો. તેનો વીડિયો વાયરલ થયા બાદ ફરી એકવાર લોકોની સમસ્યાઓ આ વિગતમાં સામે આવી છે. મળતી માહિતી મુજબ ગામની વૃદ્ધ મહિલાનું નિધન થયું હતું. આ દિવસોમાં આ વિસ્તારમાં ભારે વરસાદને કારણે નદીના તમામ નાળા છલકાયા છે. નદીઓના જળ સ્તરમાં સતત વધારો થવાને કારણે આ વિસ્તારના મોટાભાગના રસ્તાઓ અને કોઝવે પાણીમાં ડૂબી ગયા છે. આવી સ્થિતિમાં પરિવારના સભ્યો અને ગામના લોકોએ મહિલાના મૃતદેહના અંતિમ સંસ્કાર માટે તુલસી નદીના પાણીમાં ડૂબી ગયેલો રસ્તો પાર કરવો પડ્યો હતો.

દર વર્ષે જોવા મળે છે આ સમસ્યા

image socure

લોકો ઘૂંટણ સુધીના પાણીના પ્રવાહને પાર કરીને સ્મશાન ભૂમિ પર પહોંચ્યા. લોકોએ જણાવ્યું કે વિસ્તારના કોઝવેની ઉંચાઈ ઓછી હોવાને કારણે લોકોને દર વર્ષે આવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી ઘટના કે મહત્વનું કામ હોય ત્યારે લોકોને પાણીની વચ્ચેથી પસાર થવું પડે છે

image source

.
નોંધનિય છે કે, કપરાડાના પહાડી વિસ્તારને ગુજરાતનું ચેરાપુંજી કહેવામાં આવે છે. અહીં ચોમાસા દરમિયાન હરિયાળી અને ઝરણાઓ ખીલી ઉઠે છે અને એક રમણિય માહોલ જોવા મળે છે.

image soucre

નોંધનિય છે કે, લોકોને આ પહાડી વિસ્તારો પોતાની તરફ આકર્ષે છે પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે. જેટલો સુંદર આ વિસ્તાર છે એટલી જ આ વિસ્તારમાં રહેતા લોકોની સમસ્યાઓ છે, તમને જણાવી દઈએ કે આ વિસ્તારમાં પહાડોમાંથી અનેક નાની-મોટી નદીઓ પસાર થાય છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ પણ આ જ વિસ્તારમાં પડે છે જેના કારણે ચોમાસા દરમિયાન અહીંના રસ્તાઓ પાણીમાં ધોવાય જાય છે અને વાહનવ્યવહાર ઠપ્પ થઈ જાય છે અને લોકોને ખુબ ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

image soucre

નોંધનિય છે કે, આ વિસ્તારમાં ચોમાસું શરૂ થયા બાદ બિમાર લોકોને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં માટે સૌથી મોટો પડકાર છે. કારણ કે, નદીઓ પર કોઝવે આવેલા છે જે ભારે વરસાદને કારણે પાણીમાં ડૂબી જાય છે. જેનાથી કારણે વાહન વ્યવહાર ઠપ થઈ જાય છે. સ્થિતિ એવી પણ આવે છે કે વરસાદી સિઝનમાં યોગ્ય સારવાર ન મળતા દર્દીના મોત પણ થઈ જાય છે અને આ સમસ્યા આજકાલથી નહીં વર્ષોથી ચાલી આવતી હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે લોકોની અનેક રજૂઆતો છતા સરકાર તરફથી કોઈ પગલા લેવામાં આવતા નથી.

image socure

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કપરાડા વિસ્તારમાં પડે છે. આ વર્ષે પણ વરસાદે તોફની બેટિંગ કરી છે. આ સિઝનમાં 100 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જેના કારણે હજૂ પણ નદીઓ બે કાંઠે વહી રહી છે. જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે અને લોકોને પ્રાથમિક સુવિધાઓ પણ મળી રહી નથી.