ઘણા વર્ષો પછી જિનત અમાને કર્યો ખુલાસો કહ્યું કે આ કારણે નિર્માતા કરાવતા હતા વરસાદમાં નહાવાના સીન શૂટ
ઝીનત અમાને પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી. તેની એક્ટિંગની સાથે સાથે લોકો તેની સુંદરતાના પણ દિવાના હતા. એક સમય એવો હતો જ્યારે ઝીનત અમાનને હિટની ગેરંટી પણ માનવામાં આવતી હતી. જો કે ઝીનત અમાન તેની ફિલ્મોની સાથે સાથે તેના અંગત જીવનને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ ઝીનત અમાન, પૂનમ ધિલ્લોન સાથે કપિલ શર્માના શોમાં પહોંચી હતી, જ્યાં તેણે તેના અંગત જીવન વિશે ઘણા ખુલાસા કર્યા હતા અને કપિલ અને બાકીની ટીમ સાથે ખૂબ મસ્તી પણ કરી હતી.
વાત જાણે એમ છે કે ઝીનત અમાનને કપિલ શર્મા દ્વારા મજાકમાં પૂછવામાં આવ્યું હતું કે તમે ઘણીવાર ફિલ્મોમાં વરસાદમાં નહાતા અથવા ક્યારેક ધોધ નીચે સ્નાન કરતા જોવા મળ્યા હતા. શું તમે ક્યારેય ડાયરેક્ટરને આના પર એક સવાલ પૂછ્યો નથી, શું તમને લાગે છે કે હું સ્નાન કર્યા વગર આવી છું? જેના જવાબમાં ઝીનત અમાને કહ્યું, ‘કોઈએ મારા મગજમાં આ વાત મૂકી હતી કે જ્યારે પણ મને વરસાદમાં નવડાવે છે ત્યારે પ્રોડ્યુસરને ત્યાંવરસાદ પડે છે, તે પણ પૈસાનો વરસાદ.
દિગગજ અભિનેત્રી ઝીનત અમાન પોતાની સુંદરતા અને અભિનયને લઈને જેટલી ચર્ચામાં રહી છે તેટલી જ તે પોતાની બોલ્ડનેસને લઈને પણ ચર્ચામાં રહી છે. તે મોટાભાગે તેની ફિલ્મોમાં બોલ્ડ સીન્સ આપવા માટે જાણીતી છે. ઝીનત અમાને સત્યમ-શિવમ-સુંદરમમાં ઘણા સીન આપીને બધાને ચોંકાવી દીધા હતા.
ઝીનત અમાન બોલિવૂડમાં બોલ્ડ અને બ્યુટીનું ઉદાહરણ છે. દિગગજ અભિનેત્રીની ફિલ્મ કારકિર્દી જેટલી સફળ હતી, તેટલું જ તેનું અંગત જીવન વધુ તંગ હતું. બોલ્ડ અને મજબૂત પાત્ર ભજવનાર ઝીનત અમાન ઘરેલુ હિંસાનો શિકાર બની હતી. રિપોર્ટ્સ અનુસાર, ઝીનત અમાન સંજય ખાન સાથે રિલેશનશિપમાં હતી. કહેવાય છે કે એક દિવસ સંજય ખાને ઝીનત અમાન પર ગુસ્સામાં હાથ ઉપાડી દીધો જતો. એવું કહેવાય છે કે ઝીનત અમાનની આંખ ખરાબ થવા પાછળનું કારણ સંજય છે. આની તેની કારકિર્દી પર સંપૂર્ણ અસર પડી અને તેને પ્રોજેક્ટ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો.
ઝીનત અમાને તેના પરિવારની વિરુદ્ધ જઈને અભિનેતા મઝહર ખાન સાથે લગ્ન કર્યા. શરૂઆતમાં બધું બરાબર ચાલી રહ્યું હતું. બંનેના લગ્ન તે દિવસોમાં મીડિયામાં ચર્ચામાં રહેતા હતા. પરંતુ બાદમાં બંને વચ્ચે વિવાદ વધવા લાગ્યો હતો.
આલમ એ હતો કે મઝહરે ઝીનત સાથે હાથપાઇ પણ શરૂ કરી દીધી હતી.લગ્ન પછી ઝીનત અને મઝહરને બે સંતાનો થયા, પરંતુ તેમ છતાં મઝહરના વર્તનમાં કોઈ ફેરફાર થયો ન હતો. ખરેખર, મઝહર ઈચ્છતો હતો કે ઝીનત બોલિવૂડ છોડીને ઘરના કામકાજ સંભાળે. પરંતુ ઝીનતે તેને સ્પષ્ટ ના પાડી દીધી. એ પછી બન્ને વચ્ચે ખૂબ મારપીટ થવા લાગી