ફિલ્મ છીછોરે ને થયું એક વર્ષ પૂરું, સાથી કલાકારોએ સુશાંત સિંહ રાજપુતને આપી શ્રદ્ધાંજલિ.
છીછોરે ફિલ્મને એક વર્ષ પૂરું થયાના અવસર પર સાથી કલાકારોએ કઈક આવી રીતે આપી સુશાંત સિંહ રાજપુતને શ્રદ્ધાંજલિ
બોલિવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ છીછોરેને એક વર્ષ પૂરું થઈ ચૂક્યું છે. આ અવસર પર ફિલ્મના નિર્દેશક નિતેશ તિવારી અને અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના સાથી કલાકારો શ્રદ્ધા કપૂર અને વરુણ શર્માએ રવિવારે સુશાંત સિંહ રાજપુતને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી અને કહ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂત હંમેશા એમના દિલમાં રહેશે.
❤️💔
“You’ll be in our hearts forever!”#WeMissYouSush#1YearOfChhichhore@NGEMovies pic.twitter.com/NgFYA7tRTR— Nitesh Tiwari (@niteshtiwari22) September 5, 2020
નિતેશ તિવારીએ પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ પરથી એક વિડીયો શેર કર્યો હતો જેમાં આ ફિલ્મના નિર્માણ વખતના કેટલાક ફોટા છે, સાથે સાથે 6 સપ્ટેમ્બર 2019માં ફિલ્મ રિલીઝ થઈ એ પછી સેટ પર ફેન્સ સાથેની મુલાકાત કરતા સુશાંત સિંહ રાજપૂતના ફોટા છે.
નિર્દેશક નિતેશ તિવારીએ લખ્યું છે કે ” તમે હંમેશા અમારા દિલમાં રહેશો, તારી ખૂબ જ ખોટ સાલે છે સુષ”
A Tribute to Sushant Singh ✨#InOurHeartsForever ❤️#1YearOfChhichhore pic.twitter.com/7IMkX0IyFN
— Nadiadwala Grandson (@NGEMovies) September 5, 2020
આ વીડિયોમાં સુશાંતના ખૂબ જ સુંદર પળોને બતાવવામાં આવ્યા છે. જેમાં સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મની સાથે સાથે સેટ પરના વિડીયો પણ છે. એ સમય દરમિયાન સુશાંત સિંહ રાજપૂતની મસ્તી જોવા જેવી છે. આ વીડિયો સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ માટે કોઈ ટ્રીટથી જરાય ઓછો નથી. ફિલ્મના મેકર્સ સાજીદ નડિયાદવાલાએ ફિલ્મ છીછોરેને એક વર્ષ પૂરું થયું એ અવસર પર એક વિડીયો પોસ્ટના માધ્યમથી સુશાંત સિંહ રાજપુતને શ્રદ્ધાંજલિ આપી છે.
View this post on Instagram
શ્રદ્ધા કપૂરે પણ ફોટા વાળા આ વીડિયોને મ્યુઝિક ડિરેકટર પ્રીતમના હિટ ગીત “વો દિન ભી ક્યાં દિન થે” સાથે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે અને સાથે લખ્યું છે કે ” એમની પ્રેમ ભરી યાદોમાં”
વરુણ શર્માએ પણ સુશાંત સિંહ રાજપુતને શ્રદ્ધાંજલિ આપી હતી.
View this post on Instagram
છીછોરે ફિલ્મના એક બીજા કલાકાર વરુણ શર્માએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુશાંત સિંહ રાજપુતને શ્રદ્ધાંજલિ આપતા કમ્મો લખ્યું હતું. વાત જાણે એમ છે કે ફિલ્મ છીછોરેમાં વરુણ શર્માનું પાત્ર સુશાંત સિંહ રાજપૂતના પાત્રને કમ્મો કહીને બોલાવતા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ નિર્માતા નિતેશ તિવારીના આઈઆઈટી બોમ્બેમાં પસાર કરલવા સમય અને ત્યાંના એમના અનુભવો પર આધારિત છે. આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂતના અભિનયને લોકોએ ઘણા વખાણ કર્યા હતા અને એટલું જ નહીં એ ફિલ્મે બોક્સ ઓફીસ પર ઘણું સારું પ્રદર્શન પણ કર્યું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત