વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી, આ પ્રકારના લોકોને કોરોનાથી ગંભીર બીમારી અને મોતનો ખતરો રહે છે વધુ
કોરોનાથી ગંભીર રીતે બીમાર થવાના કારણે શારીરિક રીતે નિષ્ક્રિય જીવનશૈલી સાથે સંબંધ જોવા મળે છે. સાથે જ તેના કારમે મોતનો ખતરો વધવાની વાત પણ સામે આવી છે. મોટા પાયે કરાયેલા સંશોધનમાં આ વાત જાણવા મળી છે. કેલિફોર્નિયાના સૈન ડિએગો વિશ્વવિદ્યાલયમાં કરાયેલા એક સંશોધનમાં વૈજ્ઞાનિકોએ જાણ્યું છે કે અમેરિકામાં કોરોનાથી પીડિત લોકોને 2 વર્ષથી શારીરિક ગતિવિધિઓથી દૂર રહેવું પડ્યું હતું. તેમને હોસ્પિટલમાં એડમિટ કરવાની શક્યતાઓ વધારે હતી. તેઓએ કહ્યું કે શારીરિક રીતે નિષ્ક્રિય કોરોના રોગીઓને તે રોગીની સરખામણીએ દેખરેખની વધારે આવશ્યકતા હતી જે નિયમિત રીતે શારીરિક દેખરેખ કરતા હતા.
આ પ્રકારના રોગીઓના મોતની શક્યતા પણ વધારે રહેતી નથી, બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટસ મેડિસિનમાં કહેવાયું છે કે વધારે ઉંમરના લોકો અને અંગ પ્રતિરોપણ કરાવી ચૂકેલા વિદ્યાર્થીઓની શારિરીક નિષ્ક્રિયતાને સામેલ કરાયા નથી. તેમનું કહેવું છે કે શોધમાં જાણવા મળ્યું છે કે શારીરીક રીતે સક્રિય ન હોવું પણ ગંભીર રીતે કોરોનાની ઝપેટમાં હોવાનું સૂચન કરી રહ્યું છે. તેઓએ કહ્યું કે સિગરેટ પીવી, મધુમેહ, ઉચ્ચ કર્ત ચાપ, સ્થૂળતા, હ્રદય રોગ, કેન્સરની સરખામણીએ શારિરીક રીતે સક્રિય ન હોવું દરેક કારકમાં સૌથી મજબૂત કારક રહ્યું છે.
એક સંશોધનમાં એમ પણ કહેવાયું છે કે તડકામાં વધારે સમય રહેવાથી પણ કોરોનાથી મોતનો ખતરો ઘટવાની શક્યતા વધારે છે. વધારે સમય સુધી સૂરજની રોશનીમાં રહેવાથી ખાસ કરીને અલ્ટ્રાવાયોલેટ કિરણના સંપર્કમાં આવવાથી જોડાણથી કોરોનાના મોતની અસર ઘટી જાય છે.
બ્રિટનમાં એડિનબર્ગ વિશ્વવિદ્યાલયના શોધકર્તાના આધારે શોધમાં મૃત્યુદરમાં ઘટાડાથી પણ તેની સંક્રામકતાનો ખ્યાલ આવે છે. સૂરજની રોશનીના સંપર્કમાં વધારે સમય રહેવાથી સામાન્ય લોક સ્વાસ્થ્યમાં મદદ મળી શકે છે. આ સિવાય અમેરિકાના મહાદ્વીપમાં જાન્યુઆરીતી એપ્રિલ 2020ની વચેચના મોતની સાથે તે સમયે 2474 કાઉન્ટીમાં અલ્ટ્રાવાયોલેટ સ્તરની તુલના કરાઈ છે. ટીમે જાણ્યું કે અલ્ટ્રાવાયોલેટ કિરણોના ઉચ્ચ સતરના વિસ્તારમાં રહેનારા લોકોની વચ્ચે કોરોનાથી મોતનું પ્રમાણ ઘટ્યું છે.
શોધકર્તાઓનું કહેવું છે કે ઈંગ્લેન્ડ અને ઈટલીમાં આ પ્રકારના સંશોધન થયા છે. તેઓએ ઉંમર, સમુદાય, સામાજિક- આર્થિક સ્થિતિ, જનસંખ્યા, વાયુપ્રદૂષણ, તાપમાન અને સ્થાનિય વિસ્તારમાં સંક્રમણના સ્તરને ધ્યાનમાં રાખીને વાયરસથી સંક્રમિત થવાના અને મોતના ખતરાનું વિશ્લેષણ કર્યું છે.
શોધકર્તાનું કહેવું છે કે સૂરજની રોશનીમાં વધારે સમય સુધી રહેવાથી ત્વચા નાઈટ્રિક ઓક્સાઈડને બહાર કાઢે છે. તેનાથી વાયરસના આગળ વધવાની ક્ષમતા ઘટી જાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!