જો સરકાર 16 લાખનો પગાર અને ગ્રેજ્યુટીના 16 લાખ નહીં આપે તો દુનિયામાં દુષ્કાળ સર્જીશ’
3 વર્ષ પહેલાં જે વ્યક્તિ પોતાની જાતને ભગવાન વિષ્ણુનો કલકી અવતાર કહી ચર્ચામાં આવ્યા હતા તેવા રમેશચંદ્ર ફેફર ફરી એકવાર ચર્ચાનો વિષય બની ચૂક્યા છે. આ વખતે પણ તેમણે દાવો કર્યો છે કે તેઓ ભગવાન વિષ્ણુનો અવતાર છે અને સરકાર જો તેમની માંગણી પુરી નહી કરે તો દુનિયાભરમાં તે દુષ્કાળ કરી દેશે.
રમેશચંદ્ર ફેફર મૂળ રાજકોટના છે અને તેઓ વડોદરાના નિવૃત્ત અધિક્ષક ઈજનેર છે. તેઓ ખુદ પોતાની જાતને ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર માની રહ્યા છે. તેમણે આ વખતે જળસંપતિ વિભાગના સચિવને લેખિતમાં પત્ર આપી જણાવ્યું છે કે તેમનો 16 લાખનો પગાર અને ગ્રેજ્યુઇટી ના 16 લાખ જો તેને હવે નહીં મળે તો તે દુનિયાભરમાં દુષ્કાળ કરી દેશે.
આ સાથે જ તેમણે એવો દાવો પણ કર્યું છે કે તેઓ ભગવાન વિષ્ણુના કલ્કી અવતાર છે અને તેમની કરેલી તપસ્યાના કારણે દેશમાં છેલ્લા 20 વર્ષથી વર્તમાન સમય સુધી સારો વરસાદ થયો છે અને ક્યાંય પણ દુષ્કાળ થયો નથી. આ 20 વર્ષ દરમિયાન જે વરસાદ થયો છે તેના કારણે ભારતને 20 લાખ કરોડનો ફાયદો થયો છે તેમ છતાં સરકારમાં બેઠેલા રાક્ષસો તેને અન્યાય કરી રહ્યા છે.
જો તેમને હવે ન્યાય આપી અને તેમના બાકી રહેલા પગાર અને ગ્રેજ્યુઇટી ના નહીં આપવામાં આવે તો તે આ વર્ષે સમગ્ર વિશ્વમાં પાણીના અને બરફના વરસાદ થી પૃથ્વી પર ભયંકર દુષ્કાળ કરી દેશે. આવું તે કરી શકશે કારણ કે તેઓ ભગવાન વિષ્ણુના દશાવતાર છે અને તેની સત્તા પૃથ્વીલોક પર ચાલે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રમેશચંદ્ર પેપર ત્રણ વર્ષ પહેલાં પણ ચર્ચામાં આવ્યા હતા તે સમયે તેમની નોકરી ના વર્ષો દરમિયાન તેઓ અમુક જ દિવસોમાં ફરજ પર હાજર રહ્યા હતા તેના કારણે વિભાગ દ્વારા તેમની કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. જેના જવાબમાં તેમણે એવું જણાવ્યું હતું કે તેઓ ભગવાન વિષ્ણુના કલ્કી અવતાર છે અને પૃથ્વીના કલ્યાણ માટે તે તપસ્યા કરી રહ્યા છે જેના કારણે તેઓ ઓફિસમાં હાજર રહી શકતા નથી.
આ પહેલી વખત હતું જ્યારે તેમણે પોતાની જાતને વિષ્ણુ ભગવાનનો કલકી અવતાર ગણાવ્યો હતો. જોકે ત્યારબાદ રમેશચંદ્ર ફેફર ઉપર તેમના પત્નીએ શારીરિક અને માનસિક ત્રાસ આપવાની ફરિયાદ દાખલ કરી હતી. રમેશચંદ્ર તેમના સંતાનો થી પણ અલગ રહે છે. ત્યારબાદ હવે રમેશચંદ્ર ફરી એકવાર દાવો કર્યો છે કે સરકાર જો તેમને તેમના બાકી રહેલા પગાર અને ગ્રેજ્યુટીના 16- 16 લાખ નહીં આપે તો તેઓ દેશ અને દુનિયામાં દુષ્કાળ સરજી દેશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ :સંદેશ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!