અધુરી મનોકામના અને ધનવાન બનવાની ઈચ્છાને પૂરી કરશે આ ઉપાયો, એકવાર અજમાવો અને તમારી નજરે જુઓ ફરક…
આ દુનિયામા દરેક વ્યક્તિ તેના જીવનમાં ધનિક બનવા માંગે છે, તે વધુ પૈસા કમાવવા માટે રાત-દિવસ મહેનત કરે છે, આટલી મહેનત કરવા છતા પણ તે સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. જ્યોતિષશાસ્ત્રમા ગુરુને ધનનો કારક ગ્રહ માનવામાં આવે છે. ગુરુ ના શુભ પ્રભાવ થી વ્યક્તિ ને ધન, ધર્મ, જ્ઞાન અને માન-સન્માન ની પ્રાપ્તિ થાય છે. વૈવાહિક જીવનના સુખ માટે પણ ગુરુને જવાબદાર માનવામાં આવે છે.
એટલા માટે જ ગુરુ ની કૃપા દ્રષ્ટિ દરેક જાતક માટે જરૂરી છે પરંતુ, ક્યારેય ગુરુ કોઈ રાશિ ને અનુકૂળ નથી પણ હોતો. આવી સ્થિતીમાં તમને જ્યોતિષ શાસ્ત્ર મદદરૂપ થઈ શકે છે. આ ઉપાયો એવા છે જેને કરવાથી ગુરુની કૃપા તમારા પર વરસતી રહેશે. આ ઉપાય ગુરુવારે કરવાથી તેનું વિશેષ ફળ આપે છે.
ગુરુવારના દિવસે ગ્રહના શુભ પરિણામ મેળવવા માટે પીળા રંગનાં કપડાં પહેરવા જોઈએ. ખરેખર ગુરુ દેવને પીળો રંગ પ્રિય છે. તેથી, આ દિવસે, પીળા કપડા પહેરેલી વ્યક્તિની કુંડળીમાં એક મજબૂત ગ્રહ હોય છે અને પરિણામે વ્યક્તિને તેના શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.
ગુરુવારે સ્નાન ધ્યાન કર્યા પછી કપાળ ઉપર ચંદન નો તિલક લગાવવો જોઈએ. આ ઉપાય કરવાથી,ન તો માત્ર ગુરુ ગ્રહ વધે છે, પરંતુ તે તમારા મગજમાં ઠંડક પણ પ્રદાન કરે છે. જો ચંદન તિલક ન હોય તો હળદર નો તિલક પણ લગાવી શકાય છે. ગુરુવારે નકારાત્મકતા દૂર કરવા માટે, બૃહસ્પતિ ગ્રહના બીજ મંત્ર ‘ ૐ બ્રિ બૃહસ્પતિયે નમ:’ નો જાપ ૧૦૮ વાર કરવો જોઈએ. આ મંત્ર ખૂબ શક્તિશાળી છે. ગુરુવાર ના દિવસે જાપ કરવાથી તમારા માટે ફાયદાકારક રહેશે.
જો તમામ પ્રયત્નો છતાં પણ કાર્યમાં સફળતા પ્રાપ્ત થઈ નથી અને તમારા મનમાં આ વસ્તુઓને લઈ ને મૂંઝવણ છે, તો ગુરુવારે પૂજાના દિવસે વિષ્ણુ સહસ્ર નામનો પાઠ કરો. આ કરવા થી અવરોધો દૂર થાય છે, અને કાર્યોમાં સફળતા મળે છે. જેમને તેમના કામમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.
તેની સાથે બીમારીઓ, શત્રુઓ, વગેરે થી થતી સમસ્યાઓ માટે ગુરુવારે પૂજા સમયે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. દેવ ગુરુ બૃહડસ્પતિ નો આ ઉપાય કલ્યાણકારી છે. ગુરુવારે શક્ય હોય તો ભગવાન વિષ્ણુ ને પીળા ફૂલો અર્પણ કરો અને તેમને આ જ રંગનો ભોગ ચઢાવો અને પ્રસાદ તરીકે અર્પણ કરો.
દેવગુરુને પ્રસન્ન કરવા માટે ગુરુવારે દાળ, હળદર, પીળા વસ્ત્ર, બેસનના લાડૂ કે પછી સીધુ બ્રાહ્મણને દાન કરવું. કેળ ના વૃક્ષની પૂજા કરવી. જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ ગ્રહ ની સ્થિતિ નબળી હોય, તો આ રીતે, નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને ગુરુવારે સ્નાન કરો. આ ઉપાય કરવાથી, તમે ગુરુ ગ્રહ સાથે સંકળાયેલ તમામ પ્રકારના દોષો થી છૂટકારો મેળવો છો.