અપનાવી લો ફટાફટ આ વાસ્તુ ટિપ્સ અને મેળવી લો ઝડપથી સફળતા
વાસ્તુશાસ્ત્ર દરેક વસ્તુના નિર્માણ અને જાળવણી વિશે યોગ્ય દિશા અને નિયમો પ્રદાન કરે છે. વાસ્તુ નિયમોને ધ્યાનમાં ન રાખવાથી વાસ્તુ દોષો થાય છે, જેના કારણે ઘરમાં નકારાત્મક ઊર્જા નો પ્રવાહ આવે છે. સાથે જ જીવનમાં સમસ્યાઓ ઊભી થવા લાગે છે અને પ્રગતિમાં અવરોધો પણ આવવા લાગે છે.
વાસ્તુ શાસ્ત્રમાં કેટલીક વાતોનો ઉલ્લેખ છે કે જેને તમે ઘરે થી જ નકારાત્મકતા દૂર કરીને સફળ થઈ શકો છો. સાથે જ તમારું નસીબ બદલાઈ શકે છે, અને ઘરે થી અશાંતિ દૂર થાય છે, અને સુખ અને સમૃદ્ધિ નો વિસ્તાર થાય છે. ચાલો જાણીએ વાસ્તુના આ ખાસ ઉપાયો વિશે.
અશાંતિ ને ઘરે થી દૂર કરવાથી લઈને સારા નસીબ સુધી, આ વાસ્તુ ટિપ્સને અનુસરો
ઘરમાં અઠવાડિયામાં એકવાર કપૂર નો ધુમાડો કરવો શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે. ઘરે સરસવ ના તેલના દીવામાં લવિંગ ઉમેરવું સારું છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પરિવારના સભ્યો સ્વસ્થ રહે છે, અને ઘરે થી રોગો દૂર થાય છે.
દર ગુરુવારે તુલસીના છોડ પર પાણી તેમજ દૂધ આપવું જોઈએ. કહેવાય છે કે આમ કરવાથી ઘરમાં રહેલી અશાંતિ દૂર થાય છે. તવા પર રોટલી પકવતા પહેલા દૂધ છાંટવું શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આમ કરવાથી શરીર સ્વસ્થ રહે છે. ઘરના બધા દરવાજા પર એક જ રેખા દોરો. ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે.
સૂકવેલા અને મુરઝાતા ફૂલો ને ઘરે જનન ન રાખો. એવું માનવામાં આવે છે કે તે જીવનમાં પીડા નું કારણ બને છે. ઘરે સંતો-મહાત્માઓ ની તસવીર મૂકો. આમ કરવાથી તેમના આશીર્વાદ ઘરના સભ્યો પર રહે છે. ઘરમાં તૂટેલી, જંક અને બિનજરૂરી વસ્તુઓ ન રાખો.
દક્ષિણ-પૂર્વ ખૂણામાં લીલો છોડ રાખવાની ખાતરી કરો. ઘરમાં ગોળ કિનારી વાળા ફર્નિચરને ન રાખો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સંબંધોમાં તિરાડ પડે છે. તુલસી ના છોડને ઘરમાં પૂર્વ દિશાની ગેલેરીમાં અથવા પૂજા સ્થળની નજીક મૂકો.
ઘરની પૂજા સ્થળથી ઉપર કશું ન રાખવું જોઈએ. શાસ્ત્રોમાં પૂજાની સાચી દિશાને માત્ર ઉત્તર કે પૂર્વ દિશા માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં બંધ ઘડિયાળને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. વાસ્તવમાં, વાસ્તુ અનુસાર, એક બંધ ઘડિયાળ તમારું સૌભાગ્ય રોકે છે.
આવી સ્થિતિમાં, જો તમારા ઘરમાં ખરાબ ઘડિયાળ છે, તો તરત જ તેને સુધારવાનો પ્રયાસ કરો, નહીં તો તેને ઘરની બહાર કાઢો. વાસ્તુના નિયમ મુજબ તૂટેલા કાચને ઘરમાં ન રાખવા જોઈએ. તેમજ તમે જ્યાં સૂતા હોવ ત્યાં દરવાજા કે પલંગની સામે જ કાચ ને કોઈ પણ કિંમતે ન મૂકવો જોઈએ.