પાંખ કાપેલા પોપટને જ્યોતિષીએ રાખ્યો હતો કેદ, જાણો જાગૃત નાગરિક અને NGO કેવી રીતે કરાવ્યો છૂટકારો

અંધવિશ્વાસ અને તંત્રમંત્રની જાળમાં ફસાવવાના ગોરખધંધા કરનાર પૈકી ઘણા લોકો પોપટ, ઘુવડ જેવા પક્ષીઓને પિંજરામાં કેદ કરી તેને કમાણીનું સાધન બનાવી લે છે. આવા લોકો પોતાના ફાયદા માટે પક્ષીઓ પર ક્રૂરતા કરવામાં પણ સંકોચ નથી કરતા. મુંબઈમાં કાપડની દુકાનમાં કામ કરનાર એક જાગૃત કર્મચારીએ પિંજરામાં કેદ કરાયેલા એક પોપટને બનાવટી જ્યોતિષના પંજામાંથી છોડાવ્યો હતો. જ્યોતિષીએ તે પોપટની પાંખો પણ કાપી નાખી હતી જેથી તે ઉડી ન શકે.

mumbai
image source

ઉપરોક્ત કર્મચારીને જ્યારે આ અંગે માહિતી મળી તો તેણે આ માહિતી પક્ષીઓ માટે કામ કરનારી એક સંસ્થાને આપી પોપટને જ્યોતિષીની ચુંગાલમાંથી છોડાવવા માટે વિનંતી કરી. નોંધનીય છે કે પોપટ પર ક્રૂરતા આચરી કેદ કરનાર જ્યોતિષી મુંબઈના ભાંડુપ પશ્ચિમ તુલસીવાડા વિસ્તારમાં રહેતો હતો. અને ત્યાં કપડાંની દુકાનમાં કામ કરનાર કર્મચારી કે જેનું નામ શત્રુઘ્ન ગુપ્તા છે તે જ્યોતિષી પાસે ભવિષ્ય જાણવાના બહાને તેને મળવા ગયા.

image source

તેણે ઘણા સમય સુધી જ્યોતિષીને વાતોમાં વલગાળી રાખ્યો અને તે દરમિયાન તેના ઇશારાની રાહ જોઈ રહેલા અમ્મા કેયર ફાઉન્ડેશન (ACF) અને પ્લાન્ટ એન્ડ એનિમલ વેલ્ફેર સોસાયટી મુંબઇ (PAWN Mumbai) ના કાર્યકર્તા નિશા કુંજુ ત્યાં પહોંચ્યા અને તેને જોઈને જ જ્યોતિષીએ પોપટના પિંજરાનો તેના તરફ ઘા કર્યો અને પોતે નાસી છૂટ્યો.

સંસ્થાના અધ્યક્ષ સુનિલ સુબ્રમણ્યમના જણાવ્યા મુજબ શત્રુઘ્ને તેઓને માહિતી આપી હતી કે આ જ્યોતિષી છેલ્લા કેટલાય સમયથી અહીં ફરી રહ્યો હતો. ત્યારબાદ તેને પકડવા માટેની યોજના તૈયાર કરવામાં આવી. જ્યાં સુધી અમારી સંસ્થાના કાર્યકરો ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધી શત્રુધને જ્યોતિષીને વાતોમાં વળગાળી રાખવાનો હતો અને તેણે એમ જ કર્યું. અંતે પોપટને જ્યોતિષીની ચુંગાલમાંથી આઝાદી મળી.

image source

જો કે પોપટની પાંખો જ્યોતિષીએ કાપી નાખી હતી પરંતુ પશુ ચિકિત્સકને બતાવતા પોપટની સામાન્ય સ્થિતિ સ્વસ્થ ગણાવી હતી પરંતુ તે ઉડી શકવા અસક્ષમ હતો. તેને થોડા દિવસ સુધી પક્ષી પાલન ઘરમાં રાખવામાં આવશે જેથી ધીમે ધીમે તે ઉડવાનું શીખી શકશે.

image source

લોકો પાસેથી પૈસા પડાવવા અને પૈસાદાર બનવાની લ્હાયમાં અમુક લોકો અંધવિશ્વાસને પોતાનો વ્યવસાય બનાવી બેઠા છે. આ પૈકી અમુક લોકો પક્ષીઓને કેદ કરી તેની પર ક્રૂરતા પણ આચરતા હોય છે. ખાસ કરીને અમુક જ્યોતિષીઓ પોપટને પાળી તેને કાર્ડ ખેંચવાની તાલીમ આપી પોતે પૈસા કમાતા હોય છે. અને આ કાર્ડમાં લખેલી વાતો જ્યોતિષી પોતાના ગ્રાહકોને તેનું ભવિષ્ય કહી પૈસા પડાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત