શનિને મજબુત બનાવવા કરવો જોઈએ આ મંત્રોચાર, મન બનશે મજબુત
મિત્રો, બ્રમ્હાંડમા સ્થિત ગ્રહ અને નક્ષત્રો તથા વિદ્વાનો દ્વારા રચિત પૌરાણિક શાસ્ત્રો એ આપણા જીવનમા ખુબ જ વિશેષ પ્રભાવ પાડે છે. જો કોઈપણ ગ્રહ કે નક્ષત્રની સ્થિતિ એ આપણી કુંડળીમા સારી હોય તો આપણા માટે આવનાર સમય વિશેષ ફલાદાયો સાબિત થઇ શકે છે પરંતુ, જો કોઈ ગ્રહની સ્થતિ આપણી કુંડળીમા નબળી હોય તો આપણે આવનાર સમયમા અનેકવિધ આર્થિક અને સામાજિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
આપણા રોજબરોજના જીવનમા જે કંઈપણ ઘટના ઘટતી હોય છે એ દરેક ઘટના ગ્રહો અને તેની ગ્રહદશા પર આધાર ધરાવતી હોય છે. જો આ ગ્રહોની ગ્રહદશા શુભ હોય તો તે આપણા જીવનમા સુખ અને સમૃદ્ધિ લાવે છે પરંતુ, જો આ ગ્રહોની ગ્રહદશા યોગ્ય ના હોય તો તે આપણા જીવનમા દુઃખ અને નિરાશા આવવા માટેનુ કારણ બની શકે છે.
શનિ ગ્રહ એ આપણા જીવનને અનેકવિધ પ્રકારના જુદા-જુદા રંગથી રંગે છે. જો કોઈપણ વ્યક્તિ બળવાન બનવા ઈચ્છતો હોય તો તેમા શનિદેવનુ ખુબ જ વિશેષ યોગદાન છે. ધ્યાન એ વિશ્વ સાથે જોડાવાની એક ખુબ જ અદ્ભુત રીત છે. જો આપણે ધ્યાનની સાથે શનિદેવના ચમત્કારિક મંત્રોનો મંત્રોચ્ચાર કરો છો તો તમારા જીવનમા સુખ અને શાંતિ બની રહે છે.
શનિના અનેકવિધ જુદા-જુદા મંત્રો છે, જેમા બીજ મંત્ર અને સ્તુતિ મંત્ર પણ આવે છે. શનિ ભગવાનની વિશેષ કૃપા મેળવવા માટે પણ ધ્યાન એ ખૂબ જ જરૂરી છે. આ મંત્રનું સ્મરણ કરીને આપણે આપણા ગુણોમાં વધારો કરી શકીએ છીએ અને મનોબળ મજબુત બનાવી શકીએ છીએ. ન્યાય અને જનકલ્યાણના કાર્યને વેગ આપી શકે છે. કોર્ટ-કચરીના કેસમા રાહત મળી શકે છે તથા કાર્યોમા સહજ ગતિ લાવી શકીએ છીએ.
इन्द्रनीलद्युतिः शूलीवरदोगृध्रवाहनः।
बाणबाणासनधरः कर्त्तव्यार्कसुतस्तथा।।
ધ્યાન કરતા-કરતા આ મંત્રનુ પુનરાવર્તન કરો. ધ્યાનમા લીન થતા આ મંત્ર આપમેળે જ મૌન જાપની સ્થિતિમા આવે છે. તેનાથી શનિની સકારાત્મક અસરોમાં તીવ્ર વધારો થાય છે. જે લોકો સાડેસાતી અને ઢય્યાની સમસ્યાથી પીડિત છે તેમણે આ મંત્રનું નિયમિત મંત્રોચ્ચારણ કરવુ જોઈએ. તે શારીરિક અસ્વસ્થતા અને માનસિક અસ્વસ્થતાને દૂર કરે છે. આ ઉપરાંત ભાગ્ય પ્રબળ રીતે મજબુત બને છે.
આ મંત્રોના જાપ દરમિયાન કાળા વસ્ત્રો પહેરો. શનિ પ્રકૃતિની પ્રધાનતાને પસંદ કરે છે. શનિવારે આ મંત્રનો જાપ ઘણું ફળ આપે છે. ઋણ મુક્તિ આકસ્મિક વિક્ષેપો વગેરેને દૂર કરે છે. મકર સંક્રાંતિ અને મીન સંક્રાંતિ વચ્ચે શનિના ગ્રહના આ પગલા ખાસ કરીને અસરકારક સાબિત થાય છે. આ સમય ૧૩ ફેબ્રુઆરી સુધી છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,