મોટો ખુલાસો, 83 ફિલ્મ માટે વિક્કી કૌશલે પણ આપ્યું હતું ઓડિશન, પછી આ કારણે બદલી નાખ્યો નિર્ણય
રણવીર સિંહની ફિલ્મ 83 લાંબા સમયની રાહ જોયા બાદ થિયેટરોમાં રિલીઝ થઈ ચુકી છે. આ ફિલ્મની વાર્તાના વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મમાં ડાયરેક્ટર કબીર ખાને મોટા પડદે દિગ્ગજ કલાકારોને એકસાથે પીચ પર ઉતાર્યા છે. જેના માટે તેના વખાણ થઈ રહ્યા છે.
ફિલ્મમાં કપિલ દેવના રોલમાં રણવીર સિંહ છે, સુનીલ ગાવસ્કરના પાત્રમાં તાહિર રાજ ભસીન છે તો મોહિંદર અમરનાથ સાકિબ સલીમ બન્યા છે. પરંતુ 83માં મોહિંદર અમરનાથ માટે સાકિબ પહેલી પસંદ ન હતો. આ પાત્ર માટે કબીર ખાનને વિક્કી કૌશલને ફાઈનલ કરવો હતો. તે આ ફિલ્મમાં વિક્કીને લેવા માંગતા હતા પરંતુ છેલ્લી ઘડીએ એવું થયું કે વિક્કી ફિલ્મમાંથી હટી ગયો.
સૂત્રોના જણાવ્યાનુસાર વિક્કી કૌશલે 83 માટે ઓડિશન પણ આપ્યું હતું. પરંતુ વિક્કીએ પોતાની ફિલ્મ રાઝીની રિલીઝ પહેલા આ ફિલ્મમાં જોડાવા માટે ઓડિશન આપ્યું હતું. પરંતુ જ્યારે રાઝી સુપરહીટ સાબિત થઈ તો વિક્કી આ પ્રોજેક્ટમાંથી હટી ગયો. કારણ કે વિક્કીને રાઝી ફિલ્મ પછી સેકેન્ડ લીડમાં કામ કરવું ન હતું.
View this post on Instagram
જો કે કબીર ખાન તો વિક્કીને તેની ફિલ્મમાં લેવા માંગતા જ હતા. પરંતુ તેમ છતાં વિક્કીએ જ્યારે 83માં ન જોડાવાનો નિર્ણય કરી લીધો તો કબીર ખાને વિક્કીને બદલે સાકિબ સલીમને રોલ માટે કાસ્ટ કર્યો.
મહત્વનું છે કે રાઝી ફિલ્મ હીટ થયા પછી વિક્કી સતત હીટ ફિલ્મો આપી રહ્યો છે. જેમાં લસ્ટ સ્ટોરીઝ, સંજૂ, મનમર્ઝિયા, ઉરી, સરકાર ઉધમ સિંહ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. થોડા સમય પહેલા જ ફિલ્મ ઉધમ સિંહ પણ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કામ કરીને વિક્કીએ લોકોને પોતાના દિવાના બનાવી લીધા. સૂજિત સરકારના નિર્દેશનથી લોકો ઘાયલ થયા હતા.
વિક્કી કૌશલના અંગત જીવનની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી તે સતત ચર્ચામાં રહ્યો છે. તેણે અને કેટરિના કૈફે 9 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા. તે પહેલાથી જ તેમના લગ્નને લઈને ભારે ચર્ચાઓ ચાલી રહી હતી. લગ્નના થોડા દિવસ બાદ જ બંને હવે પોતાના કામ પર પરત ફર્યા છે. બંનેએ પોતાની આગામી ફિલ્મો પર કામ કરવાનું શરુ કરી દીધું છે. વિક્કીની આગામી ફિલ્મોની વાત કરીએ તો તેમાં ગોવિંદા નામ મેરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તે સારા અલી ખાન સાથે એક ફિલ્મ કરી રહ્યો છે જેની તસવીરો પણ સામે આવી હતી.