જાણો તજનું પાણી બનાવવાની રીત અને તેના સેવનથી થતા ફાયદા વિશે
તજ એ એક ભારતીય મસાલા છે જે ખૂબ જ સુગંધિત હોય છે. તજ ખોરાકને સ્વાદિષ્ટ બનાવવાની સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તજ પોટેશિયમ, મેંગેનીઝ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝીંક અને આયરન સહિત ઘણા પોષક તત્વો ધરાવે છે. તો ચાલો જાણીએ તજનાં આરોગ્યપ્રદ ફાયદા:
– તજનું પાણી મધ સાથે મિક્સ કરીને પીવાથી શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર થાય છે અને વજન ઓછું થાય છે.
– તજનું પાણી પીવાથી મહિલાઓને પીરિયડ્સ દરમિયાન થતા દુખાવામાં રાહત મળે છે.
– તજનું પાણી પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે કારણ કે તેમાં એન્ટી-ફંગલ, એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે.
– તજના પાણીનું સેવન કરવાથી મગજ ઝડપી થાય છે, જે યાદશક્તિને સારી બનાવે છે.
– તજનું પાણી પીવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે.
– તજના પાણીનું સેવન કરવાથી કોલેસ્ટરોલનું સ્તર ઓછું થાય છે અને ડાયાબિટીઝમાં રાહત મળે છે.
– પેટ સંબંધી ઘણી સમસ્યાઓમાં પેટમાં ગેસ એક સામાન્ય સમસ્યા છે. જેનાથી તમે ખૂબ અસ્વસ્થતા અનુભવો છો. તેમ છતાં ગેસ છોડવા અથવા ગેસ થવું એ સામાન્ય છે. પરંતુ કેટલાક લોકોને ગેસની અતિશય સમસ્યા હંમેશાં રહે છે જે સામાન્ય નથી. પેટના ગેસના ઘણા કારણો હોઈ શકે છે, જેમ કે અતિશય આહાર, વધુ સમય સુધી આહાર ન લેવો, તીખો અથવા મસાલેદાર ખોરાક લેવો, એવો ખોરાક લેવો જે પાચન કરવો મુશ્કેલ છે, યોગ્ય રીતે ચાવવું નહીં, વધુ ચિંતા કરવી, દારૂ પીવો, અમુક રોગો અને દવાઓના સેવનથી પણ પેટમાં ગેસ થઈ શકે છે. આ પ્રકારની સમસ્યા દૂર કરવા માટે તજનું પાણી તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. આ પાણી પીવાથી તમે શારીરિક રીતે સ્વસ્થ રહો છો.
જાણો તજનું પાણી બનાવવાની રીત-
તજનો ઉપયોગ કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે તેને થોડા સમય માટે પાણીમાં પલાળી રાખો અને ત્યારબાદ આ પાણીને ગાળીને પી લો. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે જો તમે તજનું પાણી પીશો તો તે શરીરમાં અનેક રોગોથી આપણને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. પરંતુ ધ્યાનમાં રાખો, કે જો ડાયાબિટીઝના દર્દી તજનું સેવન કરે છે, તો સૌપ્રથમ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
– તજ અને મધ હૃદય માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તેના સેવનથી હૃદયની ધમનીઓમાં કોલેસ્ટરોલના સંચયને રોકે છે. આ માટે ગરમ પાણીમાં દરરોજ મધ અને તજનો પાવડર મિક્સ કરીને પીવો. તમે તજ અને મધના મિશ્રણને રોટલી સાથે પણ ખાઈ શકો છો. આ સિવાય તમે ચામાં પણ તજ નાખી શકો છો.
– શરદી, ઉધરસ અથવા ગળાના દુખાવા માટે પણ આ અસરકારક ઘરેલું ઉપાય છે. દરરોજ સવારમાં તજને પીસીને એક ચમચી મધ સાથે એક ચપટી ખાઓ. આ ઉપાયથી શરદીમાં રાહત મળે છે. તમે ગરમ અથવા નવશેકા પાણીમાં મધ સાથે તજનું ચૂર્ણ મિક્સ કરીને પણ પી શકો છો.
– ઠંડા પવન અથવા શરદીના કારણે થતા માથાના દુખાવામાં તજ લગાડવાથી ફાયદો થાય છે. ગરમીના કારણે થતા માથામાં દુખાવામાં તજ પીસીને તેમાં મધ નાખીને સૂંઘવાથી માથાનો દુખાવો મટે છે. આ સિવાય તજ તેલમાં થોડા ટીપાં, તલનું તેલ ઉમેરી તેની માથા પર માલિશ કરવાથી માથાનો દુખાવો ઓછો થાય છે.
– તજ અને મધ ત્વચા અને વાળની સુંદરતામાં ખુબ જ ફાયદાકારક છે. તે ત્વચાને સુધારવાની સાથે કરચલીઓ પણ ઘટાડે છે. તજ પાઉડર સાથે લીંબુના રસનું મિક્ષણ ચેહરા પર લગાવવાથી ખીલ અને બ્લેકહેડ્સ દૂર થાય છે. લીંબુના રસમાં બે ચમચી ઓલિવ તેલ, એક ચમચી મધ, અડધો કપ દૂધ, બે ચમચી તજ પાવડર મિક્સ કરો, ત્યારબાદ આ પેસ્ટ ચેહરા પર લગાવો અને પાંચ મિનિટ સુધી રહેવા દો.
આ પછી તમારો ચેહરો પાણીથી ધોઈ લો. તમારી ત્વચા પર તમને તરત જ અસર દેખાશે અથવા સૂવાના સમયે ચહેરા પર મધ અને તજની પેસ્ટ લગાવો અને તેને સવારે ગરમ પાણીથી ધોઈ લો, તેનાથી ચહેરો ચમકદાર થાય છે, સાથે ચેહરા પરની કરચલીઓ અને ડાર્ક સર્કલની સમસ્યા પણ દૂર થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત