‘જેઠાલાલ’ એટલે કે દિલીપ જોશી અને ‘ચંપકલાલ’ એટલે કે અમિત ભટ્ટ વિશે એક ચોંકાવનારી વાત આવી સામે, તમે પણ નહીં કરો વિશ્વાસ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દેશના પ્રિય શોમાંનો એક છે, તે ચોક્કસપણે સૌથી લાંબો ચાલતો સિટકોમ બની ગયો છે. તાજેતરમાં જ શોએ 13 વર્ષની પોતાની સફર પૂર્ણ કરી છે. આ શો મિત્રો અને પરિવારોને તો સાથે લાવે જ છે, સાથે આ શોના કલાકારો પણ એકબીજાની ખૂબ નજીક છે. પરંતુ અત્યારે એવા સમાચાર છે કે શોના પિતા અને પુત્ર જેઠાલાલ ગઢા એટલે કે દિલીપ જોશી અને ‘ચંપકલાલ’ એટલે કે અમિત ભટ્ટે વાસ્તવિક જીવનમાં સોશિયલ મીડિયા પર એકબીજાથી અંતર રાખ્યું છે.
ઇન્સ્ટાગ્રામ પર ફોલો નથી કરતા.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના કલાકારોની વિશેષતા એ છે કે દરેક વ્યક્તિ સોશિયલ મીડિયા, ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે. પરંતુ આશ્ચર્યજનક બાબત એ છે કે જેઠાલાલ એટલે કે દિલીપ જોશી અને તેમના બાપુજી ચંપકલાલ એટલે કે અમિત ભટ્ટ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કરતા નથી.
તમને જણાવી દઈએ કે અમિત ભટ્ટ ઈન્સ્ટાગ્રામ પર આખી સ્ટાર કાસ્ટમાં કોઈને ફોલો કરતા નથી. તો હવે આ વાત દરેકના મનમાં આવી રહી છે કે બંને વચ્ચે બધું બરાબર છે ને ? જોકે , આ અંગે કઈ પણ કહેવું એ ઉતાવળ હશે.
જેઠા ટપ્પુને પણ ફોલો કરતા નથી
આ સમાચાર આવ્યા પહેલા પણ દિલીપ જોશી ઇન્સ્ટાગ્રામ પર પોતાના ઓનસ્ક્રીન પુત્ર ટપ્પુ એટલે કે રાજ અનાદકટને ફોલો કરતા નથી. આ પછી એવી અફવા પણ ફેલાઈ હતી કે બંને વચ્ચે અણબનાવ થયો હતો, જોકે આ પછી દિલીપે આ વસ્તુને બકવાસ કહી હતી.
શૈલેષ લોઢા સાથે અણબનાવના સમાચાર છે
ટપ્પુ સાથે અણબનાવના સમાચારો પહેલા પણ દિલીપ જોશી તેના ઓનસ્ક્રીન મિત્ર તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા સાથે અણબનાવના સમાચારોમાં રહ્યા છે. આ પછી, દિલીપ જોશીએ એક મુલાકાતમાં આ અફવાને બંધ કરી દીધી હતી અને કહ્યું હતું કે, ‘અમે 13 વર્ષથી સાથે કામ કરી રહ્યા છીએ. જ્યારે લોકો અણબનાવ વિશે વાત કરે છે, ત્યારે હું તેના પર હસું છું. કારણ કે કોઈ વ્યક્તિ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચવા માટે કંઈ પણ લખી નાખે છે, તે એક ખોટી સ્ટોરી બનાવે છે. હમણાં વસ્તુઓને સ્પષ્ટ કરવાનો મારો હેતુ એ કહેવાનો છે કે અમારી વચ્ચે બધુ બરાબર છે. અમે એક મહાન ટીમ છીએ જેના કારણે શો સારું પ્રદર્શન કરી રહ્યો છે.