ઘરમાં ગંગાજળ રાખવાથી થાય છે અનેક ફાયદાઓ, પણ ખાસ જાણી લો કયા વાસણમાં ગંગાજળ રાખવું જોઇએ
પ્રાચીન સમયમાં રાજા ભગીરથે ગંગાને સ્વર્ગથી ધરતી ઉપર લાવવા માટે તપસ્યા કરી હતી. જેથી પ્રસન્ન થઇને દેવી ગંગા ધરતી ઉપર આવ્યાં હતાં. ઘરમાં ગંગાજળ રાખવાની પરંપરા છે. ગંગાજળથી ઘરમાં પોઝિટિવિટી વધે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા દ્વારા જાણો ગંગાજળ સાથે જોડાયેલી ખાસ વાતો…. આ દિવસે ગંગા ધરતી પર પ્રગટ થઈ હતી. આ ખાસ દિવસને ગંગા દશેરાના રૂપમાં ઉજવાય છે. તેને અમે ગંગાઅવતરણના નામથી પણ ઓળખે છે. આ અવસરે લોકો ગંગામાં સ્નાન કરે છે અને ગરીબોને દાન કરે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે ભગવાન વિષ્ણુના ચરણોથી નિકળી અને શિવની જટાઓમાં લપટેલી ગંગાના જળમાં ડુબકી લગાવવાથી માણસને વિષ્ણુ અને શિવનો આશીર્વાદ એક સાથે મળે છે.
માન્યતા છે કે રાજા ભગીરથના પૂર્વજોને શ્રાપ મળ્યું હતું. જેના કારણે તેણે ગંગાને ધરતી પર લાવા માટે ઘોર તપ કર્યું હતું. તેની તપસ્યાથી પ્રસન્ન થઈને માતા ગંગાએ તેણે દર્શન આપ્યા. રાજા ભગીરથએ કીધું કે તમે મૃત્યુલોક ચાલો. તેના પર ગંગાએ કીધું કે જે સમયે પૃથ્વીપર પડું, તે સમયે મારા વેગને કોઈ સંભાળવા માટે હોવું જોઈએ. આવું ન થતા હું પૃથ્વીને ફોડીને રસાતળમાં ચાલી જઈશ. ત્યારબાદ ભગીરથએ ભગવાન શિવની તપસ્યા કરી. ભગવાન શિવએ પ્રસન્ન થઈને ગંગાજીને તેમની જટા(વાળ)માં રોકવા માટે તૈયાર થઈ જાય છે. આ રીતે ગંગાના જળથી ભગીરથ તેમના પૂર્વજોને મુક્તિ અપાવવામાં સફળ થઈ જાય છે. પૃથ્વી પર આવતા પહેલા માતા ગંગા ભગવાન બ્રહ્માના કંમડળમાં રહતી હતી. આ દિવસે સત્તૂ, મટકા અને હાથનો પંખો દાન કરવાથી બમણુ ફળ મળે છે. ગંગા દશેરાના દિવસે બધા ગંગા મંદિરમાં ભગવાન શિવનો અભિષેક કરાય છે. મોક્ષદાયિની માતા ગંગાની પૂજા અર્ચના કરાય છે. ગંગા દશેરાઆ દિવસે શ્રદાળું જે પણ વસ્તુ દાન કરે તેની સંખ્યા દસ હોવી જોઈએ. દસ જ વસ્તુથી પૂજન પણ જરવું જોઈએ.
ગંગાજળ માટે શુભ ધાતુ-
ઘણાં લોકો પ્લાસ્ટિકની બોટલમાં ગંગાજળ રાખે છે. ગંગાજળને પ્લાસ્ટિકની બોટલમાં રાખવું નહીં. તેના માટે તાંબા, ચાંદી કે સોનાના વાસણ શુભ રહે છે. ઘરના મંદિરમાં ગંગાજલી રાખો અને નિયમિત પૂજા-પાઠ કરો.
ઘરમાં ગંગાજળ છાંટવું-
ઘરમાં પોઝિટિવિટી અને પવિત્રતા જાળવી રાખવા માટે સમયે-સમયે ગંગાજળ છાંટવું જોઇએ. ઘરમાં સવાર-સાંજ સાફ-સફાઈ કરવી જોઇએ. આવું કરવાથી વાસ્તુ દોષની અસર દૂર થઇ શકે છે. તેની અસરથી નેગેટિવિટી દૂર થાય છે.
શિવલિંગ ઉપર ગંગાજળ ચઢાવવું જોઇએઃ-
રોજ નિયમિત રૂપથી શિવલિંગ પૂજા કરો અને પૂજામાં ગંગાજળથી શિવજીનો અભિષેક કરવો જોઇએ. ગંગાજળના થોડાં ટીપા લોટામાં રાખો અને તેને શિવલિંગ ઉપર ચઢાવો. ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો.
પરિવારના દરેક સભ્યના હિસાબે સવા સેર ચૂરમો બનાવીને સાધુ , ફકીર અને બ્રાહ્મણોમાં વહેચવાનો પણ રિવાજ છે. બ્રાહ્મણોને મોટી માત્રામાં અનાજને દાનના રૂપમાં આજના દિવસે અપાય છે. આજના જ દિવસે કેરી ખાવાનું અને કેરી દાન કરવાનું પણ ખાસ મહ્ત્વ છે. ધ્યાન રાખો કે દશમીના દિવસે શ્રદ્ધાળુ જે પણ વસ્તુનું દાન કરે એની સંખ્યા દસ હોવી જોઈએ. જે વસ્તુથી પૂજા કરે એની સંખ્યા પણ દસ હોવી જોઈએ. આવું કરવાથી શુભ ફળોમાં વધારે વૃદ્ધિ થાય છે. માન્યતા છે કે ગંગા દશેરાના દિવસે ગંગામાં કરેલ સ્નાન અને દાનથી સાત જન્મોનું પુણ્ય મળે છે. ગંગા દશેરાના દિવસે જે પણ માણસ પાણીમાં ગંગા જળ મિક્સ કરી ગંગા મંત્રના દસ વાર જાપ કરતા સ્નાન કરે છે , ભલે પછી એ દરિદ્ર હોય, અસમર્થ હોય એ પણ ગંગાને પૂજા કરી પુણ્ય ફળ મેળવે છે.
ગંગા મંત્ર – ઓમ નમો ભગવતી હિલિ હિલિ મિલિ મિલિ ગંગેમાં પાવય પાવય સ્વાહા!!
ॐ नमो भगवती हिलि हिलि मिलि मिलि गंगे मां पावय पावय स्वाहा॥