શું તમે ક્યારેય વિચાર્યું છે કેમ શ્રાવણ મહિનામા ભોલેનાથ પર ચડાવવામા આવે છે દૂધ…?
શિવજી એ પૃથ્વી ને બચાવવા માટે સમુદ્ર મંથન થી ઝેર પી ધુણ્યું હતું. તેથી શ્રાવણ મહિનામાં તેમને એ જ વસ્તુઓ આપવામાં આવે છે, જે આ સમયે સેવન કરવા માટે ઝેરી હોય છે. ભગવાન શિવ ને આપવામાં આવતી વસ્તુઓનો ક્યારેય ઉપયોગ થતો નથી એટલા માટે શિવજીને અર્પણ કરવામાં આવતા નાળિયેર નો ઉપયોગ કરવાની પણ મનાઈ છે.
ધર્મ-પુરાણો અનુસાર શિવજી ને એ જ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે, જે શ્રાવણ મહિનામાં તેનું સેવન કરવાથી ખૂબ જ નુકસાન થાય છે. એવું માનવામાં આવે છે કે શિવજી એ ઝેર પીધું હોવાથી તેઓ પોતે જ એવી વસ્તુઓ સ્વીકારે છે જે લોકો માટે તેમના ભલા માટે હાનિકારક હોય છે.
શ્રાવણ માસમાં શિવલિંગ ને દૂધ, દહીં, મધ વગેરે નો અભિષેક કરવામાં આવે છે. મેડિકલ સાયન્સની દૃષ્ટિએ આ વરસાદની ઋતુમાં દૂધ અને દૂધ ની વસ્તુઓ ન ખાવી જોઈએ, જેના કારણે અનેક પ્રકારના રોગો થાય છે. હવામાનમાં ફેરફારો જઠરાંત્રિય માર્ગ ને નબળો પાડે છે.
જઠરનો માર્ગ નબળો પડવાના કારણે તે પાચન ને અટકાવે છે. આ સમય દરમિયાન દૂધ ન પચવાને કારણે કફની સમસ્યા વધવા લાગે છે. પહેલાના સમયમાં શ્રાવણ મહિનો આવતાની સાથે જ લોકો દૂધ ન પીતા હતા અને શિવજીને દૂધ અર્પણ કરતા હતા.
શિવલિંગ પર દૂધ ચઢાવવા ની પ્રથા ની પાછળ એક સમુદ્ર મંથન ની સાથે જોડાયેલી પૌરાણિક કથા છે. જયારે સમુદ્ર મંથન થયું તો એમાં હલાહલ વિષ નીકળ્યું જો કે ત્રણેય લોકો ને નષ્ટ કરી શકતું હતું. ત્યારે એ વિષ ને શિવજી એ ગ્રહણ કરીને બધાનું મૃત્યુ બચાવ્યું હતું. પરંતુ હલાહલ વિષ પીધા પછી તે તડપવા લાગ્યા. ત્યારે કોઈ ઋષિ એ એને દૂધ ની સાથે બીલીપત્ર ખવડાવા ની વાત કીધી. દેવી દેવતાઓ એ એવું જ કર્યું અને શિવ ને આ ઉપાય થી ખુબ આરામ પ્રાપ્ત થયો. ત્યાર થી શિવજી ને દૂધ બીલીપત્ર ચઢાવવાની પરંપરા શરુ થઇ ગઈ.
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શિવલિંગ પર દૂધ અર્પણ કરવાથી વ્યક્તિ ની ઇચ્છા શક્તિ મજબૂત થાય છે. ચંદ્ર મન નો સ્વામી છે, તેની સારી અને ખરાબ સ્થિતિ વ્યક્તિના મન પર અસર કરે છે. ચંદ્ર ની અસર પાણી અને દૂધ પર પડે છે, તેથી શિવજીને દૂધ આપવાથી ચંદ્ર ની નકારાત્મક અસર દૂર થાય છે. આથી શ્રાવણ માસમાં શિવલિંગ ને પાણી અને દૂધ અર્પણ કરવું ખૂબ ફાયદાકારક રહેશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત