નોકરી મળવામાં થાય છે અનેક સમસ્યાઓ? તો આ ઉપાયો છે ખૂબ અસરકારક, અજમાવો તમે પણ
જો તમને નોકરી ન મળી રહી હોય અથવા તમે નોકરી અથવા રોજગાર સંબંધિત સમસ્યાથી પરેશાન છો, તો તમે દરેક પ્રકારની મેહનત અને પ્રયત્નો કરો છો. આ બધું કરવા છતાં પણ જો તમને નોકરી ન મળે તો મેહનત અને પ્રયત્નો સાથે આ ઉપાય પણ અજમાવો. તમને થોડા સમયમાં જ મનગમતી નોકરી મળી જશે. તો ચાલો જાણીએ એ ઉપાય વિશે.
- – શુક્રવારે, 8 વર્ષ સુધીના બાળકોને શેકેલા ચણા, ગોડ અને ખાટી મીઠી ચટણીનું વિતરણ કરો. ઘીનો દીવો પ્રગટાવો.
– એક નાળિયેરનો ગોળો લો અને તેમાં છિદ્ર બનાવો. હવે આ છિદ્રમાં ઘી અને ખાંડ નાખીને છિદ્ર ભરો. હવે આ નાળિયેરના ગોળાને મંગળવારે બરગદના ઝાડની નીચે અથવા કીડીઓવાળી જગ્યાએ રાખો.
- – મંગળવારે રાત્રે 12 વાગ્યે ચાર રસ્તા પર જાઓ અને ડાઘ રહિત લીંબુને ચાર કાપી નાંખવા અને તેને ચારેય દિશામાં ફેંકી દો … આ ઉપાય કરવા સમયે બે બાબતો ધ્યાનમાં રાખવી પડશે, આ ઉપાય કર્યા પછી પાછા વાળીને ન જુઓ અને ઉપાય પર શ્રદ્ધા રાખો.
- – શુક્રવારે ખોલ્યા વગર એક તાળું ખરીદો અને તેને માથાની બાજુ રાખીને રાત્રે સૂઈ જાઓ. બીજા દિવસે સવારે સ્નાન કરીને કોઈ મંદિરમાં અથવા કોઈ ધાર્મિક સ્થળે જાઓ અને આ તાળાને ચાવી સાથે જ ત્યાં રાખી દો. જ્યારે પણ કોઈ તે તાળું ખોલશે, ત્યારે તમારા નસીબનું તાળું પણ ખુલી જશે અને તમારી સમસ્યા હલ થઈ જશે.
– કોઈપણ સિદ્ધ ગણેશજીના મંદિરે જાવ અને તમારી સમસ્યા અથવા ઇચ્છાને તમારા મનમાં બોલો અને ઊંધું સ્વસ્તિક બનાવો અને જાઓ. આ પછી, જ્યારે પણ તમારું કાર્ય પૂર્ણ થાય, ત્યારે પાછા જાઓ અને તેને સીધું સ્વસ્તિક બનાવો.
- – સારી નોકરી મેળવવા માટે શિવલિંગ ઉપર દરરોજ ચોખા ચડાવવા જોઇએ. શાસ્ત્રો અનુસાર વ્યક્તિ આ ઉપાય દ્વારા અખંડ લક્ષ્મીની પ્રાપ્તિ કરે છે.
- – જો તમે કોઈ ઇન્ટરવ્યૂ આપવા જાઓ છો અને રસ્તામાં ગાય દેખાય છે, તો તેને લોટ અને ગોળ ખવડાવો.
- – જો તમારે નોકરીના ઇન્ટરવ્યૂ માટે જવું હોય તો તમારે ઘરેથી નીકળતાં પહેલાં હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ.
- – બજરંગ બલીનો એવો ફોટો ઘરમાં રાખવો જેમાં તે ઉડતા હોય. ત્યારબાદ આ ફોટાની દરરોજ પૂજા કરવાથી તમને ગમતી નોકટી પ્રાપ્ત થશે.
- – એક લીંબુની ઉપર ચાર લવિંગ મૂકો અને ‘શ્રી હનુમંતે નમઃ’ મંત્રનો 108 વાર જાપ કરો અને લીંબુને સાથે લઈ જાઓ. તમારું કામ નિશ્ચિતરૂપે થશે.
– કોઈપણ ગણેશ ચતુર્થી પર ઘરે ગણેશજીની તસ્વીર મૂકો, ગણેશજીની એવી તસ્વીર રાખો કે જેમાં તેમની સૂંઢ જમણી તરફ વળેલી હોય. પછી તેમની પૂજા કરો. તેની સામે લવિંગ અને સોપારી મૂકો. જ્યારે પણ તમારે કામ પર જવું હોય, ત્યારે આ લવિંગ અને સોપારીને સાથે લઈ જાઓ, તમારું કામ સફળ થશે.
- – શ્રી કૃષ્ણનો મંત્ર છે ‘કૃ કૃષ્ણાય નમઃ’. આ મંત્રનો જાપ દરેક વ્યક્તિએ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને તમારા ઘરમાં હંમેશા સુખ-શાંતિ રહે છે.
- – જ્યારે પણ તમે નોકરીના ઇન્ટરવ્યૂ માટે જાઓ છો, ત્યારે આ મંત્રનો જાપ કરો ‘ઓમ નમઃ ભગવતી પદ્માવતી રિદ્ધિ-સિદ્ધિ દાયિની’. એકાગ્ર મન સાથે જાપ કરવાથી તમારી મનોકામના નિશ્ચિતરૂપે પૂર્ણ થશે.
- – સાત પ્રકારના અનાજ એક સાથે મિક્સ કરો અને દરરોજ સવારે પક્ષીઓને ખવડાવો. ત્યારબાદ કોઈપણ મંદિરમાં જઈને દર્શન કરો.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,