જો તમે દિવસમાં જરૂરિયાત કરતા વધારે પાણી પીતા હોવ તો સાવધાન, શરીરના આ અંગોને થાય છે ભયંકર નુકસાન
શરીરમાં પાણીની ખામી અનેક મોટી મુસીબતને નોંતરે છે. દિવસમાં ઓછામાં ઓછું દસ ગ્લાસ પાણી એક વ્યક્તિ માટે જરૂરી છે. જાણો ઓછું પાણી પીવાથી શરીરના કયા અંગોને કેવી રીતે નુકસાન થાય છે. પાણી પીવું એ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, એ તો આપણે દરેક જાણીએ છે પણ શુ તમે જાણો છો કે વધારે પાણી પીવાથી આપણને નુક્સાન પહોંચી શકે છે.
થોડા સમય પહેલા કરવામાં આવેલી એક શોધમાં એ વાત સામે આવી છે કે હાઈડ્રેશન થવાથી બ્લડમાં સોડિયમનું લેવલ ઝડપથી નીચે જાય છે. જેના કારણે મગજમાં સોજો આવી શકે છે. આ વાત વૃદ્ધો અને સેન્સેટિવ લોકો પર વધારે લાગુ પડી શકે છે.
શોધ પ્રમાણે, વધારે પાણી પીવાથી બ્લડમાં સોડિયમનું લેવલ અસામાન્ય રૂપ થી ઓછું થાય છે, જેના કારણે હાઈપોનેટ્રીમિયા થી જાય છે. સોડિયમ એક ઈલેક્ટ્રોલાઈટ છે. જે કોશિકાઓની અંદર અને આસપાસ પાણી ની માત્રાને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે. અતિ હાઈડ્રેશન થી શરીરમાં પાણીનું સ્તર વધી જાય છે, અને કોશિકાઓ સુકાવા લાગે છે. જે આપણા માટે જીવલેણ છે. આ સોજા અન્ય ઘણી બીમારીઓને પેદા કરી શકે છે.
વધુ તરસ કેમ લાગે છે
સામાન્ય રીતે વધુ સોડિયમ અને ઓછા પોટેશિયમના સેવનથી વધુ તરસ લાગે છે. મીઠું સોડિયમમાંથી બનેલુ હોય છે, તેથી વધુ મીઠુ ખાનાર લોકો ને વધુ તરસ લાગે છે. મીઠુ સેલ્સમાંથી પાણી ને બહાર કાઢે છે. આવા સંજોગોમાં જો તમે વધુ મીઠુ ખાવ છો તો તમારી કોશિકાઓ મગજ ને જલ્દી જલ્દી તરસ લાગવાના સંકેત મોકલવા લાગે છે.
કિડની પર ખરાબ અસર પડે છે
જરૂર કરતા વધારે પાણી પીવું અને તેની અસર કિડ ની પર થાય છે. કિડનીનું કામ પાણીને ફિલ્ટર કરવા, અપશિષ્ટ મીઠું અને ઝેરીલા તત્વોને મૂત્રની મદદથી શરીરથી બહાર કાઢવાનો હોય છે. જો તમે વધારે પાણી પી લો છો તો સ્વાભાવિક છે કે કિડની પર કામનો બોજ વધે છે. એવામાં કિડની ફેલ નો ખતરો વધી શકે છે. આ માટે જેટલી તરસ લાગી હોય તેટલું પાણી પીવું યોગ્ય છે.
મસ્તિષ્ક પર પણ અસર કરે છે
શરીરમાં પાણીનું વધારે પ્રમાણ હોવાથી સોડિયમનું લેવલ ઘટે છે. એવામાં બ્રેન સેલ્સમાં સોજા ની સમસ્યા રહે છે. આ કારણે બ્રેન ડેમેજ, ચાલવા ફરવા, વાત કરવા અને ભ્રમ ની સ્થિતિની સામનો કરવો પડી શકે છે. આ માટે શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવું જરૂરી બને છે. પણ વધારે ન હોય તેનું ધ્યાન રાખો.
માંસપેશીઓમાં જકડનની સમસ્યા હોઈ શકે છે
જો શરીરમાં સોડિયમની ખામી હોય તો માંસપેશીમાં નબળાઈ અને એંઠન ની સમસ્યા હોઈ શકે છે. આ સિવાય વધારે પાણી પીવાથી શરીરને ઈલેક્ટ્રોલાઈટ નું સંતુલન ખોવાઈ જાય છે. તેનાથી થાક અને સુસ્તી ની સમસ્યા પણ થઈ શકે છે.