જો તમે પણ 21 દિવસ સુધી ઘરને આ ઉપાયોથી પવિત્ર કરશો તો થશે ચમત્કાર, અને પૈસાને લગતી તકલીફોથી લઇને આ અનેક સમસ્યાઓમાંથી મળશે છૂટકારો
જો ઘરમાં દિવસે દિવસે ઝઘડો વધતો જાય છે. બધું જ અવરોધિત થઈ રહ્યું છે. એવું લાગે છે કે ઘરમાં દેવતાઓ નો વાસ નથી, તેથી ઘર અશુદ્ધ છે તે જાણવું જોઈએ. આ સમસ્યાઓ નું સમાધાન થઈ શકે છે. ઘર ને પવિત્ર અને શુદ્ધ રાખવાની આ પૌરાણિક રીત રજૂ કરે છે.
સૂર્યાસ્ત સમયે એકવીસ દિવસ સુધી રોજ અડધો લિટર ગાય નું કાચું દૂધ લો. તેમાં નવ ટીપાં શુદ્ધ મધ ઉમેરી ને સરસ સ્વચ્છ પાત્રમાં મૂકી સ્નાન કરવું. ત્યાર બાદ શુદ્ધ કપડાં પહેરી ને ઘરની ટોચ ની છત થી નીચે સુધી દરેક રૂમમાં, રહેવા, ગેલેરી વગેરેમાં તે દૂધ છાંટો. મુખ્ય દરવાજા પર આવો અને બાકી નું દૂધ ધાર થી દરવાજા ની બહાર મૂકો.
આ પ્રક્રિયા કરતી વખતે તમારા પ્રમુખ દેવતા ને યાદ કરશો નહીં. એકવીસ દિવસ સુધી આ કરવાથી ઘર તમામ પ્રકાર ના અવરોધો થી મુક્ત થઈ જાય છે. ઘર ને પવિત્ર અને શુદ્ધ રાખવાની આ પૌરાણિક રીત છે. એકવીસ દિવસ પછી તમે જોશો કે ઘર અને મનમાં અનંત શાંતિ છે. સફળતા અને ખુશી નો દસ્તક છે. તે ઉપરાંત ઘરની શાંતિ માટે તમે બીજા પણ ઉપાયો કરી શકો છો.
એવું કહેવામાં આવે છે કે પીળું સરસવ, ગુગળ, મિક્સ કરી ને ધૂપ બનાવી અને સૂર્યાસ્ત પછી દિવસ અસ્ત થતા પહેલા ગાયનુ છાણું સળગાવી ને બધી મિશ્રણ કરેલી સામગ્રી તેના પર નાંખી દો અને તેનો ધૂમાળો ઘરમાં ફેલાવી લો. આમ 21 દિવસ સુધી કરો. આ ઉપાય કરવાથી નકારાત્મક શક્તિ દૂર થાય છે.
ધાર્મિક શાસ્ત્રમાં કપૂર ને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. હિન્દુ ધર્મ અનુસાર, કપૂર સળગાવવા થી દેવદોષ તેમજ પિતૃદેષનું શમન થાય છે. નિયમિત સવારે અને સાંજે ઘરમાં સંધ્યા સમય કપૂર અવશ્ય પ્રગટાવો. આ ઉપયોગ કરવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.
ગુગળ નો ઉપયોગ સુગંધ, અત્તર અને ઔષધિમાં પણ કરવામાં આવે છે. તેની સુગંધ મીઠી હોય છે, અને અગ્નિમાં નાંખવા પર તે સ્થળ સુગંધથી ભળી જાય છે. આ ઘણાં રોગોથી પણ લાભદાયી માનવામાં આવે છે. આમ કરવાથી ઘરનો માહોલ સારો રહે છે.
જો ઘરમાં કોઈ સભ્યની ઉંઘ પૂરી ન થઈ રહી હોય તો પણ ગુગળ ના ધૂપ ગાય ના છાણું પર રાખીને સળગાવી શકાય છે. આ ધૂપ ને બહુ જ સારો માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગોળ-ઘી ના ધૂપ ને અગ્નિહોત્ર સુગંધ પણ કહેવામાં આવે છે. ગુરૂવારે અને રવિવારે ગોળ અને ઘી મિક્સ કરીને તેને છાણું પર સળગાવો.
તમે ઈચ્છો તો પાકેલા ચોખા પણ મિક્સ કરી શકો છો. આથી જે સુગંધિત વાતાવરણ બની રહે છે. તે તમારા મન અને મગજના તણાવ ને શાંત કરી દેશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!