ઉદય ચોપરાની કુલ સંપત્તિ જાણીને તમને લાગશે નવાઈ, પડદા પર આવ્યા વગર કમાય છે કરોડો, જાણો કેવી છે લાઈફ સ્ટાઇલ

યશ રાજ બેનરની ફિલ્મ ‘મોહબ્બતેં’થી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરનાર અભિનેતા ઉદય ચોપરા આજે લાઈમલાઈટથી દૂર છે. એક સમયની સુપરહિટ ફિલ્મનો ભાગ રહેલા ઉદય ચોપરા આજે અભિનેતા તરીકે પડદાથી દૂર જઈ ચુક્યા છે.પોતાના પર્સનલ અને પ્રોફેશનલ જીવનના કારણે ક્યારેક સમાચારમાં રહેનાર અભિનેતાનો 5 જાન્યુઆરીએ જન્મદિવસ છે. જાણીતા ફિલ્મ નિર્માતા દિગ્દર્શક સ્વર્ગસ્થ યશ રાજ ચોપરા અને પામેલા ચોપરાના ઘરે વર્ષ 1973માં જન્મેલા ઉદય ચોપરા બાળપણથી જ સિનેમાની નજીક હતા.

image source

ફિલ્મી પરિવારમાંથી આવતા હોવા છતાં ઉદય ચોપરા અભિનયની દુનિયામાં કંઈ ખાસ કરી શક્યા નથી. પરંતુ શું તમે જાણો છો કે ઉદય ચોપરા આજે કરોડોના માલિક છે. અને એક રાજા ની જેમ તે પોતાનું જીવન જીવે છે.

એક રિપોર્ટ અનુસાર, ઉદય ચોપરા આજે 40 કરોડ રૂપિયાની પ્રોપર્ટીના માલિક છે. એક વર્ષમાં ઉદય ચોપરા લગભગ 5 કરોડ રૂપિયા કમાય છે. હા, ઉદય ચોપરા રોયલ લાઈફ સ્ટાઇલ મેઈન્ટેન કરે છે. આલીશાન મકાનોથી લઈને મોંઘીદાટ ગાડીઓ તેમના દરવાજે ઊભી રહે છે. ઉદય બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ માટે પણ મોટી રકમ લે છે

image source

જો તમે વિચારતા હોવ કે તે આટલું બધું કેવી રીતે કમાતા હશે? તો અમે તમને જણાવી દઈએ કે ઉદય ચોપરા YRF એન્ટરટેઈનમેન્ટના CEO છે. તે તેની માતા પામેલા ચોપરા અને ભાઈ આદિત્ય ચોપરા સાથે યશ રાજ ફિલ્મ્સમાં મેનેજરની ભૂમિકા ભજવી રહ્યો છે. બી-ટાઉનની પીઢ અભિનેત્રી રાની મુખર્જી તેની ભાભી છે. તમને જણાવી દઈએ કે 1994માં તેણે યે દિલ્લગીમાં ડાયરેક્ટર તરીકે પોતાની પહેલી ફિલ્મ બનાવી હતી જેમાં અક્ષય કુમાર, કાજલ અને સૈફ અલી ખાન લીડ રોલમાં હતા.

ઉદય ચોપરાએ એક્ટર તરીકે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ તેમનો સિક્કો ન ચાલી શક્યો. આ પછી તેણે પિતાની કંપનીમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આજે ઉદય ચોપરા પોતાનું જીવન ઉદારતાથી વિતાવે છે.

image source

અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે હિન્દી સિનેમામાં ડેબ્યૂ કરનાર ઉદય ચોપરાએ ફિલ્મ ‘મોહબ્બતેં’થી અભિનેતા તરીકે ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તેને લોકપ્રિયતા ફિલ્મ ‘ધૂમ’ દ્વારા મળી હતી. ઉદયે આ ફિલ્મમાં અલીની ભૂમિકા ભજવી હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. ઉદય ધૂમની તમામ સિરીઝમાં જોવા મળ્યો છે.

થોડાક સમય પહેલા અભિનેતા નરગીસ ફખરી સાથેના અફેરને લઈને બહુ ચર્ચામાં આવ્યો હતો. જોકે, બાદમાં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. નરગીસે ​​એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘ઉદય અને મેં એકબીજાને પાંચ વર્ષ સુધી ડેટ કર્યું છે અને તે મને ભારતમાં મળેલા શ્રેષ્ઠ વ્યક્તિઓમાંથી એક છે.’