જો તમે પણ ગરબા રમવા જવાના હોય તો આ નિયમો વાંચી લેજો, નહીં તો થશે કાર્યવાહી

જ્યારથી શેરી ગરબા રમવાની સરકારે મંજૂરી આપી છે ત્યારથી ખૈલેયાનો ઉત્સાહ વધી ગયો છે. લોકોએ ગરબાની પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. જો કે ગરબા રમવા માટે સરકારે હાલમાં જ એક મહત્વની ગાઈડલાઈન જાહેર કરી છે. દરેક લોકોએ આ ગાઈડલાઈન મુજબ જ ગરબામાં ભાગ લેવો પડશે નહીં તો કાર્યવાહી કરવામાં આવશે.

image socure

નોંધનિય છે કે ગુજરાત સરકારે નવરાત્રિને ધ્યાનમાં રાખીને શેરી ગરબા અને સોસાયટી અથવા ફ્લેટમાં યોજાતા ગરબાને 400 લોકોની મર્યાદામાં યોજવાની છૂટ આપી છે જેને લઈને રાજ્યના ગૃહ વિભાગે તેની નિસ્તૃત ગાઇડલાઇન જારી કરી છે.

image source

જે મુજબ ગરબા અને દુર્ગાપૂજા, શરદ પૂર્ણિમા, દશેરા જેવા તહેવારોની ઉજવણીમાં ભાગ લેનાર દરેક લોકોએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલા હોવા જોઇશે. જો રસી લીધેલી નહીં હોય તો ભાગ નહીં લઈ શકે. આ ઉપરાંત તમામ સ્થળે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું કડકપણે પાલન થાય તેની તકેદારી માટે તમામ પોલીસ કમિશનર, કલેક્ટર અને એસપીને સૂચના આપવામાં આવી છે.

image socure

જો કે આ વર્ષે પણ પાર્ટી પ્લોટ, ક્લબ કે ખુલ્લી જગ્યામાં કોમર્શિયલ રીતે ગરબાના આયોજન પર રોક લગાવવામાં આવી છે. જ્યારે લગ્ન પ્રસંગ માટે 400 વ્યક્તિઓની છૂટ આપવામાં આવી છે જો કે આ માટે ડીજીટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરવાની જોગવાઇ યથાવત રાખવામાં આવી છે. તો બીજી તરફ અન્ય તમામ સામાજિક, રાજકીય, શૈક્ષણિક, સાંસ્કૃતિક કાર્યક્રમો 400 વ્યક્તિઓની હાજરીમાં યોજવાની સરકારે છૂટ આપી છે, તો બીજી તરફ બંધ હોલમાં ક્ષમતાના 50 ટકાનું ધોરણ જાળવવું પડશે. આ ઉપરાંત શહરેમાં ચાલતા કોચીંગ સેન્ટરો, ટ્યુશન ક્લાસીસ અને સ્પર્ધાત્મક પરીક્ષા માટેના ક્લાસિસ સ્થળની ક્ષમતાના 50 ટકા વિદ્યાર્થીઓ સાથે કાર્યકરી શકશે. જીમ 75 ટકા કેપેસિટી સાથે ચાલું રાખવાની મંજૂરી આપી છે.

image socure

તો બીજી તરફ પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત કરીએ પબ્લિક અને પ્રાઇવેટ નોન એસી બસ 100 ટકા મુસાફરો બેસાડી શકશે જ્યારે એસી બસ 75 ટકા મુસાફરો સાથે બુકિંગ કરી શકશે. જ્યારે સ્પોર્ટસ કોમ્પ્લેક્સ પ્રેક્ષકોની ઉપસ્થિતિ વિના ચાલુ રાખી શકાશે. આ ઉપરાંત સિનેમાગૃહ, થિએટર, ઓડીટોરીયમ, મનોરંજક સ્થળોને 60 ટકાની કેપેસિટીમાં ચાલુ મંજૂરી આપવામાં આવી છે. જ્યારે વોટર પાર્ક અને સ્વીમીંગ પુલ 75 ટકા કેપેસિટીથી ચાલુ રાખી શકાશે. આ અંગે વિસ્તૃત માહિતી એ છછે કે, સિનેમાહૉલ, વૉટરપાર્ક સહિત તમામ સેવાના માલિકો, સંચાલકો, કર્મચારીઓ અને તેમના સ્ટાફ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત કરવામાં આવ્યો છે. જો કે બીજી તરફ સરકારે હજુ સ્પા ચાલુ કરવાની મંજૂરી આપી નથી.

પોલીસનો એક્શન પ્લાન

image socure

તો બીજી તરફ પોલીસ દ્વારા સોસાયટીઓના ચેરમેન સેક્રેટરીએ કોરોનાની ગાઇડલાઈનાનું પાલન કરવાની સાથે જ ગરબાનું આયોજન કરવાનું રહેશે. આ અંગે પોલીસ દ્વારા શેરી ગરબા અને સોસાયટીના ગરબાના સ્થળો પર સતત પોલીસ પેટ્રોલિંગ રાખવામાં આવશે. ગુજરાત સરકારની ગાઈડ લાઈન મુજબ રાત્રે 12 વાગ્યા સુધી જ ખેલૈયાઓ ગરબા રમી શકશે. અને લાઉડ સ્પીકર સુપ્રીમકોર્ટની ગાઈડ લાઈન મુજબ જ વગાડી શકાશે. નોંધનિય છે કે આ વર્ષે પાર્ટી પ્લોટ અને અને ક્લબમાં થતા કોમર્શિયલ ગરબા યોજાશે નહીં એટલે લોકોએ શેરીમાં ગરબા રમીને જ સંતોષ માનવો પડશે. તમને જણાવી દઈએ કે, શેરી અને સોસાયટીમાં જો 12 વાગ્યા પછી ગરબા ચાલુ રહેશે તો પોલીસ દ્વારા કર્યવાહી કરવામાં આવશે.